SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મંગલકલશ રાસમાલા યોગીએ આ વાર્તા કહ્યા પછી રાજા પાસે ચાર શ્રીફળ મંગાવ્યા. તે મંત્રિત કરીને રાજાને આપ્યા અને જુદી જુદી ચાર રાણીને ખવડાવવાનું કહ્યું. તેના પ્રભાવે ચાર રાણીને એક સાથે એક જ મૂહૂર્તે જયરાજ, ધનરાજ, કીર્તિરાજ અને વત્સરાજ નામના એક-એક પુત્રો થયાં. 63 આ ચારે ભાઈ ૧૬ વર્ષના થયા ત્યારે તેના માતા-પિતા મૃત્યુ પામ્યા. ચારેમાંથી જયરાજ ખૂબ શૂરવીર છે. ધનરાજ પાસે ખૂબ ધન છે. કીર્તિરાજ પાસે કામણ-ટૂમણ કરવાની અને મોહિની વિદ્યા છે. જ્યારે વત્સરાજ ખૂબ ચતુર છે, શાસ્ત્ર અને કલાનો અભ્યાસી છે. ચારે સરખે–સરખા છે. ચારે પાસે એક-એક ગુણ છે. તો રાજ્ય કોને સોંપવું? તેનો નિર્ણય ન કરી શકવાના કારણે રાજા રાજ્ય સોંપ્યા વિના જ મૃત્યુ પામ્યા હતા. ચારે ભાઈ પરસ્પર રાજ્યમાટે લડવા લાગ્યા ત્યારે વત્સરાજે બધાને સમજાવ્યા – ‘આમાં આપણા કુળની આબરુ નથી રહેતી. એના કરતાં કોંકણ દેશમાં આવેલા સોપારાનગરના ચંદરાજા ખૂબ ન્યાયવાન છે તેની પાસે આપણે જઈએ, એ જે ન્યાય આપે તે સ્વીકારવાનો.’ બધાને આ વાત સારી લાગી. ચંદ રાજા પાસે પહોંચ્યા. ચંદરાજાને બધી વાત કરીને ન્યાય માંગ્યો. ચારે ભાઈના સરખા રૂપ આદિ જોઈને રાજા પણ તરત નિર્ણય ન કરી શક્યા. રાજાએ થોડા સમય પછી ન્યાય આપવાનું કહ્યું. રાહ જોતાં-જોતાં છ મહિના પસાર થઈ ગયા પછી સૌ અકળાયા ત્યારે રાજાએ ન્યાય આપ્યો - ‘આ નગરમાં લાખા નામની ગણિકા છે. તે ખૂબ ઋદ્ધિમાન છે. પાંચસો ગામને ભોગવે છે. તેની પાસે નિત્ય સો દાસીઓ રહે છે. સાત પોળ પસાર કરી અંદર તેનો સાત માળનો મહેલ છે. તેને શીલનો એક નિયમ છે. કોઈ પણ પુરુષને પોતાની પાસે લાખ ટંકા લઈ એક જ પ્રહર રાખે છે. તેની સાથે જે ચાર પ્રહર રહી બતાવે તેનું રાજ્ય. - ન્યાય મળવાના દિવસે જ જયરાજ તેની પાસે લાખ ટંકા લઈને પહોંચી ગયો, લાખાએ પોતાની શરત મૂકી-‘એક લાખ ટંકા લઈને એક પ્રહર જ રાખું છું.’ ત્યારે જયરાજે કહ્યું “મારે તારું (=તારા દેહનું) કોઈ કામ નથી.’’ લાખા ખુશ થઈ ગઈ, ઉચિત સત્કાર-સ્નાન-ભોજન આદિ કરાવ્યું. એક પ્રહર પૂરો થયો ત્યારે પાછા જવાનું કહ્યું, ત્યારે જયરાજ તલવાર કાઢીને ભડક્યો. ‘મેં તને ધનથી ખરીદી છે તું મારી દાસી છે.’ પોતાની હોંશિયારી દ્વારા લાખાએ તેના હાથમાંથી તલવાર પડાવી લીધી. નોકર પાસે પકડાવી ઘરની બહાર કાઢી મૂક્યો. બીજે દિવસે ધનરાજ પણ એક કરોડ ટંકા લઈને ત્યાં ગયો. લાખાના બધા દાસ-દાસીને ખૂબ ધન આપીને ખુશ કરી દીધા. લાખાને પણ ખૂબ ધન આપ્યું પણ લાખાએ તેમાંથી એક લાખ ટંકા લઈને બીજા પાછા આપી દીધા. એક પ્રહર પૂરો થયો એટલે તેને પણ હાથ પકડીને For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy