________________
શ્રી મંગલકલશ રાસમાલા
છે.’
‘શું વાત કરો છો?’
‘હા’
‘પણ કારણ કાંઈ?’
‘લગ્ન સંપન્ન થઈ ગયા પછી રાતના આપની પુત્રીએ જેવો મારા પુત્રના હાથનો સ્પર્શ કર્યો, એ જ પળે એનું આખું ય શરીર કુષ્ટરોગથી વ્યાપ્ત બની ગયું.’ આટલું બોલતાં બોલતાં તો મંત્રીની આંખમાંથી બોર બોર આંસુ પડવાના શરૂ થઈ ગયા.
કમાલના દાવ ફેંકી દીધા છે ને મંત્રીશ્વરે ? ત્રૈલોક્યસુંદરી રાજા પાસે સત્ય પ્રગટ કરી દે એ પહેલાં એણે અત્યંત સિફતપૂર્વક જૂઠ એ રીતે રજૂ કરી દીધું છે કે રાજા એના જૂઠને જૂઠ તરીકે પકડી શકવાની સ્થિતિમાં જ ન રહ્યો.
મંત્રીનું નામ ભલે સુબુદ્ધિ છે પણ એના મનનો કબજો અત્યારે કુબુદ્ધિએ લઈ લીધો છે અને એના જ સહારે રાજા પાસે એણે ત્રૈલોક્યસુંદરીના સ્પર્શની ખતરનાકતાની એવી ગજબનાક રજૂઆત કરી દીધી છે કે રાજાને એની રજૂઆતમાં પૂર્ણ વિશ્વાસ બેસી જ ગયો છે.
‘મંત્રીશ્વર! એક વાત કરું?’
‘કહો’
‘તમે મને ક્ષમા કરી દો’ ‘રાજ! આપ શું બોલો છો?’
‘સાવ સાચું કહું છું. મેં જો ત્રૈલોક્યસુંદરીનાં લગ્ન તમારા પુત્ર સાથે જ કરાવવાનો આગ્રહ ન રાખ્યો હોત તો આજે તમારે જે દિવસ જોવાનો
Jain Education International
આવ્યો છે એ દિવસ જોવાનો આવ્યો જ ન હોત.
તમારા રૂપરૂપના અંબાર જેવા પુત્રને મારી દીકરીએ કોઢી બનાવી દીધો એ અપરાધની ક્ષમા મારે માગવી જ જોઈએ ને?’
115
‘રાજ! જે પણ બન્યું છે એમાં મારા જ કર્મનો દોષ છે. બાકી આપ તો મારું હિતકાર્ય કરવા માગતા હતા ને? પુત્રી આપની અને એનો સંબંધ કો'ક રાજકુમાર સાથે ન બાંધતાં આપે મારા પુત્ર સાથે જ બાંધવાનો આગ્રહ રાખ્યો એની પાછળ મારું ગૌરવ વધારવાનો જ આપનો આશય હતો ને?
પણ, કર્મો જ જ્યારે મારા રુઠ્યાં હોય ત્યાં આપ કરી પણ શું શકો? અત્યારે હું આપની પાસે આવ્યો છું એક જ કારણસર. આપ ત્રૈલોક્યસુંદરી સાથે કોઈ પણ પ્રકારનો અશોભનીય વ્યવહાર ન કરશો. કારણ કે જે પણ બન્યું છે એમાં એ તો માત્ર નિમિત્ત જ બની છે.’ આટલું કહીને મંત્રીએ રાજા પાસેથી ઘરે જવા સંમતિ માંગી.
મંત્રીની આ વાતો સાંભળીને રાજાને તો મંત્રી પ્રત્યે જબરદસ્ત અહોભાવ ઊભો થઈ ગયો. ‘દીકરાને કોઢ થઈ ગયો એના દુઃખને આ બાપ ઘોળીને પી ગયો એ તો ઠીક પણ એના કોઢમાં નિમિત્ત બનનાર મારી દીકરી માટે ય એના મનમાં કોઈ દુર્ભાવ નહીં? કમાલ!'
ભારે વ્યથિત હૈયે રાજાએ મંત્રીને વિદાય
આપી.
‘પ્રિયે! તું ત્રૈલોક્યસુંદરીને મારી પાસે
www.jainelibrary.org
For Personal & Private Use Only