________________
60
કૃતિ દર્શના
‘તે બેહનું મન એક છે, જિમ લખમણ ને રામ.” [૭૪૦] વગેરે... ઉદ્વેક્ષા :
રાજા તિહાં સુરસુંદર નામ, રાજ્ય કરઈ જાણે શ્રીરામ.” [૫૫] ઘર આંગણિ કરતી કેલી, જાણે સાચી મોહન વેલી.” [૬૧] નર-નારી મોહી રહ્યા, દેખી કુમારનું નૂર; સામું જોઈ કોઈ નવિ સકિ, જાણે ઉગ્યો સૂર.” [૧૬૩] “ફૂલ રચાવ્યા અતિઘણા, જાણે દેવ-આવાસ.” [૩૯]. આવિ બેઠો મંડપતલઈ, ઇંદ્ર ભુવન આવ્યુ ભૂ-તલઈ.” [૩૫૧] લાખાને પટરાણી કરી, જાણે ઈન્દ્રાણી અવતરી.” [૬૦૮]. આ સિવાય અન્ય અલંકારો કવિશ્રીએ ખાસ પ્રયોજ્યાં નથી.
રાસમાં આંખે ઉડીને વળગે એવી વિશેષતા એ છે કે કવિશ્રીએ મંગલકલશ અને રૈલોક્યસુંદરીના નામને બદલે બહુધા “ધનદત્ત-સુત” અને “નૃપ-તનયા આવું વાપર્યું છે. જે બીજા ગુર્જર કવિઓએ નહીવત જ વાપર્યું છે.
જ કવિશ્રીની ભાષામાં ક્યારેક-ક્યારેક સ્વર-સંધિવાળા પદો જોવા મળે છે. દા.ત. સોમચંદ્રાભિધ, શીલાલંકૃત દેહ વગેરે. કથાઘટકોમાં પરિવર્તન ૧) સત્યભામાએ મંગલકલશ ગર્ભમાં આવ્યો ત્યારે સ્વપ્નમાં રૂપાનો કળશ જોયો. (૪૧) ૨) રૈલોક્યસુંદરી ૧૬ વર્ષની થઈ ત્યારે સુરસુંદર રાજાએ અંતેપુરમાં જઈને બધી રાણીઓની સાથે
બેસી તેના લગ્ન વિષેની વાત કરી. (૬૦-૬૩) આ સમયે સૈલોક્યસુંદરીની ચોક્કસ ઉંમર
બીજા કોઈ કર્તાઓએ દર્શાવી નથી. ૩) કુલદેવીને આરાધવા, મંત્રીએ અઠમ કર્યો. (૭૬) ૪) કુલદેવી પ્રગટ થઈ એ રાતથી માંડી સાતમા દિવસે મંત્રીએ પોતાના પુત્રના રાજકુમારી સાથે
લગ્ન નક્કી કર્યા હતા. (૮૧) ૫) કુલદેવીને મંત્રી જ સામેથી કહે છે. “મારો પુત્ર કોઢી છે. કર્મ તો તેને ભોગવવા જ પડશે. કર્મથી
કોઈ છોડાવી શકતું નથી, માટે રાજકુમારીને પરણાવવા કોઈ એક રૂપવાન પુરુષ લાવી આપો.” (૮૦-૮૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org