________________
કૃતિ દર્શના ૪) કુલદેવી એ મંગલકલશનું અપહરણ કર્યું એ દિવસ પણ આપ્યો – મહા સુદ-૫ (૯૦). જો
કે કવિશ્રીએ રાસ રચનાના દિવસ - વર્ષનો પણ ઉલ્લેખ કર્યો નથી, જ્યારે અહીં અપહરણનો
દિવસ દર્શાવ્યો છે! આ પૂર્વે મંગલધર્મજીએ પણ અપહરણનો આ જ દિવસ ઉલ્લેખ્યો છે. ૫) અશ્વપાલકોએ મંગલકલશને રાત્રે પોતાના ઘરે જ રાખ્યો અને બીજે દિવસે સવારે મંત્રીને
સોંપ્યો. (૧૧૦) ૬) રાજપુત્રીને ભાડેથી પરણવા મંગલકલશ તૈયાર થયો ત્યારે સામેથી જ મંત્રીએ તેને કહ્યું “રાજા
લગ્ન સમયે જે ધન વગેરે આપે તે તારું.” (૧૧૭) ૭) મંગલકલશે મોદક વાપરીને રૈલોક્યસુંદરીને પોતાનો સંકેત આપવા સીમાનદીના જલની વાત
કરે છે. આ સમયે કવિશ્રીએ મંગલકલશનો મનોભાવ દર્શાવ્યો છે કે રાજકુમારી ચતુર હશે તો મારો સંકેત સમજી જશે.” (૧૪૩) મંગલકલશ ચાલ્યો ગયો પછી મંત્રીપુત્ર રૈલોક્યસુંદરી જ્યાં હતી તે ઓરડામાં આવે છે. તેના બદલે અહીં એવું વર્ણવાયું છે કે મંત્રીપુત્રએ દાસી દ્વારા ત્રૈલોક્યસુંદરીને બાજુના ઓરડામાં
બોલાવી. (૧૬૨-૧૬૩) ૯) સૈલોક્યસુંદરીએ પિતા પાસે પુરુષવેષની માંગણી કરી તે પૂર્વે “એ દ્વારા હું કલંક ઉતારીશ”ની
વાત રાજાને જણાવી દીધી (૨૦૦૭) અન્યત્ર સર્વ સ્થળે રાજા સમક્ષ “કલંક ઉતારવાની વાત
કરવાનો કથાંશ નથી. ૧૦) પિતાએ લગ્ન સમયે જમાઈને આપેલા ઘોડાઓને નૈલોક્યસુંદરીએ સીપ્રા નદીનું પાણી પીતા
જોયા. (૨૧૩) મંગલકલશે આપેલા “સિપ્પાનદીના સંકેતને અનુસારે આવેલી રાજકુમારી
સરોવરને બદલે સીપ્રા નદીમાં ઘોડાને પાણી પીતા જુએ એ વધુ યોગ્ય જણાય છે. ૧૧) સુરસુંદર રાજા અને ગુણાવલી રાણી બને ચારિત્ર પાળી સ્વર્ગે ગયા. (૨૩૯) ૧૨) àલોક્યસુંદરીએ પૂર્વભવમાં સખીને આળ આપ્યુ હતું કે “તેં શ્રાપ આપ્યો એટલે તારો પતિ કોઢી
થયો' (૨૫૨) અહીં વર્ણવાયેલ ઘટક કરતાં “સખીના સંગને કારણે તેનો પતિ કોઢી થયો એ પ્રચલિત કથાઘટક વધુ યોગ્ય છે. કારણ કે àલોક્યસુંદરીના ભવમાં તેને આળનું ફળ પણ સંગને કારણે પતિ કોઢી થયાનું આળ આવ્યું. આળ આપ્યા પછી “સખી– દુભાયેલું મુખ જોઈને સૈલોક્યસુંદરી (પૂર્વભવમાં) વાત વાળી લે છે. તે વાત અહીં કરી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org