SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વિતાભિધાનવાદી દ્વારા અભિહિતાન્વયવાદનું ખંડન છે? પિતાના અર્થ સાથે સંબંધ ગૃહીત ન થયો હોય તે પદ બીજા પદને કોઈ ઉપકાર કરતું દેખાતું નથી. પદાક્તરસન્નિધાન, જે પદનું સન્નિધાન છે તે પદના અર્થનું પ્રતિપાદન કરીને જ બીજા પદના અર્થને નિયત કરે છે એમ કહીએ તે અભિહિત પદાર્થોને અન્વય કહ્યો ગણુય. તેથી અભિહિતાન્વયને સિદ્ધાન્ત જ વધારે સારે છે. પદેથી પ્રતિપાદિત અર્થે આકાંક્ષા, ગ્યતા અને સન્નિધિને આધારે પરસ્પર અવિત થાય છે. જે અર્થ જે અર્થથી આકાંક્ષિત છે, જે અર્થ જે અર્થની સનિધિમાં છે અને જે અર્થ જે અર્થના સંબંધમાં આવવાને યોગ્ય છે તે અર્થ તે અર્થની સાથે અન્વિત થાય છે, બીજો અર્થ અન્વિત થતો નથી. તેથી જ “આંગળીના ટેરવા ઉપર હાથીઓના સો જૂથે હતાં' એમાં પદાર્થો વચ્ચે અન્વય સંબંધ નથી, કારણ કે યોગ્યતાનો અભાવ છે. અન્વિતાભિધાનવાદીઓના મતમાં તે અનન્વિત પદાર્થોનું અભિધાન જ થતું ન હેઈ, અહીં પણ અન્વયે પ્રાપ્ત થાય પરંતુ તે અન્વય તે અહીં છે નહિ. તેથી અભિહિત પદાર્થોને જ અન્વય થાય છે એ મત બરાબર છે માટે જ કહેવાયું છે પદો પિત પિતાના અર્થનું અભિધાન કરી પિતાને વ્યાપાર અટકાવી દે છે. પછી અવગત પદાર્થો વાક્યાથને પામે છે.'' 144. gવં પ્રાપ્ત કમિથીયતે– ગ્રુપત્તિનિરપેક્ષો ટ્રીપ ફુવ રાઠ્ઠોડનવામयतीति । व्युत्पत्तिश्च वृद्धव्यवहारात् । वृद्धानां च व्यवहारो वाक्येन, न पदेन, केवलस्य पदस्याप्रयोगात् । अर्थप्रकरणप्राप्तपदार्थान्तरवेदने । पदं प्रयुज्यते यत्तद्वाक्यमेवोदितं भवेत् ॥ वक्ता वाक्यं प्रयुक्ते च संसृष्टार्थविवक्षया । तथैव बुद्धयते श्रोता तथैव च तटस्थितः ॥ सेयं वाक्यस्य वाक्यार्थे व्युत्पत्तिः । 144. આવું પ્રાપ્ત થતાં અન્વિતાભિધાનવાદી કહે છે—જેમ દીવો વ્યુત્પત્તિની અપેક્ષા રાખ્યા વિના અર્થનું જ્ઞાન કરાવે છે તેમ શબ્દ વ્યુત્પત્તિની અપેક્ષા રાખ્યા વિના અર્થનું જ્ઞાન કરાવતો નથી, અને વ્યુત્પતિ તે વડીલેના વ્યવહાર દ્વારા થાય છે, અને વડીલેનો વ્યવહાર વાક્ય વડે થાય છે, પદે વડે થતું નથી, કારણ કે કેવળ પદને પ્રયોગ થતું નથી. અર્થ (પ્રજન), પ્રકરણથી પ્રાપ્ત અન્ય પદાર્થોનું જ્ઞાન થતાં જે એક પદને પ્રવેગ કરવામાં આવે છે તેને વાક્ય જ કહેવાય. વકતા સંસૃષ્ટ ( = અન્વિત) અને જણાવવાની ઈચ્છાથી વાક્યને પ્રયોગ કરે છે. શ્રેતા તે પ્રમાણે જ જાણે છે અને તેમની પાસે ઉપસ્થિત ત્રીજી તટસ્થ વ્યક્તિ તે પ્રમાણે જ વાક્યને અર્થ શીખે છે. આ જ છે વાક્યર્થમાં વાક્યની વ્યુત્પત્તિ. 145. वाक्यं च किमुच्यते ? संहत्यार्थमभिदधन्ति पदानि वाक्यमिति वाक्यविदः । तत्रायं पदसमूह एकार्थो भवति । एवं न संहत्यार्थमभिदध्युः पदानि, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy