________________
24
કૃતિ દર્શના
“ફાગ' એ ગુર્જર સાહિત્યનો પ્રાચીન કાવ્ય પ્રકાર છે. સંવત ૧૩૪૧થી ૧૯મા સૈકા સુધી રચાયેલ ફાગ એ વસંતવર્ણનને મુખ્ય બનાવીને રચાતો લઘુ કાવ્ય પ્રકાર છે. પૂજ્ય હેમચંદ્રસૂરિજીએ દેશીનામમાલા (૬.૮૨)માં “ફગૂનો અર્થ ‘વસંતોત્સવ’ આપ્યો છે. એના પરથી જ આ ‘ફાગ' કાવ્ય પ્રકાર બન્યો હોવાનું અનુમાન થાય છે.
“ફાગલઘુકાવ્ય સ્વરૂપ અને સાથે વસંતોત્સવ વર્ણનાત્મક હોવાથી તેમાં કથા-નિરૂપણ ગૌણ રહે છે. તેમ છતાં પ્રસ્તુત કૃતિમાં મંગલકલશ કથાને માત્ર ૧૬૫ કડીમાં આવરી લેવામાં આવી છે. જો કે બીજા ફાગુઓ કરતાં આ ફાગ દીર્ઘ કાવ્ય છે તથા વસંતવર્ણનને પણ અહીં અવકાશ મળ્યો નથી. આથી અને છંદો રચના આદિની દ્રષ્ટિએ ફાગ કરતાં તે પ્રબંધ કે ચરિત હોઈ શકે. પ્રથમ પદ્યખંડના શીર્ષકમાં “ફાગનો ઉલ્લેખ મળે છે તેમ બીજી હસ્તપ્રતમાં “ઢાલ - અઢીયાની' એવો પણ પાઠ મળે છે. પરંતુ પુષ્પિકાઓમાં “ફાગ” તરીકે જ નિર્દેશ છે અને કવિશ્રીએ પોતે પણ “ફાગ” શબ્દ પ્રયોગ કર્યો હોવાથી અહીં પણ તેનો “ફાગ” તરીકે નિર્દેશ કર્યો છે.
પ્રસ્તુત કૃતિ ખૂબ ટૂંકાણમાં રચાયેલી હોવાથી તેમાં કોઈ પણ પ્રકારના વર્ણનોની પ્રસ્તુતિ થઈ શકી નથી. કેટલાક સ્થળોએ સામાન્ય ઉપમા કે ઉલ્ટેક્ષાઓ કવિશ્રીએ મૂકી છે. તે સિવાય અલંકારોની પણ ગૌણતા જ રહી છે. છતાં ટૂંકાણમાં કથા નિરૂપણ એ પ્રસ્તુત કૃતિની આગવી વિશેષતા છે.
ભાષાની દ્રષ્ટિએ જોઈએ તો કવિશ્રીની ભાષામાં ક્રિયાપદોના એક વચનમાં “ઉ” કારની પ્રધાનતા છે. જેમ કે - રઘઉ, કર્યઉં, ધાવીયલ, સુણઉ વગેરે.
તેમજ સ્વરમધ્ય “ન' કારનો ‘ણ કાર પણ જોવા મળે છે. જેમ કે શાસન = સાસણ, સ્વામિની = સામિણી, ઉજ્જૈની = ઉજેણી, દેશના = દેસણા વગેરે.
કવિશ્રીએ કેટલાક સ્થળોએ સમાસો પણ પ્રયોજ્યા છે. “દયા-દાન-સનમાન-ભલી “શ્રાવકગુણ-જુત્તઉં,” “કોકિલા-વાણિ’, ‘કુષ્ટ-રોગ-દુષિત” વગેરે...
એક સ્થળે કવિશ્રીએ વિશિષ્ટ રીતે કૃદન્ત પ્રયોજ્યું છે. પથિ ભય-તૃષિત સરોવર), કરિ અમૃત-જલ-પાન.” ૪૯ અહીં ‘ભીત’ એ કર્મણિ ભૂત કૃદન્ત ને બદલે તેના અર્થમાં “ભય” એવો ભાવવાચક શબ્દ વાપર્યો છે. જો કે ગુજરાતીમાં આવા પ્રયોગ ક્યાંક ક્યાંક પ્રયોજાયેલા જોવા મળે છે.
કથા ઘટકોમાં પરિવર્તન ૧) લગ્ન સમયે રાજાએ જમાઈ (મંગલકલશ)ને અશ્વોની સાથે સોનાની થાળી પણ આપી. (૬૬) ૨) નૈલોક્યસુંદરી પર કલંક આવ્યા પછી તે માતાના મહેલમાં જ એક બાજુ પડી રહે છે. (૯૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org