________________
68
આ કૃતિ દર્શના
રાજ્ય કરે રાજા ભૂપાલ.” [૧૯] નામ અભિધાન ગુણે મહામતિ.” [૨૧] નસ નાડી રોમરાય.” [૬] કાલ ગત બહુ વ્યતિક્રમ્યો.” [૧૪] ‘તહત્તિ કર્યો પ્રમાણ.” [૧૬૩] “નામ થાપ્યો કુમરીતણો ત્રિલોક્યસુંદરી નામ.” [૧૭] કર પાણિ કદલિ થંભ.” [૧૭] હે વત્સ! કિણ કારણે કિમ આરાધી મુઝ.” [૨૦] એકદા સમયને અવસરે.” [પ૯૫] રણ અટવી પડ્યો તેહ રે.” [૬૦૫] ‘તેહનો ધનદત્ત ગૃહસ્થ તસ નાહ.” [૬૨]
કથાઘટકોમાં પરિવર્તન. ૧) શ્રી મહાવીર સ્વામી પરમાત્મા વસંતપુરી નગરીના ઉદ્યાનમાં સમવસર્યા છે. ત્યાં વીરસેન વગેરે
વંદન કરવા ગયા છે. ત્યારે પરમાત્મા ધર્મકરણીના વિષયમાં પ્રસ્તુત કથા કહે છે. (૬થી ૮)
આ રીતે રૂપ વિજયજીએ સંસ્કૃત કૃતિઓની જેમ કથાનો આરંભ કર્યો છે. ૨) કુલદેવીને આરાધવા સુબુદ્ધિ મંત્રીએ સારો દિવસ જોઈને અઠ્ઠમ કર્યો. (૨૦૦૮) ૩) મંગલકલશે વડ ઉપર ચડવા માટે પહેલા ઘાસની ગાંસડીઓ થડ સાથે બાંધી. (૨૫૯) ૪) અશ્વપાલકોએ મંગલકલશને સવારે મંત્રીને સોંપ્યો. (૨૬૫) ૫) મંગલકલશે મંત્રીને વિશ્વાસઘાત ન કરવા માટે સમજાવતાં ત્રણ લઘુ કથા કહી. (ઢા. ૧૫) (ક)
ઘુવડે કાગડાનો વિશ્વાસ કર્યો પરંતુ કાગડાએ વિશ્વાસઘાત કરીને ઘુવડને આગમાં નાખ્યો. ખ) મગર અને વાંદરાની મિત્રતા થઈ. દરરોજ વાંદરો મગરને મીઠા ફળો લાવી આપે છે. એકવાર
વાંદરાને સરોવરમાં ફરવા લઈ જવાના બહાને પીઠ પર બેસાડ્યો. તેનું કાળજુ ખાવા માટે
માંગ્યું. મગરે ઠગાઈ કરી પરંતુ વાંદરો બુદ્ધિ કેળવીને ઝાડ પર ચડી ગયો. ગ) કોઈએ ભોળા માણસને છેતરીને માંચડે બેસાડી કૂવામાં ઉતાર્યો પછી દોરી કાપી નિષ્ફરતાથી
તેને કૂવામાં પાડી દીધો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org