SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર આત્માને ગુણ અને અર્થધને જનક दर्शनादवगम्यते । तदिदमनुभवजननमपि ततो दृश्यते एव । वर्णाश्च तदनुभवाश्च व्यतीताः । अन्यच्च शब्दतत्त्वं नानुभूयते इति वक्ष्यामः । अस्ति चार्थप्रतीतिः । नासौ निष्कारणिका । कारणव्यतिरेकेण हि साऽनुद्भवन्ती कारणमाक्षिपति । यदस्याः कारणं स संस्कार इति स्मृतिरिवार्थप्रतीतिरपि तत्कार्यत्वात् तदनुमापिका भवत्येव । यत्तु कुतस्तादृशः संस्कार उदेतीति, जडप्रश्नोऽयम् , अनुभवहेतुकस्य सुप्रसिद्धत्वात् । तथा चाह, 'वस्तुधर्मो ह्येष यदनुभवः पटीयान् स्मृतिबीजमाधत्ते' इति । 45. નૈયાવિક–આ તમે જે કહ્યું તે સારહીન છે, તુછ છે, કારણ કે વર્ષોના અનુભવોથી સંસ્કૃત થયેલી બુદ્ધિવાળા પુરુષને અર્થજ્ઞાન થતું દેખાય છે. સ્મરણત્પાદક શક્તિ એ સંસ્કાર નથી પરંતુ આત્માને વાસના નામને ગુણ સંસ્કાર છે અને તે ગુણ સ્મૃતિની જેમ અર્થજ્ઞાનને પણ ઉત્પન્ન કરવા માટે ઉત્સાહિત થાય છે. સર્વત્ર આપણું દર્શન પ્રમાણુ છે. સ્મરણને ઉત્પન્ન કરવાનું સંસ્કારનું કૌશલ પણ તે દર્શનથી જ જ્ઞાત થાય છે. તેથી સંસ્કારનું અનુભવજન પણ તે દર્શનથી જ દેખાય છે. વર્ણો અને તેમના અનુભવે તે અતીત થઈ ગયા છે અને બીજુ તે કોઈ શબ્દતત્ત્વ અનુભવાતું નથી એમ અમે કહીએ છીએ અને અર્થજ્ઞાન તે થાય છે. આ અર્થજ્ઞાન કારણ વિના તે ઉત્પન્ન થાય નહિ. કારણ વિના ઉત્પન્ન ન થતું અર્થજ્ઞાન કારણને આક્ષેપ કરે છે. જે તેનું કારણ છે તે સંસ્કાર છે; આમ સ્મૃતિની જેમ અજ્ઞાન પણ સંસ્કારનું કાર્ય હોવાથી અર્થજ્ઞાન સંસ્કારનું અનુમાન કરાવે છે. તેવો (અર્થાત અર્થજ્ઞાનને જનક) સંસ્કાર એનાથી જન્મે છે એ પ્રશ્ન જે તમે ર્યો છે તે જડ પ્રશ્ન છે, કારણ કે તેનું કારણ અનુભવ છે એ તો સુપ્રસિદ્ધ છે અને કહ્યું પણ છે કે “એ તે વસ્તુધર્મ છે કે ૫ટુ અનુભવ સ્મૃતિના કારણુરૂપ સંસ્કારને જન્મ આપે છે.” 46. ननु स्मृतिबीजमिति यदुच्यते तत् कथमनुभवबीजं स्यात् ? नैष नियमः स्मृतेरेव बीजमिति । अनुभवस्तावत् तथाविधमात्मधर्ममाधत्ते । स कार्यभेदोऽपि नोत्पत्तौ कारणान्तरं मृगयते । कार्यभेदश्चास्य तथादर्शनादवगम्यते इत्युक्तम् । अथ वा किमनेन निर्बन्धेन ? न साक्षादर्थप्रतीतिकारी संस्कारः, स्मृतिद्वारेण तां करिष्यति । पूर्ववर्णेषु संस्कारात् स्मरणम् , अन्त्यवर्णे श्रोत्रोन्द्रियादनुभव इत्येवं स्मर्यमाणानुभूयमानवर्णकारणकोऽर्थप्रत्ययः स्यात् , को दोषः ? 46. સ્ફોટવાદી–જેને તમે સ્મૃતિનું કારણ કહે છે તે અનુભવનું (=અર્થજ્ઞાનરૂપ અનુભવનું) કારણ કેમ બને? [ ન્યાયદર્શનમાં સ્મૃતિભિન્ન ઉપલબ્ધિને અનુભવ ગણવામાં આવે છે, અનુભવ પ્રમાણ છે, સ્મૃતિ પ્રમાણ નથી. ] યાયિક–એ નિયમ નથી કે સંસ્કાર સ્મૃતિનું જ કારણ છે. અનુભવ તેવા (સંસ્કારરૂ૫) આત્મધર્મને ઉત્પન્ન કરે છે. આ અનુભવરૂપ વિશિષ્ટ કાર્ય (=અર્થજ્ઞાન) પિતાની ઉત્પત્તિ માટે બીજુ કારણુ ( સંસ્કારથી અન્ય કારણો શોધતું નથી. સંસ્કારનું જ આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy