SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : પ્રિ. આ. ૧૮૦-૧૮૩] અધ્યાત્મબિન્દુ (પ્રથમ હાંત્રિશિકા) (ઉ. વિ. સં. ૧૭૭૦)- આના કર્તા હર્ષવર્ધન છે. એમના સ્વપજ્ઞ વિવરણથી વિભૂષિત આ કૃતિની ચાર હાથપોથીઓ “ભાં. પ્રા. સં. મં."માં છે. પ્રારંભમાં ૧૮૨ ઋષભદેવની સ્તુતિ છે. મૂળ કૃતિ ૩૨ પદ્યમાં છે અને એને “પ્રથમ ધાત્રિશિકા” કહી છે. આ હિસાબે અન્ય દ્વાáિશિકાઓ-કદાચ એકત્રીસ દ્વાáિશિકાઓ એમ એકંદર બત્રીસ દ્વાંત્રિશિકાઓ રચાઇ હશે અથવા તો તેમ કરવાનો મનોરથ સેવાયો હશે. આની એક હાથપોથીમાં કર્તાનું નામ હર્ષવર્ધન ઉપરાંત ઉપાધ્યાય હંસરાજ પણ અપાયું છે તો શું આ નામાંતર છે ? [આ કૃતિ અને પ્રથમ .ની સ્વોપજ્ઞટીકા સાથે લા.દ.વિદ્યામંદિર દ્વારા પ્રસિદ્ધ છે. પ્રથમ કા. સ્વોપજ્ઞટીકા સાથે અને ૨-૩-૪ દ્વા. ઉપર આ. મિત્રાનન્દસૂરિકૃત ટીકા સાથે પદ્મવિજય ગ્રં.માં પ્રકાશિત છે.] સ્વપજ્ઞ વિવરણ- આનો પ્રારંભ એક પદ્યથી કરાયો છે. અદ્યાત્મકભેદ- આની એક હાથપોથી “ભાં. પ્રા. સં. મંમાં” છે. અધ્યાત્મકલિકા- આની એક હાથપોથી જેસલમેરમાં છે. અધ્યાત્મપરીક્ષા- આ કોઈ અજ્ઞાતકર્તુક કૃતિ છે. અધ્યાત્મપ્રદીપ- આની એક હાથપોથી આગ્રામાં છે. અધ્યાત્મપ્રબોધ– આની એક હાથપોથી આગ્રામાં છે. અધ્યાત્મલિંગ- આની એક હાથપોથી મળે છે. અધ્યાત્મસારોદ્ધાર- આની એક હાથપોથી સુરતમાં છે. ‘અધ્યાત્મતત્ત્વાલોક- આ પ્રસાદાત્મક કૃતિ આઠ પ્રકરણોમાં અનુક્રમે ૧૧૭, ૪૭, ૧૩૧, ૭૮, ૨ ૧૮૩ ૩૯, ૩૭, ૧૯ અને ૧૫ પદ્યમાં એકંદર ૪૮૩ પદ્યોમાં રચાઈ છે. પ્રકીર્ણક ઉપદેશ, પૂર્વસેવા, યોગનાં અંગો અને દૃષ્ટિઓ, કષાય ઉપર જય, ધ્યાનની સામગ્રી, ધ્યાનસિદ્ધિ, યોગની શ્રેણી અને અંતિમ શિક્ષા એ વિષયોને લગતું એકેક પ્રકરણ છે. ભાષા શુદ્ધ અને શ્લિષ્ટ છે. એના પ્રણેતા શાસ્ત્રવિશારદ' વિજયધર્મસૂરિજીના એક વિદ્વાન વિનેય નામે ન્યાયવિજય છે. એઓ ન્યાયવિશારદ અને ન્યાયતીર્થ એ બે પદવીઓથી વિભૂષિત છે. એમણે આ પુસ્તકની લગભગ છાયારૂપે જ. મ. માં અઝન્નતત્તાલોય નામની કૃતિ રચી છે. એમણે કેટલીક નાની નાની કૃતિઓ સંસ્કૃતમાં રચી છે. ગુજરાતીમાં એમણે જજૈન દર્શન રચ્યું છે અને અત્યાર સુધીમાં એની આઠેક આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ છે. એ ઉપરથી એની ઉપયોગિતા અને લોકપ્રિયતા જણાઈ આવે છે. "અનુવાદ અને વિવરણ– કર્તાએ ગુજરાતીમાં અનુવાદ અને વિવરણ રચ્યાં છે જ્યારે શ્રી. મોતીચંદ ઝવેરચંદ મહેતાએ એ બંને અંગ્રેજીમાં રચ્યાં છે. ૧. આ ચારેનો પરિચય મેંDC GCM (Vol XVIII, Pt.l, pp 162-166)માં આપ્યો છે. એમાંની એક હાથપોથી વિ.સં. ૧૭૭૦માં લખાયેલી છે. ૨. ગ્રંથકારકૃત ગુજરાતી અનુવાદ અને વિવરણ તેમજ શ્રી મોતીચંદ મહેતાકૃત અંગ્રેજી અનુવાદ અને વિવરણ તથા પ્રસ્તાવના સહિત આ મૂળકૃતિ અંગ્રેજી અનુવાદ અને વિવરણ તથા પ્રસ્તાવના સહિત આ મૂળકૃતિ અભયચન્દ્ર ભગવાનદાસ ગાંધી તરફથી ઈ. સ. ૧૯૨૦માં છપાવાઈ છે. પ્રારંભમાં મૂળ ફરીથી અપાયું છે. ૩. આ કૃતિ પાઠય પ્રસ્તાવના (પૃ. ૧-૩૨) અને અંગ્રેજી અનુવાદ સહિત જામનગરના “શ્વેતાં શ્રીજૈન સંઘ” તરફથી ઇ.સ. ૧૯૩૮માં પ્રકાશિત થઈ છે. ૪. આની એક આવૃતિનો મેં કરેલો અંગ્રેજી અનુવાદ અદ્યાપિ અપ્રકાશિત છે. પ-૬. આ પ્રકાશિત છે. જુઓ ટિ. ૨. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy