________________
શ્રી મંગલકલશ રાસમાલા છે
(૧૨) રૂપવિજયજી કૃત મંગલકતશ રાસ
આ તપાગચ્છીય વિજયપ્રભસૂરિજી (વિ. સં. ૧૬૭૭-૧૭૪૯) > પંડિત હર્ષવિજયજી > પંડિત લક્ષ્મીવિજયજી > રત્નવિજયજી > અમીવિજયજી > વિરમવિજયજીના શિષ્ય રૂપવિજયજીએ પ્રસ્તુત રાસ રચ્યો છે.
જ ૩૩ ઢાળ, ૬૭૫ કડી પ્રમાણ આ રાસ વિ.સં. ૧૮૮૫ શ્રાવણ વદ ૭ રવિવારના દિવસે રચાયો છે. રાસની રચના સંવત કવિશ્રીએ “અઠાર સહસ્સ સીલાંગ રથ, સંવત બાણ સિદ્ધિ તસ વર્ષેજી' આપી છે. આ રીતે સં. ૧૮૫૮ થાય. પરંતુ મૂળ પંક્તિની બાજુમાં કવિશ્રીએ પોતે જ લખેલી પ્રતમાં ૧૮૮૫ સ્પષ્ટ આંક આપેલો છે તથા આ જ સંવત અને દિવસનો ઉલ્લેખ પ્રતની પુષ્પિકામાં પણ છે. જો કે પુષ્પિકામાં “રૂપ વિજયજીએ પ્રત લખી છે, એવો સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ રાસની પ્રશસ્તિ અને પુષ્પિકા બન્ને સ્થળે સમાન વર્ષ-તિથિ પ્રાપ્ત થાય છે. આથી નિશ્ચિત છે કે રચનાની સાથે જ પ્રત લેખન થયું છે.
જ પુષ્પિકામાં ‘ાનનશ રાબર્ષિ વરિત્ર આવો ઉલ્લેખ છે. પરંતુ કૃતિમાં ઘણા સ્થાનોએ કવિશ્રીએ ‘રાસ' તરીકેનો ઉલ્લેખ કર્યો જ છે.
મંગલકલશ તણો ઈહા, રાસ રચું સૂવિશાલ.” [] મંગલકલશનો ઉત્તમ રાસ, પહેલી ઢાલ ભણી શુવિલાસ.” [૨૯] કુમર મંગલકલશતણો રે, એ છે ઉત્તમ રાસ.” [૪૯] મંગલકલશનો રાસ' [૮૫] . “એહ સંબંધ રચ્યો મે વાસ મંગલકલશનો રાસજી' [૬૬૯]. માટે અહીં આ કૃતિ રાસ તરીકે જ વર્ણવી છે.
જ કવિશ્રીએ સુદીર્ઘ રચના કરી હોવા છતાં કવિશ્રીની દ્રષ્ટિ માત્ર કથાચયન પર જ કેન્દ્રિત થઈ હોવાનું જણાય છે.
જ રચનાના કદની સામે અલંકારાદિનું પ્રમાણ ખૂબ જ અલ્પ છે. ક્યાંક-ક્યાંક ઉપમાઓ પ્રયોજી છે તે સિવાય બે-ચાર સ્થળોને બાદ કરતાં પ્રાયઃ કોઈ અલંકારો જોવા મળતાં નથી.
કવિશ્રીએ ઘણા સ્થળોએ એક સાથે બે-બે એકાઈક શબ્દો વાપર્યા છે. તેની પાછળ કવિનો કોઈ ઉદ્દેશ્ય હશે ખરો? કે શરતચૂકથી આવું થઈ ગયું હશે?.
કરવા શુચિત તનુ અંગ.” [૭]. રાજ્યલક્ષ્મીની સંપદ.” [૧૮]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org