SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૧ : યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ : પ્રિ. આ. ૧૭૨-૧૭૬] ૯૫ અનુક્રમે ૭૭, ૬૫, ૪૪ અને ૨૩ પદ્યો છે. પ્રથમ અધિકારના આદ્ય પદ્યમાં આ ગ્રંથના કર્તા ન્યાયાચાર્ય યશોવિજયગણિએ આ ગ્રંથનું નામ દર્શાવ્યું છે. બીજા અને ત્રીજા પદ્યમાં અધ્યાત્મનો અર્થ શબ્દયોગાર્થમાં નિપુણોની અને રૂટ્યર્થમાં નિપુણોની એમ બે દષ્ટિએ એટલે કે વ્યુત્પત્તિ પ્રમાણે અને રૂઢિ પ્રમાણે દર્શાવ્યો છે. પ્રથમ અર્થ એવંભૂત નયને અનુસરીને અને બીજો અર્થ વ્યવહાર અને ઋજુસૂત્ર એ બે નયોને લક્ષીને ૧૭૫ છે એમ ચોથા પદ્યમાં કહ્યું છે. ચારે અધિકારોનાં સાન્વર્થ નામ છે. જેમકે (૧) શાસ્ત્ર-યોગ-શુદ્ધિ, (૨) જ્ઞાન-યોગ-શુદ્ધિ, (૩) ક્રિયા-યોગ-શુદ્ધિ અને (૪) સામ્ય-યોગ-શુદ્ધિ. આ ચાર અધિકારગત શાસ્ત્ર, જ્ઞાન, ક્રિયા અને સામ્ય એ ચાર યોગોના નિરૂપણ દ્વારા યશોવિજયગણિએ મુખ્યત્વે કરીને યોગવાસિષ્ઠ અને તૈતિરીય ઉપનિષનાં વાક્યોનાં અવતરણ આપી તાત્ત્વિક એકતા દર્શાવી છે. ગ્લો. ૬૫ અને ૭૪માં શબ્દ-જ્ઞાન, ચિન્તા-જ્ઞાન અને ભાવના-જ્ઞાનનું સ્વરૂપ આલખાયું છે. અધ્યાત્મસાર અને અધ્યાત્મીપનિષદ્ એ બે કૃતિ દ્વારા ન્યાયાચાર્યે જૈન ન્યાય-વાડુમયનો ભગવદ્ગીતા, યોગવાસિષ્ઠ ઇત્યાદિ વૈદિક ગ્રંથો સાથે સંબંધ જોડ્યો છે. જેમ અધ્યાત્મસાર અને અધ્યાત્મોપનિષદ્ધ યોગ સંબંધી વિવેચન છે તેમ આ ગ્રંથકારની કાત્રિશિદ્ધાંગિંશિકામાં પણ છે. અધ્યાત્મને અંગે આ ગ્રંથકારનો જ્ઞાનસાર નામનો ગ્રંથ પણ જોવા જેવો છે. સંતુલન– અધ્યાત્મોપનિષદ્રના પ્રથમ અધિકારના શ્લો. ૪૫-૪૭ અને ૫૨ એ વીતરાગસ્તોત્રના અષ્ટમ પ્રકાશનાં ૮, ૧૦, ૯ અને ૧૧ તરીકે જોવાય છે. આ તેમ જ આ પછીના બીજા બે અધિકારના કેટલાક શ્લોકોમાંના ઘણા-ખરા અક્ષરશઃ જ્ઞાનસારના શ્લોક સાથે મળતા આવે છે જ્યારે ચોથા અધિકારના કેટલાક શ્લોકો વૈરાગ્યકલ્પલતાના પ્રથમ સ્તબકના શ્લોકો સાથે સમાનતા ધરાવે છે. દ્વિતીય અધિકારના મે ૧૭૬ શ્લો. ૪૯-૫૬ યોગવાસિષ્ઠનું સ્મરણ કરાવે છે. આ બાબત અહીં હું વિસ્તારથી નોંધીશ : અધ્યાત્મોપનિષદ્ અધિ. ૧, શ્લો. ૮ અનુભવ શ્લો. ૪ અધિ. ૧, શ્લો. ૧૧, ૧૨, ૧૪ શાસ્ત્ર શ્લો. ૬ (પા.), ૩ (પા.), ૪ અધિ. ૧, ગ્લો. ૭૪ જ્ઞાન ગ્લો. ૪ અધિ. ૨ શ્લો. ૧૨ (ઉત્તરાર્ધ) નિઃસ્પૃહ શ્લો. ૮ (ઉત્તરાર્ધ) અધિ. ર ગ્લો. ૧૩-૧૪ મગ્ન શ્લો. ૬ (પા.), ૫ (પા.). ૧. આત્માને ઉદેશીને પાંચ આચારમાં એટલે કે જ્ઞાનાચર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપ-આચાર અને વીર્યાચારમાં વિહરણ તે ‘અધ્યાત્મ’ છે. ૨. બાહ્ય વ્યવહારથી મહત્ત્વ પામેલા ચિત્તને મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાથી વાસિત કરવું તે ‘અધ્યાત્મ' છે અને એ નિર્મળ છે. 3. પાઠાન્તર. જ્ઞાનસાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy