SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મંગલકલશ રાસમાલા છે (૧૨) રૂપવિજયજી કૃત મંગલકતશ રાસ આ તપાગચ્છીય વિજયપ્રભસૂરિજી (વિ. સં. ૧૬૭૭-૧૭૪૯) > પંડિત હર્ષવિજયજી > પંડિત લક્ષ્મીવિજયજી > રત્નવિજયજી > અમીવિજયજી > વિરમવિજયજીના શિષ્ય રૂપવિજયજીએ પ્રસ્તુત રાસ રચ્યો છે. જ ૩૩ ઢાળ, ૬૭૫ કડી પ્રમાણ આ રાસ વિ.સં. ૧૮૮૫ શ્રાવણ વદ ૭ રવિવારના દિવસે રચાયો છે. રાસની રચના સંવત કવિશ્રીએ “અઠાર સહસ્સ સીલાંગ રથ, સંવત બાણ સિદ્ધિ તસ વર્ષેજી' આપી છે. આ રીતે સં. ૧૮૫૮ થાય. પરંતુ મૂળ પંક્તિની બાજુમાં કવિશ્રીએ પોતે જ લખેલી પ્રતમાં ૧૮૮૫ સ્પષ્ટ આંક આપેલો છે તથા આ જ સંવત અને દિવસનો ઉલ્લેખ પ્રતની પુષ્પિકામાં પણ છે. જો કે પુષ્પિકામાં “રૂપ વિજયજીએ પ્રત લખી છે, એવો સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ રાસની પ્રશસ્તિ અને પુષ્પિકા બન્ને સ્થળે સમાન વર્ષ-તિથિ પ્રાપ્ત થાય છે. આથી નિશ્ચિત છે કે રચનાની સાથે જ પ્રત લેખન થયું છે. જ પુષ્પિકામાં ‘ાનનશ રાબર્ષિ વરિત્ર આવો ઉલ્લેખ છે. પરંતુ કૃતિમાં ઘણા સ્થાનોએ કવિશ્રીએ ‘રાસ' તરીકેનો ઉલ્લેખ કર્યો જ છે. મંગલકલશ તણો ઈહા, રાસ રચું સૂવિશાલ.” [] મંગલકલશનો ઉત્તમ રાસ, પહેલી ઢાલ ભણી શુવિલાસ.” [૨૯] કુમર મંગલકલશતણો રે, એ છે ઉત્તમ રાસ.” [૪૯] મંગલકલશનો રાસ' [૮૫] . “એહ સંબંધ રચ્યો મે વાસ મંગલકલશનો રાસજી' [૬૬૯]. માટે અહીં આ કૃતિ રાસ તરીકે જ વર્ણવી છે. જ કવિશ્રીએ સુદીર્ઘ રચના કરી હોવા છતાં કવિશ્રીની દ્રષ્ટિ માત્ર કથાચયન પર જ કેન્દ્રિત થઈ હોવાનું જણાય છે. જ રચનાના કદની સામે અલંકારાદિનું પ્રમાણ ખૂબ જ અલ્પ છે. ક્યાંક-ક્યાંક ઉપમાઓ પ્રયોજી છે તે સિવાય બે-ચાર સ્થળોને બાદ કરતાં પ્રાયઃ કોઈ અલંકારો જોવા મળતાં નથી. કવિશ્રીએ ઘણા સ્થળોએ એક સાથે બે-બે એકાઈક શબ્દો વાપર્યા છે. તેની પાછળ કવિનો કોઈ ઉદ્દેશ્ય હશે ખરો? કે શરતચૂકથી આવું થઈ ગયું હશે?. કરવા શુચિત તનુ અંગ.” [૭]. રાજ્યલક્ષ્મીની સંપદ.” [૧૮] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy