________________
112
‘એક વાત તને કહું?’ ‘કહો’
‘એનું શરીર તેં જોયું?’
‘હા’
‘એ જે રથ લઈને અહીં આવ્યો છે.’ ‘એ રથ પણ મેં જોયો’
‘તને શું લાગે છે?’
એ જ કે એ જ્યાંથી પણ અત્રે આવ્યો છે ત્યાં કો’ક પરાક્રમ કરીને આવ્યો છે. બીજું, સ્વસ્થ એનું શરીર જોતાં પણ એમ લાગે છે કે એ જ્યાં પણ ગયો હતો એ સ્થળ સરસ હશે.’
‘તારા બંને અનુમાનો આમ તો સાચા જ લાગે છે પણ આપણે મંગલકલશ પાસેથી જ બધી જાણકારી લઈ લઈએ ને? સ્નાનાગારમાંથી બહાર આવતાં હવે એને કેટલી વાર લાગવાની છે?'
‘મારે તમને એક વાત એ કરવાની છે કે પહેલાં મને એને પેટ ભરીને જમાડી લેવા દો. કેટકેટલા દિવસે તો એ મારા હાથનું ભોજન પામશે? એ જમી લે, થોડોક આરામ કરી લે, એનું મન હળવું થાય એ પછી જ આપણે એની સાથે આ બધી વાતો કરશું.’
અને
ત્યાં તો સ્નાનાગારમાંથી મંગલકલશ બહાર આવ્યો. સત્યભામાના હાથની બનાવેલી રસોઈ જમીને શાંતિથી એ માતા-પિતા સાથે બેઠો અને પુષ્પો લેવા બગીચામાં ગયો ત્યારથી માંડીને ઘરે પાછો આવ્યો ત્યાં સુધીમાં જે કાંઈ પણ બન્યું એ બધી જ વાતો એણે માતા-પિતાને વિસ્તારથી કહી. ધનદત્ત અને સત્યભામા તો
Jain Education International
* મંગલકલશ કથા
મંગલકલશની આ વાતો સાંભળીને સ્તબ્ધ જ થઈ ગયા. એમને એમ લાગ્યું કે મંગલકલશ પર તકલીફો ભલે આવી પણ એનું ભાગ્ય અને સૌભાગ્ય બંને જબરદસ્ત તો ખરા જ. એ સિવાય એ આવા સત્કાર-સન્માન-સામગ્રી પણ શેં પામે? અને ત્રૈલોક્યસુંદરી જેવી રાજકુમારીને પત્ની તરીકે પણ શેં પામે? લાગે છે કે એનું ભાવિ તો ઉજ્જ્વળ જ છે. આપણે જેને ‘મૃત’ માની બેઠા હતા એ હેમખેમ તો ઘરે પાછો આવ્યો જ પણ સાથે હીરા-માણેક-રથ-ઘોડા વગેરે લઈને આવ્યો!.. કમાલ છે ને?..
શેઠના ઘરે મહોત્સવનું વાતાવરણ સર્જાયું. મંગલકલશ હેમખેમ ઘરે આવી ગયાના સમાચાર પૂરી ઉજ્જયિનીમાં વાયુની જેમ પ્રસરી ગયા અને એનો હર્ષ મનાવવા નગરજનોનાં ટોળેટોળાં શેઠના ઘર તરફ ઉમટવા લાગ્યા. શેઠે પણ સહુને આવકારવામાં અને મંગલકલશના આગમનના હર્ષને પ્રગટ કરવામાં કોઈ જ કચાશ ન રાખી.
આ બાજુ નવરાશની પળોમાં શેઠ પોતાના આવાસના એક અલાયદા વિભાગમાં સરસ મજેનું અને છતાં ગુપ્ત એક સ્થાન બનાવ્યું અને એ સ્થાનમાં એમણે મંગલકલશ જે પાંચ ઘોડાઓને લઈને આવ્યો હતો એ પાંચે ય ઘોડાઓને રાખવાનો બંદોબસ્ત ગોઠવી દીધો.
‘પિતાજી! એક વાત કરવી છે’
એક દિવસ મંગલકલશે ધનદત્ત સમક્ષ વાત મૂકી.
‘બોલ શું છે?’
For Personal & Private Use Only
www.jalhelibrary.org