SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મંગલકલશ રાસમાળા ૬) દેવીએ રૂપવાન પુરુષને ચંપાનગરીની પૂર્વ દિશામાં આવેલા ચંપકવન પાસે મૂક્યો. (૮૪) આવું ચોક્કસ સ્થાન પણ માત્ર દીપ્તિવિજયજીએ જ જણાવ્યું છે. ૭) અપહરણ થયા બાદ રાત્રે સૂઈ જવા માટે મંગલકલશ વડ ઉપર ચડ્યો. ત્યાં તેને ઉત્તરદિશા તરફ અગ્નિ દેખાયો છતાં રાત્રિ ત્યાં જ વીતાવી સવારે તે દિશા તરફ ગયો. (૧૧૧-૧૧૨) ૮) મંત્રી સુબુદ્ધિને પુત્ર થતો ન હતો, પુત્ર માટે કુલદેવીને ત્રણ ઉપવાસ કરી આરાધી, પ્રગટ થઈને કુલદેવીએ કહ્યું કે “તારા ભાગ્યમાં સંતાન નથી. એક છે તો તે પણ કોઢી છે. મંત્રીએ એ માટે પત્નીની સલાહ લીધી. ત્યારે પત્નીએ જણાવ્યું કે “પુત્ર કોઢી પણ ચાલશે પરંતુ, “વાંઝણી' તરીકેનું દુઃખ સહન થતું નથી.” (૧૨૪-૧૩૦) ૯) લગ્ન વખતે ગૈલોક્યસુંદરીએ મંગલકલશના હાથમાં લખ્યું કે “પિતા પાસે પાંચ ઘોડા માંગજો' ત્યારે મંગલકલશે રૈલોક્યસુંદરીના હાથમાં લખ્યું કે હું ભાડે પરણું છું.” (૧૭૪-૧૭૫) ૧૦) રાત્રીની ૪ ઘડી પસાર થઈ ત્યારે મંગલકલશ àલોક્યસુંદરીને છોડીને ચાલ્યો ગયો. (૧૯૩). ૧૧) પતિ વિરહિણી સૈલોક્યસુંદરી જોષી પાસે પોતાનું ભવિષ્ય જોવડાવે છે. ત્યારે જોષી કહે છે. તારો પતિ સાથે મેળાપ અવશ્ય થશે...” (૨૬૦-૨૬૩). ૧૨) રૈલોક્યસુંદરીએ “મંગલકલશને રીઝવી તેની પાસેથી ઘોડા લઈ લઈશું એવું બહાનું આપી નિશાળીયાઓને જમવા બોલાવ્યા. (૩૦૮). ૧૩) કથા કહેતી વેળાએ મંગલકલશ પહેલા લાખાસુંદરી ગણિકાની કથા કહે છે. (સંપૂર્ણ ૨ જો ખંડ) “કાવેરી નગરી, અજિતસેન રાજા, સુમતિ પ્રધાન, રાજાની ઘણી રાણીઓ હતી પરંતુ કોઈ સંતાન ન હતું, ઘણા ઉપાયો કરવા છતાં એક પણ સંતાન ન થયું આથી રાજાને ખૂબ ચિંતા રહેવા લાગી. “અખૂટ સંપત્તિને સંતાન વગર શું કરવી?” આવું વિચારી દરરોજ લાખ સોનેયા પ્રભુ ભક્તિ, ઉત્સવ અને દાનમાં વાપરવા લાગ્યો. એક દિવસ ત્યાં એક યોગી આવ્યો. રાજાને ઉદાસીનતાનું કારણ પૂછ્યું. રાજાએ પુત્રની ઈચ્છા જણાવી – ત્યારે યોગીએ “બધું જ પુન્યથી મળે છે. એવું કહ્યું અને પુન્ય ફળ પ્રાપ્તિ પર રિપુમર્દન રાજાની કથા કહી. ચંદેરી નગરી, રિપુમર્દન રાજા, તેને સો રાણી, પણ કર્મ સંયોગે તેને એક પણ પુત્ર ન હતો. તેથી સીમાડાના રાજાઓ વારંવાર તેના પર ચડાઈ કરતા. એક સિદ્ધ ( તાપસ) રાજાને મળ્યો. તેણે એક ફળ આપ્યું અને તે રાણીને ખવડાવવા કહ્યું. એક રાણીને તે ફળ ખવડાવ્યું. તેના પ્રભાવે રાણીને ગર્ભ રહ્યો. રાજા તે રાણીની ખૂબ સાર સંભાળ રાખે છે. તેની ચારે બાજુ ચોકી ગોઠવી દીધી કે કોઈ તેને હેરાન ન કરે. એક દિવસ રાજાએ રાણીને કહ્યું, “આપની કુખેથી કર્મ અનુસાર પુત્ર કે પુત્રી કોઈ પણ જન્મ લેશે પરંતુ આપ વધામણી પુત્રની જ મોકલજો.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy