________________
414
* જિનહર્ષજી કૃતા
દૂહા
રાયસુતા સુત માહરો, પરણ્યા અધિક સનેહ; તા પાછલિ હુએ નિકો, મહારાજ! સુણ લેહ.
૧ [૫૯]. સુત સોભાગી માહરો, વિદ્યા કલા નિધાન; થઈ પિણ પરણી જતાં, દીઠોથો રાજાન..
૨ [૬૦] હિવે તે કોઢી થયો, રોગ પ્રસ્તિ સરીર; રાજ! કહો સ્યુ કીનીયે?, તિણ મુઝ મન દિલગીર'. ૩ [૨૬૧] સાંભલિ રાજા ચિંતવે, પુત્રી દુષણ એહ; તેહના અંગ પ્રભાવથી, રોગી હુવો જેહ.
૪ [૨૬૨] આપ કમાયા જે કરમ, પરભવ એણે જીવ; સહુ કોઈ તિણ કરમના, ફલ ભોગવે સદીવ.
૫ [૨૬] તો પિણ સુખ-દુખ જિણ હુંતી, લાભે લોક મઝાર; કિહિવો તિણહિ જ ગુણ-અગુણ, એહ અછે વ્યવહાર. ૬ [૨૬૪] નૃપતિ કહે “મંત્રી! નિસુણિ, જો સુત કોઢી તુઝ; દાસી કરિ અપમાન દે, પુત્રી રાખસ મુઝ.'
૭ [૨૬૫] સચિવ કહે “પ્રભુ! સાંભલી, મ કરી ઇવડો રોસ; દોસ માહરા કરમનો, કન્યાની સ્ત્રી દોસ?”.
૮ [૨૬૬] ઢાલ - ૧૪, ભાવન નીબીયારી મૈ છે- એ દેશી.
મુહતો ઊઠી નિજ મંદિર ગયો રે, મન ભાંગી નરનાથી રે; દશવિધિ પ્રાણ થકી વાલહી હુતી રે, કીધી તેહ અનાથો રે. ૧ [૬૭] આપ કીયા ફલ ભોગવિ જીવડા રે, કિણહી મ દેઈ દોસો રે;
મનને સમઝાવૈ ઈમ કુમરી રે, મ કરે કિણસું રોસો રે. ૨ આપ૦ [૨૬૮]. ૧. તમે. ૨. પરણતા=લગ્નસમયે. ૩. જોયો હતો. ૪. પાઠા ચરણ કરણ મુનિવર વંદીઓઈ- એહની/અરણક મુનિવર ચાલ્યા ગોચરી- એ દેશી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org