________________
* કૃતિ દર્શન ચંદ્રને જોઈ સમુદ્રમાં ભરતી આવે તેમ પુત્રને ક્ષેમકુશળ જોઈને ધનદ શેઠનું શરીર ભરાવદાર
બન્યું.
# “ગુણસુંદર રાજા તિ, સુંદર રૂપ સરીરો રે; રાજધૂરા રુડી વઈ, સબલ વૃષભ સમ ધીરો રે.” ૬૫
બળવાન વૃષભની જેમ ગુણસુંદર રાજા રાજ્યધૂરાને વહન કરે છે. અહીં ઉપમા દ્વારા રાજાનું સામર્થ્ય પ્રબળ દર્શાવાયું છે.
કે “તઉ એહવું હોવઈ સહી, ખંડ ભિલી ક્યું ખીરઈ રે; વિહસ્યઈ નીપ કુસમ ભલઉં, મેઘતણઈ ક્યું નીરઈ રે.” ૮૨
રાજપુત્રી સાથે મંત્રીપુત્રના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારવાનું રાજા મંત્રીને કહે છે. ત્યારે રાજા જણાવે છે કે જો તું વાત સ્વીકારી લે તો તો ખીરમાં ખાંડ ભળી ને મેઘ વૃષ્ટિથી કદંબ પુષ્પ વિકસિત થઈ ગયું.
“રાજ-આણ અવિધાન, સસ્ત્ર વિના મારણ સરિસ.” ૯૦ રાજ-આજ્ઞાનું પાલન ન કરવું એટલે શસ્ત્ર વિનાનું મૃત્યું. # “જિમ ઓટાલ રહઈ પડ્યઉં, યૂથ ભ્રષ્ટ મૃગ સાવો રે; દીસઈ તબ એ એહવઉં, ન કહઈ કો તસુ આવો રે.” ૧૨૨
મૃગલિયાનું બચ્યું જેમ યૂથથી છૂટું પડીને ઝાડીમાં રહ્યું હોય તેમ મંગલકલશ પરિવારથી છૂટો પડી ચંપાપુરીની બહાર એકલો અટૂલો ફરે છે.
કે “પ્રીતિ સરોવર ઝીલતા, દક્ષસૂતા જિમ ચંદ.” ૧૬૦ રોહિણી અને ચંદ્રની જેમ સૈલોક્યસુંદરી અને મંગલકલશ પ્રીતિ-સરોવરમાં આનંદ માણે છે. કે “કુંભ જેમ મદ સંગમ વિણસઈ, વિપ્ર સ્વપાકી સંગ તિસ્યઉ;
તિમ તુઝ કુમારી થકી મુઝ નંદન, દૂય કુષ્ટી અંગ ઈસઉ.” ૨૨૦ મંત્રી રાજાને કહે છે. -ઘડો જેમ મઘના સંગે વિણસી જાય, બ્રાહ્મણ ચંડાળણીના સંગે વિણસી જાય તેમ મારો પુત્ર રાજપુત્રીના સંગે વિણસી ગયો.
{ “કો નર માલથકી પડઈ?, ઊપરિ યષ્ટિ પ્રહાર લલના; માત-પિતા તિમ છઈ કુપ્યા, હિવ કુણ કરસ્યઈ સાર? લલના.” ૨પર કોઈ માળ ઉપરથી પડે અને ઉપર લાકડીના પ્રહારો પડે તેમ માતા-પિતાએ મને (રૈલોક્યસુંદરીને)
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org