________________
શ્રી મંગલકલશ રાસમાલા
મધુરું ગાન ચિત્ત રંજિત કરે છે.
જિનહર્ષજીએ વ્યવહારુ દ્રષ્ટિથી પ્રસંગોનાં વર્ણન કર્યા છે. વર્ષોની ઝંખના પછી આવેલા પુત્રને માતા કેવા આનંદથી રમાડે? તેનુ વર્ણન ‘ઢાલ-૩’માં મળે. અતિશય વહાલા પુત્રનો આકસ્મિક વિયોગ માતાને કેવી દુ:ખી કરે? તેનું કરૂણ વર્ણન ‘ઢાલ-૮’માં મળે. તો વિયોગ પામેલા પુત્રના એકાએક થતાં મિલનથી ફરી થતો આનંદ કેવો અદ્ભુત હોય તેનો પરિચય ૧૨મી ઢાળ આપે છે. ૧૮મી ઢાળમાં વીરતા ભર્યું યુદ્ધનું વર્ણન કરી ૧૯મી ઢાળમાં મુનિની વૈરાગ્ય નીતરતી દેશના મૂકી છે. એક જ વિષય વસ્તુ પર ઢાળ વિભાજન કરવાની એમની દ્રષ્ટિ પ્રશંસનીય છે.
45
ક ભલે પ્રસ્તુત રાસમાં કાવ્ય ગૌણ બન્યું છે, છતાં સંવાદાત્મક વલણથી કરેલું કથા નિરૂપણ વાચકનાં હૈયામાં કથા પરત્વે રસ ઊભો કરે છે.
ભાષા અંગે વિચારીએ તો કવિશ્રીએ ‘એ’કારને બદલે ‘એ’કારની પ્રધાનતા રાખી છે. આના માટે એક જ દ્રષ્ટાંત પૂરતું છે.
‘પગે લાગિ નિજ તાતને, કલાચાર્યને પાસ;
મંગલકલશ સજીઈ કરી, કરે શાસ્ત્ર અભ્યાસ.' ૨૪૨
* ક્રિયાપદોમાં જ્યાં એકાર નથી કર્યો ત્યાં ‘એ’ પર અનુસ્વાર મૂક્યો છે. રહેં, કરે વગેરે... × ‘સ્થ’નો ‘સ્ત’ કરવાનો પ્રયોગ ધ્યાન ખેંચે છે.
અવસ્થા > અવસ્તા, સુસ્થિત > સુતિ વગેરે.
* કવિશ્રી મૂળ રાજસ્થાનના હોવાથી કોઈ-કોઈ સ્થળોએ રાજસ્થાની ભાષાની છાંટ આવી ગઈ છે.
‘થઈ પણ દીઠોથો,’ ‘લે આયો,’ ‘ઈણ નગરીરો નામ સ્યું?’ વગેરે.
જિનહર્ષજી કથા ઘટકોની દ્રષ્ટિએ સંપૂર્ણપણે અજિતપ્રભસૂરિજીને જ અનુસર્યા હોવાથી અહીં કથાઘટકોમાં પરિવર્તન આપ્યું નથી.
૯) લક્ષ્મીહર્ષજી કૃત મંગલકલશ ચોપાઈ
તપાગચ્છીય ગચ્છાધિપતિ શ્રી વિજયરત્નસૂરિના રાજ્યમાં તેમના શિષ્ય નિત્યહર્ષજીના શિષ્ય લક્ષ્મીહર્ષજીએ ૨૭ ઢાળ અને કુલ ૬૧૮ કડી પ્રમાણ આ મંગલકલશ ચોપાઈની રચના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org