________________
શ્રી મંગલકલશ રાસમાલા
મંગલકલશનો જન્મ થયા પછી તેની વૃદ્ધિને માલોપમાથી બિરદાવી છે.
‘રોહણિ – ગિરિવર - સીસ, રતન જેમ નિત વાધઈ; કલ્પવૃક્ષ અંકુર, નંદનવન જિમ લાધઈ. ૫૨
વંધ્યા અટવીમાહિ, મયગલ જેમ નિરંતર; તિમ ધનદત્ત ઘરિ પુત્ર, વૃદ્ધિ લહઈ તનુ સુંદર.' ૫૩
‘ચૂની જ્યું હેમઈ જરી, સોભા લાભઈ સારી રે; નાગરવેલીકે પાને, નીકી જેમ સોપારી રે. ૭૦
અહીં મંગલકલશને રત્નની ઉપમા આપી તેને કિંમતિ દર્શાવવાની સાથે કલ્પવૃક્ષના અંકુરની ઉપમા દ્વારા તેની સુકોમળતા અને વિંધ્યાટવીના મદગજની ઉપમા દ્વારા તેની નિર્ભીકતા દર્શાવી છે. રાજા ગુણસુંદર પોતાની રાણી ગુણસુંદરીને ત્રૈલોક્યસુંદરીના લગ્ન માટે પૂછે છે ત્યારે પણ ઉપમાની હારમાળા પ્રસ્તુત થઈ છે.
જ્યોતિ ચંદ્રસ્યું જ્યું ભેલી, વાધઈ અધિકી વાનઈ રે; કન્યા તિમ રુડઈ વરઈ, દીજઈ તઉ મન માનઈ રે.’ ૭૧
‘જિમ અભ્યાસ કરી વિદ્યા, બુદ્ધિવંતનઈ આવઈ રે; ખડગ બલઈ ક્ષિત્રી સૂરઉ, જેમ મેદિની પાવઈ રે. ૧૦૦
સુબુદ્ધિ મંત્રી કુલદેવીની આરાધના કરી તેને પ્રગટ કરે છે એ પ્રસંગને કવિશ્રી અનેક ઉપમાઓથી મઢે છે.
સાહસ મનમાહિ જે કરઈ, તાસુ સિદ્ધ બહુતેરી રે;
તપ બલ દેવી-દેવતા, તિમ આણઈ નર ઘેરી રે.’ ૧૦૧
177
27
Jain Education International
આમ, કવિશ્રીએ રાસના આંગણને માલોપમાની માલાઓ દ્વારા સુશોભન કરી વાચકોનું જાણે અભિવાદન કર્યું છે.
કેટલીક મનમોહક ઉપમાઓનો આસ્વાદ માણીએ.
‘રત્ન ખાનિ જિમ રયણ, સેઠિણ સુત સબ જાયા.’ ૪૬
રત્નખાણમાંથી જેમ રત્ન ઉત્પન્ન થાય તેમ શેઠાણીએ પુત્રને જન્મ આપ્યો.
‘સેઠ ધરઈ સંતોષ, દેખી સુતનઈ દીપતઉ;
પંડઈ સુંદર પોસ, સસધર જ્યું દેખી સમુદ્ર.’ ૫૧
For Personal & Private Use Only
www.jainelibrary.org