________________
કે કૃતિ દર્શના
પ્રિય હશે.
ધનદત્ત શ્રેષ્ઠી પોતાને એક પણ સંતાન ન હોવાને કારણે દુઃખી થઈ ગયા છે. ત્યારે તેમની વિચારમાસામાં માલોપમાની સુંદર ગૂંથણી થઈ છે.
“એક દિવસ નિસિશેષ, સૂતઉ સેઠ વિમાસઈ; ફૂલ જિસઉ આકાસિ, સુત વિણ ધન મુઝ પાસઈ. ૨૨ દેવભવન ઉતંગ, દેવ વિના જિમ સૂનઉ; સામિ ભલા વિણ સૈન્ય, બહુત મિલ્યઉ જિમ ઊનઉ. ૨૩ મોતી મોટઉ હોઈ, તેજ વિના જિમ હની; પુત્ર વિના કુલ તેમ, દીસઈ અતિ ઘણ દીનઉ. ૨૪ તરુવર ફલ વિણ જેહવી, જલ વિણ જેમ તલાવ; સુત વિહિણ હું એહવઉં, દાન વિના જિમ ભાવ. ૨૫ ચીંતાસાગર ઝીલતઉ, દેખી બોલઈ નારિ; કર જોડી ઇમ વિનવઈ, પ્રાણનાથ! અવધારી.” ૨૬
ધનદત શ્રેષ્ઠીને ચિંતિત જોઈને સત્યભામાં ચિંતાનું કારણ પૂછે છે ત્યારે પણ માલોપમા સરસ પ્રયોજાઈ છે.
પ્રાત સમઈ સસિ મંડલઉ, જેમ કુમુદ કુમલાય; તિમ મુખ સામી! તાહરઉં, કિણિ કારણિ વિછાય? ૨૭ ચૂકઈ જેહવઉ ફાલ, વિર્યઉ દીસઈ દ્વીપી; હાથી સુંદર દેહ, દંતવિહિણ વિરુપી. ૨૮ ઉદ્યમ વિણ ગતમંત, તંત્ર વિના જિમ યોગી; નિજ પદવી વિપરીત, દીસઈ જેમ નિયોગી.” ૨૯
પોતાની ચિંતાનું કારણ દર્શાવતા ધનદત્ત શ્રેષ્ઠીના મુખમાં પણ કવિશ્રીએ માલોપમાના તંબોલ મૂક્યા છે.
“ચંદ્ર વિના ક્યું રાતિ, અતિઘણ દીસઈ ભૂંડી; વિણ પાણી ક્યું વાવિ, કામ કિસાની ઊંડી?. ૩૨ ફલ વિણ જયસી દેખિ, ઊંચી જઈ હુઈ વલ્લી; તિમ તું સુંદર રુપ, પુત્ર વિના નહુ ભલ્લી.” ૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org