SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મંગલકલશ રાસમાલા આ ૮) જિનહર્ષજી કૃત મંગલકલશ ચોપાઈ જ વિ.સં. ૧૭૧૪, શ્રાવણ વદ-૯ ગુરુવારના દિવસે પ્રસ્તુત ચોપાઈની રચના થઈ છે. તેના કર્તા ખરતરગચ્છની મશાખાના ગુણવર્ધન વાચક> શ્રીસોમવાચકશાંતિ હર્ષવાચકના શિષ્ય જિનહર્ષજી છે. જ તેઓ સરળ અને રસાળ કાવ્ય રચનાઓ દ્વારા જૈન સમાજમાં સુખ્યાત અને લોકલાડીલા કવિ છે. તેઓને “જૈન પરંપરાના શામળ' તરીકે ઓળખવામાં આવે છે. તેમણે વીશી, ચોવીસી, પચ્ચીશી, છત્રીશી, સવૈયા, સજઝાય, સ્તવન, રાસ, ચોપાઈ, ચરિત્ર આદિ કાવ્ય પ્રકારોમાં ગુજરાતી અને રાજસ્થાની ભાષામાં વિશાળ સાહિત્યની રચના કરી છે. જ કુલ ૪૨૧ કડી અને ૨૧ ઢાળમાં રચાયેલ આ ચોપાઈ (=રાસ)માં ઢાલ-૧ અને ૧૨ના અપવાદને બાદ કરતા દરેક ઢાળને અંતે કવિશ્રીએ ઉપયુક્ત દેશી અને રાગના નામોને વણી લીધા છે, જે આ ચોપાઈની આગવી વિશિષ્ટતા છે. અહીં “ચોપાઈ” છંદમાં માત્ર પ્રથમ ઢાળ જ છે. બાકીની બધી ઢાળો દેશીઓ કે રાગમાં છે. તેમ છતાં પુષ્પિકામાં ‘મંગલકલશ ચોપાઈ' કહ્યું છે. માટે, અહીં ચોપાઈ' શબ્દ રાસને બદલે રૂઢ અર્થમાં વપરાયેલો જણાય છે. અહીં માત્ર કથાવર્ણન જ મુખ્ય બનવાને લીધે કાવ્યત્વ ગૌણ રહ્યું છે. છતાં પ્રસિદ્ધ કવિના હાથે ઉતરેલી કથા એકાંતે કાવ્યત્વ વિહોણી હોય, એવું તો ન જ બને. જિનહર્ષજીએ કથા સાથે પીરસેલી કાવ્ય પ્રસાદી માણીએ. ઉપમા અલંકાર મંડિત કેટલીક પંક્તિઓઃ છે “કુમરી હંસી સારિખી, કોઢી કાગ સમાન; દેખો સોચ વિચારને, જોડી ન જુડે માન.” ૨ [૧૭૫] રૈલોક્યસુંદરી રાજકુમારી હંસલી જેવી (રૂપવાનો છે અને કોઢી મંત્રીપુત્ર કાગડા જેવો (કુરૂપ) છે. કે “હરખતણા આંસૂ પડ્યા એ, ક્યું પાણી પરનાલ.” [૨૨૫] ૧. શ્રી જિનહર્ષજીના જીવન વિશે ખાસ કોઈ પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત થતી નથી. છતાં તેમની રચનાઓનું અવલોકન કરતાં એટલું તો ચોક્કસ જણાય છે કે તેઓશ્રી વિ.સં. ૧૭૩૫ સુધી રાજસ્થાનમાં રહ્યાં હતા અને ત્યાર પછી ૧૭૬૩ સુધી ગુજરાતમાં અને ખાસ તો પાટણમાં રહ્યા. અંતિમ અવસ્થામાં વ્યાધિને કારણે તપાગચ્છીય શ્રી વૃદ્ધિવિજયજીએ તેઓશ્રીની સેવા-સુશ્રુષા કરી, પ્રાયઃ સંવત ૧૭૭૯(?)માં પાટણમાં કાળધર્મ પામ્યા. પોતે ખરતરગચ્છીય હોવા છતાં તપાગચ્છીય - ક્રિયોદ્ધારક શ્રી સત્યવિજય પંન્યાસજીના જીવન પર રચેલો રાસ કવિશ્રીની ઉદાર ગુણદ્રષ્ટિનો પરિચય આપે છે. શત્રુંજય મહામ્ય રાસ (કડી - ૬૪૫૦) ઉપમિતિ ભવ પ્રપંચા રાસ (કડી-૨૯૭૪) કુમારપાલ રાસ (કડી - ૨૮૭૬), શ્રીપાલ રાસ (ઢાલ-૪૯) વીશસ્થાનક રાસ (કડી - ૩૨૮૭) મહાબલ-મલયાસુંદરી રાસ (૩૦૦૬) આદિ તેમની દીર્ઘ અને મહત્ત્વપૂર્ણ રચનાઓ છે. કવિશ્રીના જીવનકાળની કુલ રચનાનો સરવાળો પ્રાયઃ એક લાખ શ્લોક પ્રમાણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy