________________
શ્રી મંગલકલશ રાસમાલા મેં
બઈઠું નાક કાન વેસરિયા, અઊઠ કોડિ રોમ તે હુ ખરિયા; ઝિરઈ પિરુ માખી ગણગણઈ, વાઈ ન બઈસઈ કોઈ તેહ તણઈ.” ૭૮ મંત્રીપુત્રનું આટલું બીભત્સ વર્ણન બીજા એક પણ રાસમાં નથી.
આ રાસગત વર્ણનો નીહાળીએ તો – આરંભમાં જ થયેલું ઉજ્જૈની નગરીનું વર્ણન (કડી ૪ થી ૧૦), ધનદત્ત શ્રેષ્ઠી જ્યાંથી દરરોજ પુષ્પો લાવે છે તે વાડીનું વર્ણન (કડી ૪૬ થી ૫૦), અપહરણ દ્વારા મંગલકલશ જે વનમાં પહોંચે છે ત્યાંના સરોવરનું વર્ણન (કડી ૯૧થી ૯૩), પુણ્યપાપના પ્રભાવનું વર્ણન (કડી ૧૭થી ૨૨), ધનદત્ત શ્રેષ્ઠીની ધર્મઆરાધનાના બહાને થયેલું શ્રાવકના કર્તવ્યોનું વર્ણન (કડી ૨૫થી ૨૭) આ વર્ણનો સુંદર અને સરસ હોવાથી આકર્ષક લાગે છે.
જ મંગલકલશ લગ્ન બાદ ઉજ્જૈની પાછો ફર્યો ત્યાર પછી જે નિશાળમાં અભ્યાસ કરે છે તેના બાળકોનું અને રાજકુમાર તરીકે રહેલી ગૈલોક્યસુંદરીના મહેલે ભોજન માટે જતા બાળકોનું વર્ણન માણવા જેવું છે
તે સેલહથ ગયુ નેસાલ, ઘૂઘૂયાડિ સવિ કરઈ બાલ; માઈ કક્કા સિદ્ધો વર્ણ ભણઈ, આદિ-નમાલ અંક કો ગણઈ. ૨૪૮ ચીક આખ્યાત વખાણઈ સોઈ, નીતિ સમસ્યા પૂરઈ કોઈ; ઘેટે પાટી જીકા ઘસઈ, કે બાલા ભાવઈ તે ભણઈ. ૨૪૯ કે કરગરઈ કે ડસકા ભરઈ, કોઈ હસઈ આંખિ પાણી ભરાઈ; કે નાગા કછોટી કોઈ, વસ્ત્ર વિભૂષણ શોભા જોઈ. ૨૫૦ રાવ કરઈ કે ઝૂંબી પડઈ, સુખડી ખાઈ કે હડહડઈ; ને સાલગરણું કે આરંભ, લ્યાવઈ અક્ષત ભરીઈ કુંભ.” ૨૫૧ પંડિત આગલિ પૂઠિઈ બહ, હરખિઈ જિમવા આવઈ સહ; ઇક આગલિ ઈક પાછલિ થાઈ, એક ઊજાણા મહુવડ જાઈ. ૨૬૩ કે રગદાલા ભુઈ પડઈ, ઉભા કીધાં વલી દડવાઈ;
આ વર્ણન બાલમંદીરના બાળકો જેવું લાગે. મંગલકલશ તો લગ્ન થયા બાદ તે નિશાળમાં ગયો હતો. તો શું એ સમયમાં બાળલગ્નની પ્રથા હશે? આમ તો, લગ્ન બાદ મંગલકલશ એકલો પોતે જ રથ ચલાવી ઠેઠ ચંપાપુરીથી ઉજ્જૈની આવ્યો હતો. નાનો બાળક તો આ બધું કરી ન શકે. માટે મંગલકલશની અવસ્થા નાના બાળકની તો ન જ હોય. “તે સમયમાં એક જ નિશાળમાં બધાને ભણાવતા હશે', આવું વિચારીએ તો વિદ્યાર્થીઓનું આ વર્ણન સંગત થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org