________________
શ્રી મંગલકલશ રાસમાલા
129
ભરત ક્ષેત્ર ક્ષિતિપ્રતિષ્ઠિત નગર. સોમચન્દ્ર નામનો કુલપુત્ર. શ્રીદેવી નામે એની પત્ની.
જિનદેવ નામના શ્રાવક સાથે સોમચન્દ્રની મૈત્રી.
એક દિવસ જિનદેવે સોમચન્દ્રને વાત કરી, દોસ્ત, તારે એક કામ કરવાનું છે.” “શું?' હું જાઉં છું પરદેશમાં પણ કેમ?' પૈસા કમાવા
“આટઆટલા પૈસા તો છે તારી પાસે અને છતાં તારે વધુ પૈસા કમાવા પરદેશ જવું છે?'
હા” ન જાય તો ન ચાલે? ના, જવું જ છે'
જેવી તારી મરજી. હવે બોલ. મારે શું કરવાનું છે?”
“તને દસ હજાર સોનામહોર આપી જાઉં છું.”
હા” જેવી તારી આજ્ઞા ભાઈ!'...
અને સોમચન્દ્રને દસ હજાર સોનામહોર આપીને જિનદેવ ધનોપાર્જનાર્થે નીકળી ગયો પરદેશમાં. એના ગયા બાદ સોમચન્દ્રએ યાદ રાખીને જિનદેવે આપેલ દસ હજાર સોનામહોરનો તો સાત ક્ષેત્રમાં સવ્યય કરી જ દીધો પણ પોતાની કેટલીક રકમ પણ એમાં ઉમેરી દઈને એનો સદ્યય કરી દીધો. ધનના આવા સવ્યયથી એણે જબરદસ્ત પુણ્યોપાર્જન કર્યું તો એની પત્નીએ અનુમોદના દ્વારા પણ સુંદર પુણ્યોપાર્જન કર્યું.
ક્ષિતિપ્રતિષ્ઠિત નગર શ્રેષ્ઠી દેવદત્ત પત્ની ભદ્રા શ્રીદેવીની નિકટની સખી પણ ભદ્રા.
એક દિવસ, દેવદત્તની નજર પોતાના શરીરની ચામડી પર પડી અને એ ધ્રૂજી ઊઠ્યો. ચામડી કુષ્ટરોગથી વ્યાપ્ત બની ગઈ હતી. “આ શું? મને અને કુષ્ટરોગ? આખું જીવન આવા રોગિષ્ટ શરીર સાથે જ પસાર કરવાનું? બહાર નીકળીશ તો મારી સામે કોઈ જોવા તૈયાર નહીં થાય અને ઘરમાં ને ઘરમાં જ બેસી રહીશ તો મારા દિવસો પસાર નહીં થાય. હું કરીશ શું?'
દેવદત્તના દુર્ગાનનો તો પાર નથી જ પરંતુ એની પત્ની ભદ્રાની વ્યથાનો પણ પાર નથી. “શું કરું તો પતિદેવને સારું થઈ જાય?' આ જ વિચારણામાં એનું મન આખો દિવસ વ્યસ્ત રહેવા લાગ્યું. જે પણ મળે છે એને, કુષ્ટરોગનો
મને?'
હા” પણ શેના માટે?
તારે એ દસ હજાર સોનામહોર મારા વતી સાત ક્ષેત્રમાં વાપરવાની છે.”
“સોનામહોર તારી અને વાપરવાની મારે?'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org