________________
આ કૃતિ દર્શના
ઘરની બહાર કાઢ્યો.
ત્રીજે દિવસે કીર્તિરાજ પણ ગયો. તેની વિદ્યાની સામે બીજી વિદ્યાઓ વાપરી એક પ્રહર પછી લાખાએ તેને પણ પાછો મોકલ્યો. ત્રણે ભાઈ વિલખા થઈ ગયા.
ચંદરાજાએ વત્સરાજને બોલાવ્યો અને લાખા પાસે જવાનું કહ્યું. વત્સરાજે રાજા પાસેથી મારે મોટું કામ છે” એવું બહાનુ આપી એક મહિનાની મુદત મેળવી. ઘરે આવીને વત્સરાજે બાવાનો વેષ બનાવ્યો. હાથમાં વિણા લઈ મધુર રાગમાં ગાવા લાગ્યો. લાખાના મહેલની સાતે પોળનાં દરવાનોને મુગ્ધ કરી દીધા. ચતુરાઈપૂર્વક ઠેઠ મહેલ પાસે આવી ગયો. મહેલનો દરવાન ખૂબ મજબૂત, કઠોર અને લાખાનો વિશ્વાસુ હતો. તેના લીધે જે-તે અંદર જઈ શકતું ન હતું, બાવાના વેષમાં આવેલો વત્સરાજ ધૂણી ધખાવી તેની પાસે બેસી ગયો. ખૂબ વચન વિલાસથી તેને પણ રીઝવ્યો. લાખાની બધી વાતો તેના પાસેથી જાણી લીધી. “લાખા પાંચસો ગામ ભોગવે છે. અખૂટ ઋદ્ધિ તેની પાસે છે. એક ચંપા નામની માલણ તેની પાસે હંમેશા આવે છે તે ચંપાનો અંબરાજ નામનો એક પુત્ર હતો. એ નાનો હતો ત્યારે જ કોઈ તેને લઈ ગયું છે. પુત્રના વિયોગથી એ ચંપા મરવા જતી હતી તેને લાખાએ દિલાસો આપીને રાખી છે. તેની સારી સારસંભાળ પણ કરે છે.
આ બધું જાણી વત્સરાજ ત્યાંથી નીકળી ગયો. શરીરે ભભૂતિ લગાડી યોગીનું રૂપ લઈ ચંપાના ઘર પાસે ધૂણી ધખાવીને બેસી ગયો. ચંપાની પાડોસણે ચંપાને વાત કરી-એક યોગી આવ્યા છે, તે બધા લોકોની વાતો સાંભળે છે અને ઉપચારો બતાવે છે.” ચંપાએ પણ યોગી પાસે જઈને પુત્ર વિશે પૂછ્યું ત્યારે યોગીએ જણાવ્યું કે-“તારા પુત્રને વણઝારા લઈ ગયા છે. ત્યાં તેનું કુશળ-મંગળ છે. તારો તેની સાથે મેળાપ અવશ્ય થશે. ત્યાર પછી ચંપાના સગાસ્નેહીઓ બધાનાં નામ જાણી લીધાં.
ફરી ઘરે આવી નાહી-ધોઈ વણઝારા જેવો વેષ બનાવી ઘોડે ચડી મોટી બજારમાં આવ્યો. ત્યાં વણઝારા પાસેથી એક હજાર બળદ ભાડે લીધા. બાગમાં જઈ તંબૂ તાણ્યા. એક માળીને ફૂલ લઈને આવતો જોઈ રડવા લાગ્યો. માળીએ દુઃખનું કારણ પૂછ્યું ત્યારે જણાવ્યું કે “મારુ નામ અંબરાજ છે હું નાનો હતો ત્યારે મને વણઝારા લઈ ગયા હતા, હવે યુવાન થયો એટલે મને જનની અને જન્મભૂમિ યાદ આવ્યા, માટે તેમને મળવા આવ્યો છું. નાલેર પાડામાં ચંપા નામની માલણ મારી માતા રહે છે.” તે માળી ત્યાંથી સીધો ચંપા પાસે ગયો અને પુત્ર આવ્યાની વધામણી આપી. ચંપા પણ દોડીને ત્યાં ગઈ. ચંપાને આવતી જોઈને અંબરાજ બનીને આવેલો વત્સરાજ માતાની સામે દોડ્યો. બન્ને એક બીજાને મળીને ખૂબ હર્ષિત થયા. પુત્રની ઋદ્ધિ જોઈ ચંપા ખૂબ ખૂબ આનંદ પામી. અંબરાજે કહ્યું “માતા! હું ઘણું ધન લાવ્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org