________________
52
* કૃતિ દર્શના સેનસૂરિજી > વિજયદેવસૂરિજી (વિ.સં. ૧૬૩૪થી ૧૭૦૫, જેમણે જહાંગીર બાદશાહને પ્રતિબોધ કર્યો હતો) > વિજયસિંહસૂરિજી (વિ.સં. ૧૬૪૪થી ૧૭૦૯, જેમણે મેવાડના રાણા જગતસિંહને પ્રતિબોધિત કર્યા હતા.) > પંડિત વીરવિજયજી ઉપાધ્યાયના શિષ્ય વિબુધવિજયજીએ પ્રસ્તુત રાસની રચના કરી છે.
જ કવિશ્રીએ દરેક ખંડને અંતે પાટ પરંપરા દર્શાવ્યા બાદ પોતાના ગુરુનું નામ પંડિત વીર વિજય ઉપાધ્યાય આપ્યું છે. વિજય સિંહસૂરિજીના શિષ્ય વિજય પ્રભસૂરિજી (વિ.સં. ૧૬૭૭ થી ૧૭૪૯)નું દીક્ષા સમયનું નામ પણ વીરવિજયજી હતું પરંતુ તેમના ઉપાધ્યાય કે પંડિત પદ વિષયક કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. બીજુ તેમને આચાર્ય પદ વિ.સં. ૧૭૧૦માં પ્રાપ્ત થયું હતું. પ્રસ્તુત રાસની રચના ૧૭૩૨માં થઈ છે. આથી વિજયપ્રભસૂરિજીનો “પંડિત વીરવિજય ઉપાધ્યાય' તરીકેનો ઉલ્લેખ રાસ રચના સમયે ન થયો હોય, ઉપરાંત કવિશ્રીએ ત્રીજી અને ચોથી ઢાળની પ્રશસ્તિમાં વિજયપ્રભસૂરિજીનો નામોલ્લેખ અલગથી પણ કર્યો છે. આથી, વિજયપ્રભસૂરિજી અને પંડિત વીરવિજયજી બન્ને ગુરુભાઈ હતા એવું નક્કી થઈ શકે.
જ કવિશ્રી વિબુધવિજયજીની આ પ્રથમ જ રચના છે. જેનો ઉલ્લેખ આ રાસમાં બે સ્થળે મળે છે.
“ચાર ખંડ બુદ્ધિ કરી, કીધો પ્રથમ અભ્યાસ.” [૫૫] મુજ બુદ્ધિ સારુ એ રાસ, કીધો છઈ પ્રથમ અભ્યાસ.' [૬૫૫]. આ રાસ સિવાય કવિશ્રીની અન્ય કોઈ રચનાઓ પ્રાપ્ત થતી નથી.
આ પ્રસ્તુત કૃતિનો દરેક ખંડના અંતે “મંગલકલશ રાસ' તરીકે ઉલ્લેખ છે. પરંતુ ચોથા ખંડને અંતે “મંગલકલશ રાસ” ઉપરાંત પુણ્યવિલાસ રાસ' તરીકે પણ ઉલ્લેખ છે.
રાસ વિસ્તાર કરવા કવિશ્રીએ પ્રસંગો, પાત્રો કે સ્થળોના વર્ણન તથા પાત્રોના મનોભાવો અને સંવાદોનો આશ્રય લીધો છે.
આ પ્રસંગ વિસ્તારનું એક ઉદાહરણ જોઈએ તો મંગલકલશ અને રૈલોક્યસુંદરીનો લગ્ન ઉત્સવ. અન્ય સર્વ રાસોમાં લગ્નોત્સવ માત્ર એક જ ઢાળમાં સમાવ્યો છે. જ્યારે અહીં બીજા ખંડની ૮મી અને ૯મી બે ઢાળોમાં વિસ્તાર્યો છે.
જ રાજકુમાર બનીને રહેલી ગૈલોક્યસુંદરીના આમંત્રણનો સ્વીકાર કરી નિશાળીયાઓ જ્યારે ભોજન કરવા બેસે છે ત્યારે એ નિશાળીયાઓના ૧૨૫ નામો (ખંડ-૩, ઢાલ-૬ની કડી ૪થી ૧૪માં) મુક્યા છે. જેના દ્વારા ૧૮મી સદીના લોકનામોનો પરિચય થાય છે. નામોની આટલી મોટી હારમાળા પણ કોઈ કવિએ પ્રયોજી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org