________________
શ્રી મંગલકલશ રાસમાલા રોડ
25
૩) સિંહ સામંતને સૈલોક્યસુંદરીના મામા દર્શાવ્યા છે (૧૦૩) ૪) સખીને આળ દેવાની વાત થોડી જુદી રીતે રજૂ થઈ છે. સખી ભદ્રા કહે છે “મારો પતિ ધર્માર્થે
કોટિ ધન ખર્ચે છે.” શ્રીદેવી (રૈલોક્યસુંદરીનો પૂર્વભવ) કહે છે. “તે શું ધન ખરચવાનો? તારી સંગતે તો તે કોઢી થયો છે.” (૧૪૮-૧૪૯) અહીં આ વાર્તાલાપ દ્વારા શ્રીદેવીની સખીના ઉત્કર્ષ પ્રત્યેની ઈર્ષા દર્શાવાઈ છે.
વ) ગુણવંદનજી કૃત મંગલકલશ રાસ જ ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિજી (સં. ૧૫૯૫થી ૧૬૭૦)ના રાજ્યમાં વડશાખા વિસ્તારક સાગરચંદ્રસૂરિજી > જ્ઞાનપ્રમોદગણિજીના શિષ્ય ગુણનંદનજીએ ૧૧ ઢાલ, ૩૩૬ કડી પ્રમાણ પ્રસ્તુત રાસની રચના વિ.સં. ૧૬૬૫, કારતક સુદ-૫, સોમવારના દિવસે કરી છે.
કવિશ્રીના જીવન-કવન વિશે અન્ય કોઈ માહિતી પ્રાપ્ત નથી. જ રાસમાં કવિશ્રીએ રચના વિષયક ઉલ્લેખ બે સ્થળે કર્યો છે. સોલમ જિનવરનઉ ચિરી, દ્વાદશ ભાવ સંબંધ; અનુસારઈ તેહનઈ રચ્યું, મંગલકલશ પ્રબંધ.” ૩૩૦ ચરિય કહઈ મંગલતણ૩, હર્ષ ધરી નિસદીસ.” ૩૩૫
આ પરથી એમ લાગે કે કવિશ્રીને રચના કરતી વેળાએ “પ્રબંધ' કે “ચરિત’ અભીષ્ટ હોય, પરંતુ અહીં રચનાની દ્રષ્ટિએ પુષ્પિકાના “રાસ' ઉલ્લેખને મુખ્ય બનાવ્યો છે.
જ ગુણનર્દનજીએ પ્રસ્તુત કથાનક દાનધર્મના મહિમા ઉપરાંત ખોટી આળ દેવા પર નિરૂપ્યું છે. સાથે કથામાં અંતે શીલધર્મનો મહિમા પણ ગાયો છે. જેને કારણે કથાનક થોડુ લંબાયું છે. દાનધર્મનો સંબંધ કથાનાયક મંગલકલશ સાથે છે. જ્યારે ખોટી આળ દેવા’નો સંબંધ કથાનાયકની સ્ત્રી રૈલોક્યસુંદરી સાથે છે. તથા શીલધર્મનો સંબંધ કવિશ્રીએ બન્નેના પૂર્વભવ સોમચંદ્ર વણિક અને પત્ની શ્રીમતીના જીવન સાથે દર્શાવ્યો છે. આ રીતે વિષય નિરૂપણમાં કવિશ્રી સર્વથી જુદા જ તરી આવે છે.
આ કવિશ્રીએ કાવ્ય-મંદિરના ઝરૂખે-ઝરૂખે અલંકારોના મનોહર તોરણો બાંધ્યા છે. જેના દ્વારા એ મંદિરની શોભા અતિશય અભિવૃદ્ધિ પામી છે. કવિશ્રીની કેટલીક કાવ્ય પ્રસાદી માણીએ...
જ રાસમાં પ્રયોજેલી ભરપૂર ઉપમાઓ જોતાં એવું લાગે કે કવિશ્રીને ઉપમા અલંકાર સવિશેષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org