________________
શ્રી મંગલકલશ રાસમાલા
છું હવે કોઈ ચિંતા ન કરશો, ખાઓ-પીઓને આનંદ કરો.” ચંપા તરત જ ચંપકનો હાર લઈ લાખાને પુત્ર આવ્યાના સમાચાર આપવા જતી હતી ત્યારે અંબરાજે ફૂલોનો અતિ સુંદર હાર બનાવીને લાખાને મોકલાવ્યો. લાખા તે હાર જોઈ ખુશ થઈ. બીજા દિવસે ફૂલની સાડી, ફૂલનો કંચુક વગેરે બનાવી માતા દ્વારા લાખાને મોકલાવ્યો અને કહ્યું, “આ જોઈને લાખા ખુશ થશે અને જે ધન વગેરે આપે તે ન લેતા, કારણ કે આપણી પાસે પણ ખૂબ ધન છે. પરંતુ, તે લાખ ટંકા લઈને પુરુષને માત્ર એક પ્રહર જ શા માટે રાખે છે? તેનું કારણ પૂછતા આવજો.”
માલણ તે ફૂલોની રચના લઈને લાખા પાસે ગઈ. લાખા પણ ખુશ થઈ ગઈ. એણે ઈષ્ટ વસ્તુ માંગવાનું કહ્યું ત્યારે માલણે એક પ્રહર સુધી જ પુરુષ રાખવાનું કારણ પૂછ્યું. લાખાએ તેનું કારણ દર્શાવતા કહ્યું કે “એક દિવસ મને જ્ઞાની મળ્યા હતા તેમણે મારો પૂર્વભવનો વૃત્તાંત કહ્યો.
વિંધ્યા નામની અટવી. બાજુમાં વિંધ્યાચલ પર્વત, બાજુમાં ગંગાનદી. તે વનમાં મદમસ્ત એક ગજરાજ, તેની સો હાથિણી. તેમાંથી એક સુંદર હાથિણી પર હાથીને ખૂબ પ્રેમ હતો. હંમેશા તેની સાથે જ રહેતો. એક વાર હાથી મદોન્મત્ત થયો. તે હાથિણીને છોડી બીજી હાથિણી સાથે ચાલ્યો ગયો. તેથી હાથિણીએ ખૂબ દુઃખી થઈને કોતરમાં પડતું મૂક્યું. ત્યાંથી મૃત્યુ પામીને હું લાખા થઈ છું. તે હાથી મરીને ક્યાંક માણસ થયો છે. દિવસ-રાત મારા મનમાં એ હાથી જ રમ્યા કરે છે. આથી પુરુષને એક પ્રહર રાખ્યા પછી શીલ પાળું .”
ચંપાએ ઘરે આવીને લાખાની બધી વાત પુત્રને કહી. બધું જાણી વસ્ત્રો વેચવાને બહાને વત્સરાજ ત્યાંથી નીકળી ગયો. બળદોનું ભાડું ચૂકવી ઘરે આવ્યો. ચિત્રકારનું રૂપ લઈ મુખ્ય ચોકમાં આવીને ઊભો રહ્યો. ત્યાં તેણે નવ-નવા સુંદર ચિત્રો લટકાવ્યાં.
લાખાની ચમેલી નામની દાસીએ તેના ચિત્રો જોયાં. તેને ખૂબ ગમી ગયાં. લાખા પાસે જઈને કહ્યું “એક ચિત્રકાર નગરમાં આવ્યો છે. તે ખૂબ સુંદર ચિત્રો બનાવે છે. આપણી ચિત્રશાળા ચિતરાવવી હોય તો, ચિત્રકાર સારો છે.” લાખાએ હા પાડી એટલે ચમેલી ચિત્રકારને બોલાવી લાવી. ચિત્રકાર બનીને આવેલા વત્સરાજે ચિત્રશાળામાં વિંધ્યા અટવી, ગંગાનદી વગેરે ચીતર્યું. ગંગાનદીમાં હાથિણી સાથે ક્રીડા કરતો હાથી ચીતર્યો, આગળ સો હાથિણી સાથે ફરતો હાથી ચિતર્યો, એક હાથિણી સલકી વૃક્ષની ડાળીઓ હાથીના મુખમાં આપે છે, હાથી તે ખાય છે, એવું દશ્ય બનાવ્યું. આગળ વધતાં હાથી મદોન્મત્ત થઈ હાથિણીને છોડી ચાલ્યો ગયો તેવું દર્શાવ્યું. હાથિણી દુઃખી થઈને ગંગા નદીના કિનારે ઊભી છે અને ભીની ભેખડ સાથે ઢળી પડવાથી મૃત્યુ પામે છે, એવું દશ્ય પણ આલેખ્યું. ત્યાર પછી તેણે મૃત હાથિણી પાસે હાથી પડ્યાનું ચિત્ર દોર્યું, પછી પોતાના ઘરે આવી ગયો.
આ રીતે તેનો એક માસ પૂરો થઈ ગયો. પછી ચંદરાજા પાસેથી લાખા પાસે જવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org