________________
શ્રી મંગલકલશ રાસમાળા જ
સં. ૧૫૩૨ આસપાસ જણાવી છે. પરંતુ શક્ય છે કે પ્રસ્તુત રચના આગળ જણાવેલ મંગલધર્મજી કૃત રાસ (ર. સં. ૧૫૨૫) કરતાં પહેલાં પણ રચાયો હોય. કારણ કે આ રાસ જિનરત્નસૂરિજીના શિષ્યની રચના છે. અને પૂર્વોક્ત રાસના કર્તા મંગલધર્મજી જિનરત્નસૂરિજીના પ્રશિષ્યના પ્રશિષ્ય છે. છતાં ચોક્કસ રચના સંવત્ ન મળવાના કારણે અહીં તેને પાછળ રાખવામાં આવ્યો છે.
૨ ૨૫૮ કડી પ્રમાણ આ રાસમાં દૂહા-ચોપાઈ-વસ્તુ છંદો ઉપરાંત પાંચ દેશીઓ પ્રયોજાઈ છે.
જ રાસમાં કથા સાથેનો કાવ્યત્વનો સુમેળ જળવાયો છે. ઉપમા-ઉલ્ટેક્ષા-નિદર્શના-વ્યતિરેક વગેરે અલંકારો એ સુમેળને વધુ સુંદર બનાવે છે.
જ “દિન-દિન રુપ અલંકરઈ એ, ચડઈ કલા જિમ ચંદ્ર.'
અહીં “કલા' શબ્દના શ્લેષ દ્વારા મંગલકલશની વયોવૃદ્ધિ અને કલાવૃદ્ધિને ચંદ્રની કલાવૃદ્ધિ સાથે સરખાવવા દ્વારા મંગલકલશની સ્વભાવ સૌમ્યતા વ્યંજિત થઈ છે.
જ “પૂત્રી જન્મ હુઉ તિણિવાર, જ્યમ સમુદ્ધિ લખિમી અવતાર ૬૬ સમુદ્રમાંથી થયેલા લક્ષ્મીના જન્મની ઉપમા દ્વારા ત્રૈલોક્યસુંદરીની સમૃદ્ધિ અતિશાયી દર્શાવી છે. જ ઉપમા અલંકાર મંડિત કેટલીક પંક્તિઓ – વાધઈ ચંદ્રકલાની વેલિ, રુપ જિસા કરિ મોહણ વેલિ.” ૬૮ “એક દિવસ રાય સભા મઝારિ, બેઠઉ ઇન્દ્રતણઈ અણૂસારિ'. ૭૩ તાહરઉ બેટી બહુ ગુણ ભંડાર, રુપિ જિસઉ અશ્વનીકુમાર.” ૭૫
મંગલ પાલઈ નિરમલ રાજ, જિસ્ય દેવલોકિ સુર કાજ.” ૨૪૦ સુંદર ઉતૈક્ષા :
ચોસઠ કલા નિપુણ સુવિચાર, જાણિ સારદનઉ અવતાર. ૬૮ રૂપ દેખિ મનિ હરખ અપાર, આવ્યું જાણઈ અંદ્રકુમાર.” ૧૧૧ “રુપ” જીપઈ અપછર દેવિ, ગુણ-લાવણ્ય અમીરસ હેવિ.” ૬૯ કૈલોક્યસુંદરીએ પોતાના રૂપથી અપ્સરાને જિતી લીધી. અપ્સરા કરતા ચડીયાતું રૂપ દર્શાવવા દ્વારા વ્યતિરેક અલંકાર વર્ણવાયો છે. આ “નાહનઈ એ કિમ સીઝસઈ એ, ચંતા મ કરો તાત તું;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org