________________
શ્રી મંગલકલશ રાસમાલા રોડ
51
સિંહસામંતે જણાવ્યું કે “મને તો ખબર નથી, પરંતુ ઉજ્જૈન તીર્થધામ છે માટે યાત્રા કરવા
જવું હશે.” (૩૫૮) ૯) અહીં સિંહ સામંતને સૈલોક્યસુંદરીના મામા દર્શાવ્યા છે. (૩૪૮) ૧૦) ઉજ્જૈની જતા રૈલોક્યસુંદરીએ પિતાને કહ્યું “હું છ મહિને પાછી આવીશ.” (૩૬૦) ૧૧) લગ્નસમયે મંગલકલશને જે પાંચ અશ્વો આપ્યા હતા તે અશ્વો સિંહસામંત પોતે જ કનોજ
દેશથી લઈ આવ્યા હતા. (૩૭૫) ૧૨) પંડિતજીને નિશાળીયાઓની સાથે ભોજન માટે આમંત્રણ આપ્યું. ત્યારે સિંહ સામંતે જમવામાટેના
વાસણોની વ્યવસ્થા પણ કરી આપવાનું કહ્યું. પંડિતજીએ એ કામ મંગલકલશને સોંપ્યું. તે પોતાના ઘરે જઈ સુરસુંદરરાજાના નામવાળા વાસણો લઈ આવ્યો. તે જોઈ સિંહસામંત સમજી
ગયા કે “નૈલોક્યસુંદરીના લગ્ન આની સાથે જ થયા છે.” (૩૮૯થી ૩૯૩) ૧૩) ભોજન કરાવ્યા પછી પંડિતજીને વિનંતી કરી કે “જે વિદ્યાર્થી ગણતરી કરવામાં હોંશિયાર હોય
તેને બે ઘડી રાખી જાઓ” પંડિતજી મંગલકલશને રાખી ગયા. મંગલકલશ રૈલોક્યસુંદરીને
ઓળખી ગયો. પછી તેને વાર્તાના બહાને પોતાની વીતેલી વાત કહી. (૩૯૫થી ૪૦૪) ૧૪) રાજા રૈલોક્યસુંદરી અને મંગલકલશને પ્રથમવાર બોલાવે છે ત્યારે ચંપાનગરીમાં થોડા દિવસ
રહી પોતાના ઘરે પાછા આવે છે. ફરી થોડા સમય પછી રાજાએ પુત્રી-જમાઈને તેડાવીને તેને
રાજ્ય સોંપીને દીક્ષા લીધી. (૫૧૦ થી પ૧૩) ૧૫) અંતે સંયમ ગ્રહણ કરીને મંગલકલશે પરમગતિ અને સૈલોક્યસુંદરીએ સદ્ગતિ સાધી. (૬૦૫)
અહીં લક્ષ્મીહર્ષજીએ શાંતિનાથચરિત્ર પરથી જ રચના કરી છે. છતાં ઘણા ઘણા સ્થળોએ કથાને થોડો ઘાટ આપી ખૂબ રોચક અને સુંદર બનાવી છે. ઘણા સ્થળોએ વર્ણનો પણ ખૂબ સુંદર કર્યા છે...
૧૦) વિબુધ્ધવિજયજી કૃત મંગલકલશ રાસા
* ૪ ખંડ, ૪૪ ઢાળ, કુલ કડી-૬૬૬ પ્રમાણ આ રાસની રચના વિક્રમ સંવત્ ૧૭૩૦ આણંદપુર નગરે શરૂ થઈ અને વિક્રમ સંવત્ ૧૭૩૨ મહા સુદ બીજ, બુધવારે સિદ્ધપુરમાં પૂર્ણ થઈ.
આ અકબર પ્રતિબોધક તપાગચ્છીય આચાર્ય દેવ શ્રી હીરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય વિજય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org