________________
જ કૃતિ દર્શન
લાગે? તે કવિ અનેક દૃષ્ટાંતો આપીને સમજાવે છે.
કાંચ અને માણેકના કે દૂધમાં મદિરાના મેળ જેવી, ગર્દભના ગળે સુવર્ણની સાંકળ જેવી, કસ્તુરી અને લસણના મિશ્રણ જેવી વિષવૃક્ષ પર વીંટળાયેલી કલ્પવલ્લી જેવી, બાવળતળે ઉગેલી કેળ જેવી, અંધના ગળે હાર જેવી, કાગળાના ઘરે હંસલી જેવી!
સુંદર વર્ણાનુપ્રાસો કાવ્યત્વને વધુ સુશોભિત બનાવે છે. ‘કલ-કલ કરઈ કુરલ કલહંસ, શતદલ કમલ વિમલ જલ અંસ. વલ્લાહ વિરહ વિયાકુલી, વિરહિણિ વારઈ વાર.” ભંભર ભોલી ભામિણી, રુપિઈ રુઅડી રંભ.” વગેરે...
જ દેવી મંગલકલશનું અપહરણ કરીને તેને જંગલમાં મૂકે છે, ત્યારનું જંગલનું વર્ણન ભયરસ ઉત્પન્ન કરે છે.
‘ચિહું દિસિ દાવાનલ પરજલઈ, સૂઅર સંબર સવિ ખલભલઈ; ઘુરહરતા જિહિં આવઈ રીંછા, જાણે યમાહ તણા એ ભીંછા. ૧૫ [૨૪]. મંડઈ ફિરિ-ફિરિ તિહાં ફેક્કાર, વાઘ-સિંહ-ચિત્રક હુંકાર; વિલસઈ ભૂત જિમ્યા યમદૂત, ઈસી અડવી સો કુમર પહૂત.” ૧૬ [૨૫] જ વિરહ-વ્યથાથી વ્યાકુળ થયેલી ગૈલોક્યસુંદરીનો વિલાપ કરૂણરસની અનુભૂતિ કરાવે છે. સામી! સુલલિત સંભર, ઉમાહુ અન્ડ અંગિ; જાણુ જઈ ઉડી મિલઉં, એકલડી ત૭ નારિ. ૨ [૮૮] લીલ વિલાસ ન ઠંડીઈ, નેહ ન કીજઈ છેડા; સરીરતણી જિમ છાંહડી, જાસિઈ જિમણી બાંહ. ૩ [૮] ચંદ્ર દહઈ મુઝ દેહડી, ચંદન જિમ અંગારું; વરસ પ્રમાણા દીહડા, કિમઈ નિસિ ન વિહાઈ. ૪ [૯]. બલિ કીજલ તુઝ દેહડી, ભામણડાં ભરતાર; મરું-મરું તુઝ વયણલાં, લુંછણડાં નયણાંક. ૫ [૬૧] સઉણાની પરિ સાંભલું, ચિંતામણિ કિર આજ; રયણિ કિર રવિ ઉગમિલ, અમિઅ ભરિઉ છઈ કુંભ. ૬ [૨] તેહ જિ એ વર બોલીઈ, તેહ જિ મુઝ માવત્ર; હાલાહલ હેલાં હુઆ, વલ્લહ તણઈ વિયોગિ.”૭ [૩]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org