________________
54
કૃતિ દર્શન
કેઈ ભણઈ વેદ-પુરાણ કે, પંડિત ભણઈ નિઘંટા એ; કઈ ભણઈ જ્યોતિષ સાર કે, ભાગવત વાંચઈ કઈ ભટા એ. ૮ [૨૨૬] એ ભગત વઈરાગી કેઈ કે, અતિ અચ્ચલ રહિ યોગટા એ; કોઈ મુનિ માહંત કે, જોગ સાધઈ જુગતિ જટા એ. ૯ [૨૨૭] એ ચહુઈ ચાચર સેર કે, દેવરાઈ પાણી છટા એ; ગુણીજન ગાવિં ગીત કે, વારુ નાચઇ નટવી નટા એ. ૧૦ [૨૮] વાડી એ વન-આરામ કઈ, જલ ભરીયા સોટિ તટા એ; વાવડી કૂપ નિવાણ કે, પાણી ભરઈ સોવન ઘટા એ. ૧૧ [૨૯] લોક વસિ દાતાર કે, દાન દિઈ મન ઉલટા એ; ચોર ચરડ નહીં કોઈ કે, લોક વસિ ધનાધટા એ.” ૧૨ [૨૩૦]
આ તૈલોક્યસુંદરી લગ્ન પછી મંગલકલશને બદલે કોઢી (મંત્રીપુત્ર)ને જોઈને વિચારે છે. હું જેમની સાથે પરણી છું તેમની અને આ કોઢી વચ્ચે બહુ મોટુ અંતર છે.” સૈલોક્યસુંદરીના આ વિચારનો વિસ્તાર કરવા કવિશ્રીએ અનેક ઉપમાનો રજૂ કર્યા છે.
પરણ્યા એ પ્રીફ નિ આ વિચિ જી, અંતર બહુલો રે જોઈ; મેર-પરબત કિહાં કાંકરો છે?, કિહાં કસ્તુરી ખલ હોઈ?. ૪ [૩૨૭] કિહાં કુંજર કિહાં કીડલો છે?, કિહાંરે રાસ રેવંત?; હંસ કિહાં કિહાં કાગડો છે?, કિહાં રે મુરખ મિતિવંત?. પ ૩૨૮] કિહાંરે રાજા દ્રુમકપણું જી?, કિહાં તે ખીર નઈ નીર; કિહાં સાયર છિલર કહે ?, કિહાં તે રજત કથીર?. ૬ [૩૨૯] કિહાં તારા કિહાં ચંદ્રમાં છે?, કિહાં તે અંબ કરી?; કિહાં સૂરજ ખજૂઓ કહું જી? કિહાં તે ખાસર ચીર?.૭ [૩૩૦] કિહાં ધૃત તેલનઈ આંતરા જી?, એવડો રે અંતર હોઈ; પડતઈ ઓઠઈ આ કોઢીઓ જી, ચડતઈ ઉઠઈ પ્રીઓ સોઈ.” ૮ [૩૩૧].
જ લગ્ન વખતે કન્યાનો હાથ મૂકાવવાના સમયે સુરસુંદરરાજાએ જમાઈને પાંચ અશ્વો વગેરે ધન આપ્યું.' આટલી વાતને પરસ્પરના સંવાદ રૂપે ૬ કડી સુધી વિસ્તારી છે.
“રાજાઈ પહિલઈ મંગલઈ રે, આપ્યા વસ્ત્ર અપારો રે; બીજઈ આભરણ આપીયા રે, ત્રીજઈ માણિક સારો રે. ૫ [૨૭૧]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org