________________
16
કસ્તુરી જાચૂ-કપૂર, ઊખેવઈ ધૂપ;
એકચિત નિ ચીતવઈ એ, તે પરમ સ્વરૂપ. ૩૬
ક ત્રૈલોક્યસુંદરીનાં નારી દેહનું વર્ણન બીજા કવિઓની જેમ લગ્ન પહેલાં ન કરતાં મંગલકલશના બીજીવારના મેળાપ પછી નગરજનો તેને જોવા આવે છે ત્યારે કર્યું છે. શ્રેષ્ઠ કાવ્યમાં સામાન્યતઃ નવે રસો વર્ણવાયા હોય છે આથી નારીના દેહવર્ણન દ્વારા શૃંગાર રસનું નિરુપણ તો કવિશ્રીએ કર્યું છે. પરંતુ પોએમ જસ્ટીસનો ઉપયોગ કરી આ વર્ણન નાયક-નાયિકાના દ્વિતીય મિલન સમયે લઈ ગયા. કારણ કે એ જ તેઓનું ખરું મિલન છે.
‘આ સોહ ઈસસી વદન મયંક, વેણીડંડ વાસિગનું અંક; દીપશખા સમ નાશા દંડ, વાંકી ભમહ કામ-કોદંડ. ૨૨૬ ચંચલ ચિત્ત નયણ વિસાલ, અમિ ચંદ્ર સરીખુ ભાલ; દંત-પંતિ દાડમની કુલી, સઈથઉ મયણ સાખની કુલી. ૨૨૭ ચંપકવાન દેહનઉ વર્ણ, કુંડલ તેજ તપઈ તસ કર્ણ; મયણ રહઈ મજ્જનનઉ કંડ, નાભિ મંડલ ગંભીર અખંડ. ૨૨૮
બાહુ બહૂ ગય સઉડા દંડ, કર પલવ પંકજ વનખંડ, તવ નારી કણયરની કંબ, અધુર જમ્યા પરવાલી રંગ. ૨૨૯
કઠન પયોધર અતિહઈ અણીઆલ, રદયકમલ સહજઈ સુવિસાલ; ઉર-યુગમ તે અતિહઈ રસાલ, સોહઈ ચરણ અતિહઈ સુકમાલ’. ૨૩૦
ત્રૈલોક્યસુંદરીની વિરહ વ્યથાને પણ વિવિધ અલંકારો દ્વારા વર્ણવીને કવિશ્રીએ પ્રસંગને વધુ કરૂણ બનાવ્યો છે.
‘હું અબલા મૂકી નિરધાર, કુંણ કરેસિઈ માહરી સાર?;
રુપ કલા કમલા અવતાર, ન ભલી નારી વિણ ભરતાર. ૧૭૯
ચંદ્ર-કરણ લાગઈ અંગાર, કંઠ ફૂલ તે કરવત ધાર; મોતી હાર ખડગની ધાર, વિલવઈ તે વિણ કંથ! અપાર. ૧૮૦
દિવિઈ રુઠઈ સ્યું કરઈ?, સ્યું ન પછાડઈ હેવ?; ઊલાલીલઈ જમ સુખ, સીંચાણઉ ઝડફેવ. ૧૮૧
રયણ ભણી મઈ સંગ્રહીઉ, અતિ ઘણ આદર કીધ; કાજ પડિઈ મઈ પરખીઉ, કાકર કાજ ન સીધ. ૧૮૨
* કૃતિ દર્શન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org