________________
મંગલકલશ રાસ
689
દુઃખ ન દેવે કોઈને કદા, આણ અખંડીત પાલે સદા; ષટદર્શન ભક્તિ સાચવે, અરિને સીહ સમાન જ હુવે. ૮ [૨૦] તેને પટરાણી ગુણવંત, સોમચંદ્રા ઘરણી કત; રૂપે રંભા સીલે સતી, નામ અભિધાન ગુણે મહામતિ. ૯ [૨૧] તે નગરીમાંહે વસે ધનવંત, ધનદત નામે ઈભ્ય મહંત; ધનદ ભંડારી તણી એ જોડ, કોઈ ન કરે એહની હોડ. ૧૦ [૨૨] ધર્મ-અર્થ સાધે સાવધાન, વિનયવંત બહુ બુદ્ધિનિધાન; દેવ-ગુરૂ-પૂજા-સીયેલ-વ્રતધરે, દયાધર્મ કરણી સંચરે. ૧૧ [૨૩] એહવા ધનદત્ત વિવહારીલ, કોટીધજ-ધનસંખ્યા કહ્યો; સત્યભામા ધરણી કહેવાય, પતિવ્રતા ધર્મ પાલે સદાય. ૧૨ [૨૪] જૈન ધર્મમાં તત્પર થઈ, નિર્મલ મન સાધે ગહગાહી; ઉભયટંક આવસ્યક કરે, બેહુ જણા તે શુખ અનુસરે. ૧૩ [૨૫] એક દીન સેઠ ચિંતા વસી, “સુત વિના લક્ષ્મી એ કીસી?; સુત વિના ગૃહ ઘોરંઘાર, દ્વાદન(શ?) દિનકર ઉદય તિવાર. ૧૪ [૨૬]. સૂત વિના નહી જસ સોભાગ્ય, સૂત વિના નહી કુલમેં લાગ; ચોસઠ દિપક કરે ગૃહમાણે, સૂત વિણ ઉદ્યોત નહી કાહિ. ૧૫ [૨૭] ઇમ ચિંતવીને શ્રેષ્ઠીતણું, વદનકમલ થઉ ઝાંખુ ઘણું; તે દેખી પૃચ્છા હિતકરી, દુખનું કારણ પૂછે સુંદરી. ૧૬ [૨૮] મંગલકલશનો ઉત્તમ રાસ, પહેલી ઢાલ ભણી શુવિલાસ; શ્રોતાજનને સૂણવા તેહ, પવિજય કહે સસનેહ. ૧૭ [૨૯]
૧. કાંત=મનોહર. ૨. ઘોર અંધાર. ૩. સંબંધ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org