SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાનવાદીએ કરેલું અવયવીનું ખંડન રીતે ધારણ કરે? આ અગાકે પ્રત્યક્ષની વિચારણા વખતે પ્રમાણથી ફળ (= પ્રમિતિ) ભિન્ન છે એ અમે પુરવાર કર્યું છે. ____191. ये तु ब्रुवते-तिष्ठतु तावत् प्रमाणमार्ग इति, प्रमेयमेव विकल्पयन्तो न बाह्यमर्थ कंचन निरपवादं प्रतिपद्यामहे । तथा हि-न तावदयमवयवी घटादिरवकल्पते, अवयवव्यतिरेकेणावयविनो अनुपलम्भात् । यो हि यस्माद व्यतिरिक्तः स तदधिष्ठितदेशव्यतिरिक्तदेशाधिष्ठान उपलभ्यते, घटादिव पटः । न चैवमवयवेभ्यः पृथग्देशो दृश्यते अवयवी । तदग्रहणे च तद्बुद्धयभावात् । घटाग्रहणेऽपि पटो गृह्यते । न तु अवयवानुपलब्धाववयवीति कथं स तेभ्यो भिद्येत ? अवयवग्रहणानुत्पत्तेश्च । न हि सर्वे तदवयवाः शक्यन्ते ग्रहीतुम् , अर्वाग्भागवर्तिन एव गृह्येरन्, न मध्यपरभागगता इति । 191, વિજ્ઞાનાતવાદીઓ કહે છે–પ્રમાણમાર્ગ ( = પ્રમાણમાગની વિચારણા) બાજુએ રહે, પ્રમેયની જ વિચારણા કરતાં અમે બાહ્ય અને નિરપવાદપણે પામતા નથી. તે વિચારણા આ પ્રમાણે છે–આ ઘટ વગેરે રૂપ અવયવી ઘટતા નથી, કારણ કે અવયવોના દેશથી પૃથફ દેશમાં રહેલ અવયવી દેખાતો નથી. જે જેનાથી ભિન્ન હોય તે તેના અધિઠાનરૂપ દેશથી અન્ય દેશમાં રહેલે દેખાય; ઉદાહરણાથ, ઘટથી પટ ભિન્ન છે માટે ઘટના અવિષ્ઠ ન દેશથી અ-૧ દેશમાં રહેલે પટ દેખાય છે. આ પ્રમાણે અવયવોના અધિષ્ઠાનરૂપ દેશથી પૃથફ દેશમાં રહેલો અવયવી દેખાતો નથી. વળી, અવયવોનું અગ્રહણ હોય છે ત્યારે અવયવીનું જ્ઞાન થતું નથી. ઘરનું અગ્રહણ હોય છે ત્યારે પણ પટનું જ્ઞાન થાય છે, પણ અવયનું અગ્રહણ હોય છે ત્યારે અવયવીનું જ્ઞાન થતું નથી. તો પછી અવયથી અવયવી ભિન્ન કેવી રીતે હેય? [અર્થાત જે અવયવી અવયવોથી ભિન્ન હોય તો અવયવોનું અગ્રહણ હોય ત્યારે પણ અવયવીનું જ્ઞાન થવું જોઈએ પણ થતું નથી, માટે અવયવી અવયવોથી ભિ-૧ નથી.] ઉપરાંત, અવયવી નથી, કારણ કે સર્વ અવયનું ગ્રહણ થતુ નથી, અવયવીના બધા અવયવોને ગ્રહવા શક્ય નથી; આગલા ભાગમાં રહેલા અવય જ પ્રહાય, મધ્યભાગ અને પાછળના ભાગમાં રહેલા નહિ [જે અવયવી હોય તો તેના ગ્રહણ સાથે તે જેમાં રહે છે તે સર્વ અવયવોનું ગ્રહણ થવું જોઈએ, પણ થતું નથી, માટે અવયવી નથી]. 192. बुद्धया विभज्यमाने चानुपलम्भात् । यदा हि पटं पाणौ निधाय बुद्धया विविनक्ति एष तन्तुरेष तन्तुरिति, तदा प्राच्यादञ्चलात्प्रभृति प्रतीचीनमञ्चलं यावद्विविञ्चयन्नसौ तन्तुसन्ततिमेव केवलामुपलभते, न ततोऽतिरिक्त पटावयविनम् । | 192. અવયવી નથી કારણ કે બુદ્ધિ વડે તેનું વિભાજન કરતાં છેવટે તેનું જ્ઞાન થતું નથી. જ્યારે પટને હાથમાં રાખી બુદ્ધિ વડે તેનું વિભાજન કેઈ કરે છે ત્યારે આ તખ્ત' આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy