________________
116
મંગલકલશ કથા
લાવીશ જ નહીં રાજવી સુરસુંદરે મંત્રીના ગયા બાદ ગુણાવલીને બોલાવીને કહી દીધું.
એનો અપરાધ?'
આમ જુઓ તો અપરાધ કોઈ નહીં પરંત એ શ્રાપિત સ્ત્રી તો ખરી જ.'
“શું થયું?' પોતાના પતિને એણે સ્પર્શ કર્યો અને
- ઇનામમાં એણે કુષ્ટરોગ આપી દીધો!”
“શું વાત કરો છો?”
‘તું જ કહે. લગ્ન સમયે આપણે એના પતિને જોયો જ હતો ને? ફૂટડો રાજકુમાર પણ જેના રૂપ આગળ પાણી ભરે એવું એનું અદ્ભુત રૂપ હતું જ ને? અત્યારે એ કુષ્ટરોગથી વ્યાપ્ત બની ગયો છે કારણ કે સૈલોક્યસુંદરીએ એના શરીરને સ્પર્શ કરી દીધો છે.”
નાથ! આપણે એક કામ કરશે? “શું?”
“નૈલોક્યસુંદરી આજે સવારના જ આપણા આવાસે આવી ગઈ છે. એક વાર એને બેસાડીને એની પાસેથી તો હકીકત જાણી લઈએ કે આખરે એવું તો શું બન્યું કે લગ્નના બીજે જ દિવસે એને શ્વસુરગૃહ છોડી દેવું પડ્યું? બાકી, એક વાત આપને કરું?”
કારણ કે મંત્રીશ્વરની વાતમાં સચ્ચાઈનો જે રણકો હતો એ જોયા પછી હું નથી ઈચ્છતો કે રૈલોક્યસુંદરી સાથે આ અંગે કોઈ વિચારણા પણ થાય કે કોઈ ખુલાસા પણ થાય. નૈલોક્યસુંદરી શ્રાપિત સ્ત્રી છે જ છતાં એ આપણી દીકરી છે. આપણે એને જીવનભર સાચવી લઈશું. આ સિવાય બીજી કોઈ વાત તું મને એના માટે કરીશ નહીં.'
અહીં તો આક્ષેપ સીધો પોતાની પુત્રી પર થયો છે. અને આ એ પુત્રી છે કે જેનાં દર્શન વિના દિવસ વીતાવવો આકરો પડી જશે એવું લાગવાના કારણે જ રાજાએ એનો સંબંધ મંત્રીપુત્ર સાથે સામે ચડીને નક્કી કર્યો છે. જેના રૂપ પર તો ઠીક પણ ગુણો પર સમસ્ત રાજ પરિવારને ભારે ગર્વ છે. આજે જે દીકરી પર શ્રાપિત’ હોવાનો જ્યારે આક્ષેપ થયો છે ત્યારે રાજા ખુદ એ દીકરીને સાંભળવા તો તૈયાર નથી જ પરંતુ એનું મોઢું જોવા ય તૈયાર નથી!
સરસુંદર પાસેથી ગુણાવલી નીકળીને સ્વઆવાસે આવી તો ખરી પણ “નૈલોક્યસુંદરી શ્વસુરગૃહેથી પિયરમાં આવી ગઈ છે” એ સમાચાર ધીરે ધીરે સર્વત્ર પ્રસરતા ગયા અને ગૈલોક્યસુંદરી સહુની નજરમાંથી ઊતરતી ચાલી. સહુ પોતપોતાની રીતે તુક્કા લગાવી રહ્યા છે, એના પતિએ એને મારી છે.” “એ પોતે બેવફા છે.” “એ વિષકન્યા છે.” “એ અભિમાની છે.” “એનો બાપ ખુદ એનું મોઢું જોવા તૈયાર નથી.” એ કાળાં કામોની કરનારી છે.”
બિચારી રૈલોક્યસુંદરી!.
જો એના સ્પર્શમાં આવી ભયાનકતા હોત જ તો હસ્તમેળાપની ક્રિયા વખતે જ એના પતિને કોઢ ન થઈ ગયો હોત?'
“તારી એ દલીલનો કોઈ અર્થ જ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org