________________
46
કૃતિ દર્શના વિ.સં. ૧૭૧૯, મહા સુદ-૧૧ના દિવસે કાકંદી નગરમાં કરી છે.
જ એક વિજયરત્નસૂરિજી (જન્મ વિ. સં. ૧૭૧૧) વિજયપ્રભસૂરિજીની પાટે થયા તેમની આચાર્ય પદવી વિ.સં. ૧૭૩૨માં થઈ છે. વિ.સં. ૧૭૧૯માં રચાયેલી પ્રસ્તુત ચોપાઈમાં વિજયરત્નજીનો સૂરિ તરીકે ઉલ્લેખ કર્યો છે. માટે આ બન્ને વિજયરત્નસૂરિજી જુદા હશે. કવિશ્રી લક્ષ્મીહર્ષજીના જીવન વિશે કે તેમની અન્ય રચનાઓ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
પ્રસ્તુત કૃતિમાં કવિશ્રીએ “મંગલકલશની ચોપી ઈહાં' [૬૧૦] આવો ઉલ્લેખ કર્યો છે. માટે તેમને રચના “ચોપાઈ' જ અભીષ્ટ છે. અહીં ચોપાઈને છંદ તરીકે ન સમજીએ પરંતુ “ચાર પદ વાળી રચના'ના અર્થમાં સમજીએ. આમ તો ચોપાઈ શબ્દ પણ પાછળથી “રાસ'ના અર્થમાં પ્રચલિત થયો છે.
આ કથાનકને વધુ રસિક બનાવવા ઉમેરેલા સંવાદો એ પ્રસ્તુત ચોપાઈની આગવી વિશિષ્ટતા છે. * મંગલકલશને બાગમાં લઈ જવા સમયે પિતા-પુત્ર વચ્ચેનો સંવાદ‘કિહાં પધારો? તાતજી!, મુઝને કહો તુમે તેવ; સેઠ કહે બાગે જઈ, ફુલ આણમ્યું એહ. [૬૮] હું પિણ સાથે આવશું, બાગ જોએવા કોડ; કહે સેઠ બાગે ગયો, તું મતિ કરયે હોડ. [૬૯] હું ગરઢો તું નાનડો, થાકો થાસી તામ; કડીયા ઉપડસી નહિ, મત આડો કરવે કામ.” [૭૦]
અહીં બાળકની હઠ અને પિતાની લાગણી સભર શરતો મૂકીને કવિશ્રીએ કથાઘટક ખૂબ જ રસિક અને જીવંત બનાવ્યું છે.
* મંગલકલશ સુબુદ્ધિ મંત્રીના ઘરે પહોંચે છે ત્યારેમુહતો લેઈ ઉછરંગમે રે, બેસાડ્યો સસનેહ; મુહતી પિણ આવિ કહે રે, બેટા! મોડો ક્યું આવ્યો ગેહરે? [૧૩૬] બહેન કહે જાવુ ભામણા રે, માહરા વંછીત ફલીયા આજ રે; મુખ દીઠાં સુખ ઊપનો રે, આજ આયો પીતા ઘર રાજ રે.” [૧૩૭]
બીજા બધા જ રચનાકારોથી અલગ પડી કવિશ્રીએ સુબુદ્ધિમંત્રીની પત્ની અને દીકરીનું પાત્ર ઉમેરીને મંત્રીની લુચ્ચાઈને વધુ સ્પષ્ટ બનાવી છે.
* રાણી ગુણાવલી પુત્રી નૈલોક્યસુંદરીને જ્યારે સાસરે વળાવે છે, ત્યારે માતાએ આપેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org