SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ શંકરસ્વામીના મતમાં દોષપ્રદર્શન સ્મરણને અભાવ હોવાથી અહીં જ્ઞાનયોગપદ્યની આપત્તિને અવકાશ રહેતું નથી. દર્શાવ્યા પ્રમાણે અંત્યપદજ્ઞાન જ વાક્યાથજ્ઞાન છે, એટલે અત્યપદજ્ઞાનની ચરિતાર્થતા અન્યત્ર નથી, પરિણામે આમ વાકયમાંથી જ વાક્યર્થનું જ્ઞાન સિદ્ધ થાય છે. 126. इयमपि न निरवद्या कल्पनेत्यपरे, प्रथमपदोपरागपूर्वकद्वितीयपदज्ञानोपजननानुपपत्तेः । प्रथमपदज्ञानान्तरं सम्बन्धस्मरणम् । तेनैव तस्य विनश्यत्ता । पदार्थप्रतिपत्तिकाले च पदज्ञानं विनष्टमेव । विनश्यदवस्था बुद्धिर्बुद्ध्यन्तरविरोधिनीति सामान्येन श्रवणात् । 126. આ કલ્પના પણ નિર્દોષ નથી એમ બીજા કહે છે, કારણ કે પ્રથમ પદે કરેલા ઉપરાગ પૂર્વક દિતીય પદના જ્ઞાનની ઉત્પત્તિ ઘટતી નથી. પ્રથમ પદના જ્ઞાન પછી સંકેતસંબંધની સ્મૃતિ થાય છે. સંબંધ સ્મરણથી જ પ્રથમપદનું જ્ઞાન વિનશ્ય અવસ્થાવાળું બને છે. પદાર્થજ્ઞાનકાળે પદજ્ઞાન નાશ પામી ગયું હોય છે જ, કારણું કે વિનય અવસ્થાવાળ જ્ઞાન બીજા જ્ઞાનનું વિરોધી છે એ તે સામાન્યપણે સંભળાતી વાત છે. 127. ગણ ત્રયાત કાર્યમૂતયા ગુણ્યા વારસૂતા શુદ્ધિતિ , 7 बुद्धिमात्रेण बुद्धिमात्रमिति, एतदयुक्तम् , विशेष प्रमाणाभावात् । 127. આના ઉત્તરમાં તમે કહેશો કે કાર્યભૂત બુદ્ધિ વડે કારણભૂત બુદ્ધિને વિરોધ થાય, પરંતુ બુદ્ધિમાત્ર વડે બુદ્ધિમાત્રને વિરોધ ન થાય. તમારુ આ કહેવું પણ બરાબર નથી, કારણ કે [બધી બુદ્ધિની બાબતમાં એવું નથી કે એક બુદ્ધિ બીજી બુદ્ધિને વિરોધ કરે છે, પરંતુ કેવળ કાર્યભૂત બુદ્ધિ જ કારણભૂત બુદ્ધિને જ વિરોધ કરે છે એવા] વિશેષમાં પ્રમાણને અભાવ છે 128. ગમ્યાખ્યાપિ ત્ર કાર્યશાળમૂતરોરેવ યુથોમૈવતુ વવિઘાતभावः, तथापि पदज्ञानं संस्कार इव समयस्मृतेः कारणमेव, संस्कारेणेव तेनापि विना तदनुत्पादात् । संस्कारप्रबोधे तस्य व्यापार इति चेत्, तेनापि द्वारेण यत् कारणं तत्कारणमेव । तदिह पदज्ञानं, समयस्मरणं, पदार्थज्ञानमिति त्रीणि ज्ञानानि युगपदवतिष्ठन्ते इति परः प्रमादः । | 128. તમે કહેલી વાત માનીને પણ અમે કહીએ છીએ કે, ભલે કાર્યભૂત બુદ્ધિ અને કારણભૂત બુદ્ધિ વચ્ચે જ વધ્ય–ઘાતક ભાવ છે, તો પણ જેમ સંસ્કાર સમયસ્કૃતિનું કારણ છે તેમ પદજ્ઞાન પણ સમયમૃતિનું કારણ છે જ, કારણ કે જેમ સંસ્કાર વિના સમય સ્મૃતિ ઉત્પન્ન થતી નથી તેમ પદજ્ઞાન વિના પણ સમયસ્મૃતિ ઉત્પન્ન થતી નથી. જો કહે કે સંસ્કાર જગાડવામાં પદજ્ઞાનને વ્યાપાર છે તે અમે કહીશું કે સંસ્કારો દ્વારા સમયસ્કૃતિનું જે કારણ છે તે કારણ તો છે જ. તેથી અહીં પદજ્ઞાન, સમયમરણ અને પદાર્થજ્ઞાન એમ ત્રણ જ્ઞાને યુગપ૬ અસ્તિત્વ ધરાવે છે. આ તો મોટો પ્રમાદ–મોટી ભૂલકહેવાય. [ જ્યારે પદાર્થદાન થાય છે ત્યારે વિનશ્ય અવસ્થાવાળા પદજ્ઞાનનું અસ્તિત્વ તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy