________________
44
કૃતિ દર્શન
પરનાળમાંથી પાણી પડે તેમ નયનોમાંથી હર્ષાશ્રુઓ ઝરવા લાગ્યાં. કે “હરખ લહે દરસણ નિરખ, જિમ રવિ દરસણ કોક.” [૨૩૯]. સૂર્યના દર્શનથી જેમ ચક્રવાક હર્ષિત થાય તેમ મંગલકલશના દર્શનથી લોકો હર્ષિત થાય છે. કે ‘વેરસિંહ તિહાં રાજાન, વૈરી મહામૃગ સિંહ સમાન.” [૧૩] વૈરસિંહ રાજવી એટલે જાણે વેરી(શત્રુ) રૂપી મૃગલીયાઓ માટે સિંહ. જ “મુખ કમલાણો કમલમ્પ, લાગી દુઃખ તપ ઝાલ.” [૨૪]
તાપની ઝાળ લાગે તો કમલ કરમાઈ જાય, દુઃખની ઝાળ લાગી ને (ધનદત્તનું મુખ કરમાઈ ગયું! આ બન્ને પંક્તિઓમાં ઉપમા અને રૂપકના શંકર અલંકારનું સરસ પ્રદર્શન છે.
“કામણ ગૈલોક્યસુંદરી, મંગલકલસ ભરતાર; જોડી જુડી સૈ હથે, જાણે સિરજણહાર.” [૩૬૯]
મંગલકલશ અને ગૈલોક્યસુંદરીની જોડી જાણે સર્જનહારે પોતાના હાથે સર્જી છે. અહીં ઉન્મેલાએ વર-વધૂની સુંદરતાને ચાર ચાંદ લગાવી દીધા.
જ “ભણીયા વિણ વણિયા કિસા?, પ્રજા વિના શ્યો રજ્જ?; સરવર જલ વિણ તરુ કિસો?, લજ્જ વિના સ્યો કજ્જ?.' [૬૫]
મંગલકલશને ભણવા માટે મોકલવા શેઠ-શેઠાણી વિચારે છે કે ‘ભણ્યા વગર તો વ્યાપાર કેવી રીતે કરી શકશે?' આ વિચારને સમર્થ બનાવવા બીજા ત્રણ દષ્ટાંતો આપ્યા છે. પ્રજા વિના રાજ્ય, સરોવરના પાણી વિના વૃક્ષ અને લજ્જા વિના કાર્ય કઈ રીતે સંભવે?
યા દેવીએ મંગલકલશને ઉપાડી એક નગર બહાર મૂક્યો ત્યારે વડ નીચે બેસી તે વિચાર કરે છે તેટલામાં સૂર્ય અસ્ત પામ્યો
તિણ અવસરિ રવિ આથમ્યો, દેખિ અવસ્તા તાસ; પરદુખ નયણે દેખિને, ઉત્તમ હોય ઉદાસ.” [૧૩૮].
જાણે મંગલકલશની તે અવસ્થા જોઈને સૂર્ય આથમી ગયો.” અહીં કવિએ નિદર્શના અલંકારનો સુંદર પ્રયોગ કર્યો - ‘ઉત્તમ પુરુષો બીજાનું દુઃખ જોઈને ઉદાસ થઈ જાય છે.”
જ ‘તેહને પાપતિ કોટ દુરંગ, ઊંચલ જાણે પરવત શૃંગ; ઇંદ્રતણે દલ ન ભિલે જેહ, માનવી એ કિમ લીજૈ તેહ.” [૯] ઉજ્જૈનીનો કોટ એટલો મજબૂત છે કે ઈન્દ્રનું સૈન્ય પણ તેને ભેદીન શકે. અહીં અતિશયોક્તિનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org