________________
જ કૃતિ દર્શના
રાજાએ રાણીની સેવામાં રાખેલી દાસીને શીખવી દીધું – “તું રાજસભામાં વધામણી આપવા આવે ત્યારે પુત્ર જન્મ્યો' એવી જ વધામણી આપજે. પરંતુ જો પુત્રી જન્મે તો મને બે આંગળી દેખાડજે અને પુત્ર જન્મે તો એક.
રાજાને ત્યાં પુત્રીનો જન્મ થયો પરંતુ શીખવ્યા પ્રમાણે દાસીએ રાજસભામાં આવી પુત્રજન્મની વધામણી આપીને બે આંગળી દેખાડી. આખા ય રાજ્યમાં પુત્રજન્મની વાત ફેલાઈ ગઈ. નગરમાં જન્મોત્સવ પણ ઉજવાયો. રાજ્યના રક્ષણ માટે પુત્રીની વાત ફેલાય નહીં તે માટે કામણ-ટ્રમણ કરાવ્યું. પુત્રનું નામ દેવકુમાર જાહેર કર્યું. હવે રાજા જ્યારે પણ બહાર જાય ત્યારે તે રાણીના ઓરડાને સાત તાળા દઈને બહાર જાય છે.
અનુક્રમે પુત્રી યોવનવય પામી. તે ખૂબ રૂપવાન હતી. બહાર પ્રચાર પામેલા દેવકુમારના ગુણો સાંભળી મોટા-મોટા રાજાઓ કન્યાદાન કરવા તૈયાર થાય છે. પરંતુ બધાને “પુત્ર હજુ નાનો છે” એમ કહીને ટાળે છે.
સોપારાપુર નગરના રાજાએ પોતાની પુત્રી અમરાવતીને ઘણી ઋદ્ધિ સાથે રિપુમર્દન રાજા પાસે પુત્રના વિવાહ માટે મોકલી દીધી. રીપુમર્દન રાજાએ વિચાર્યું. “આને પાછી મોકલી દઈશ તો પુત્રની લાજ નહીં રહે અને કદાચ “પુત્ર નથી” એવી વાત પણ ફેલાઈ જાય.” આવું વિચારી પુત્રીને પુરુષવેષ પહેરાવીને અમરાવતી સાથે લગ્ન કરી દીધા.
રિપુમર્દન રાજાની પુત્રી ખૂબ મુંઝાઈ ગઈ માતા-પિતાએ આ શું કરી નાખ્યું?' વિચારે ચડતા તેણે એક નિર્ણય કર્યો. “અહીંથી ચાલીશ ગાઉ દૂર એક મોટો પર્વત છે. તેની વચ્ચે સુંદર સરોવર છે. સરોવરના કાંઠે આદિનાથ પરમાત્માનું જિનાલય છે. ત્યાં જઈ પરમાત્માની છેલ્લીવાર ભાવથી પૂજા કરીને સરોવર પાસે જઈ દેહ ત્યાગ કરી દેવો.” રાજકુમારી રાત્રે એકલી ઊંટ પર બેસી નીકળી ગઈ. સૂર્યોદય થતાં તો તે ત્યાં પહોંચી પણ ગઈ.
સરોવરના જલથી સ્નાન કરી, ત્યાંના પુષ્પોથી આદિનાથ પરમાત્માની પૂજા કરી. ફરી સરોવરની પાળે આવીને ત્યાંના ફળો વાપરીને ચંપકવૃક્ષની નીચે બેઠી. તે સમયે વિદ્યાધર અને વિદ્યાધરી ત્યાં આદિનાથ પરમાત્માની પૂજા કરવા આવ્યા. પૂજા કરીને સરોવરની સુંદરતા જોવા રાજકુમારી બેઠી હતી ત્યાં આવ્યા. તેને રડતી જોઈને વિદ્યાધર સમજી ગયો કે આ પુરુષવેષમાં કોઈ સ્ત્રી છે. વિદ્યાધરીએ દુઃખનું કારણ પૂછ્યું ત્યારે તેણે પોતાનોવૃત્તાંત જણાવ્યો. વિદ્યાધર પરોપકારી હતો, તેણે રાજકુમારીને એક ઔષધિ ખવડાવી, તેના પ્રભાવે તે રાજકુમારી પુરુષ થઈ ગઈ.
રાજા-રાણીને આ વાતની ખબર પડી. ખૂબ આનંદિત થયા. રાજ્યનું રક્ષણ થયું અને જગતમાં પુન્ય પ્રભાવે જય-જયકાર વર્યો.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org