________________
690
રૂપવિજયજી કૃત
દૂહા
કહે વનિતા પ્રહ પ્રતે, “ચિંતા થઈ તુમ દેવી; તેહ પ્રષ્ણોત્તર તુમે પ્રભુ!, મુઝને કહો તતખેવ.”
૧ [૩૦] વનિતા વચન સૂણી કરી, તવ ભાખે ધનદત્ત; “તેહનો કારણિ હે પ્રિયે!, સૂણ તુ એક ચિત્ત.
૨ [૩૧] સંતિતિ નહી કો આપણે, જે રાખે ઘર શૂર; માત-પિતા મન વલ્લહો, જો હોઈ કુલમાં પૂત.
૩ [૩૨] સૂત વિના ગૃહ આંગણો, ચંદ વિના જિમ રાત; રાજન જિમ સેન્યા વિના, પૂત્ર વિના તિમ તાત.” ૪ [૩૩] લલિત વચન પ્રિઉના સુણી, ભામનિ ભાખે હેવ; આરતિ કીધે સૂ હૂવે?, કર્મ ફલાફલ દેવી.
૫ [૩૪] ઢાલ - ૨, નાનો નાડલો રે- એ દેશી.
સત્યભામા ઇસ્યુ વદે રે, વચનામૃતથી કામ કે “સ્વામી! સાંભલો રે; ભાવો શ્રી જિનરાજજી રે, કર્મતણા પરિણામ કે સ્વામી! સાંભલો રે. ૧ [૩૫] કર્મે ઇંદુ કલંક કર્યો, કર્મે બલ પીયાલ કે સ્વામી; કર્મે દિનકર નિત્ય ભમે રે, રાત-દિવસ ઘડમાલ કે સ્વામી. ૨ [૩૬] કમેં હર-હર-સુરવરા રે, લહીયાં સુખ-દુઃખ એમ કે સ્વામી; વિડીઈ જે લિખ્યું લેખમાં રે, ભોગવવા પ્રભુ તેમ કે સ્વામી. ૩ [૩૭] શુત હવે તે પણ કર્મથી રે, કર્મથી બલિન કોય કે સ્વામી; અણહુની હુની નહી રે, હુની હોય સો હોય કે સ્વામી. ૪ [૩૮]
૧. સૂત્ર=જવાબદારી. ૨. દુઃખ, ચિંતા. ૩. ઘટમાળ. ૪ વિધિએ, વિધાતાએ. ૫. ન બનવાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org