SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ આલયવિજ્ઞાન શું છે? ૪૧ આલયવિજ્ઞાન જેવું તો કંઈ છે નહિ, અશેષ હજાર વાસનાઓના આશ્રયરૂપ તે હોય તે પણ તે આશ્રય ક્ષણિક હે ઈ તરત જ વાસનાની તેવા પ્રકારની કેડીરૂપ આલયવિજ્ઞાનને નાશ થાય અને પરિણામે અશેષ હજાર વાસનાઓ તેની સાથે જ નાશ પામે.] નાશ પામ્યા પછી ફરી આ વિજ્ઞાનની ઉત્પત્તિ માનવામાં આવે છે તેવા પ્રકારનું જ અર્થાત અશેષ હજાર વાસનાઓને આશ્રય રૂ૫ જ તે આલયવિજ્ઞાન ઉત્પન્ન થશે. તે પછી અમુક વખતે જ ગોશાન, અમુક વખતે જ અજ્ઞાન, વગેરે ક્રમ નહિ બને, એટલે આ માગ સર્વથા સંકટભર્યો છે. તેથી, “વાસનાથી જ લેયાત્રા સિદ્ધ થતી હોવાથી બાહ્ય અર્થની શી જરૂર છે ?” એવી બિચારા બૌદ્ધોની આ વાત ઝાંઝવાના જળ જેવી છે. બહુ વાચાળતાથી સયું", નિષ્કર્ષ એ કે નિપુણ ચિંતકો વડે નિરૂપા નીલાદિ આકાર અર્થને જ સિદ્ધ થાય છે. જ્ઞાનને સિદ્ધ થતું નથી. વળી, પ્રમિતિ પ્રમાણ અને પ્રમેય એ ત્રણ રૂપે એક જ્ઞાન કેવી ૧. આલયવિજ્ઞાન વિશે સંક્ષિપ્ત નેંધ અહીં જરૂરી જણાય છે. અનાદિ વાસનાથી (= સંસ્કારથી) વાસિત વિજ્ઞાન ( = ચિત્ત) આલયવિજ્ઞાન છે. તે જ નિત્ય અને નિરંતર વિદ્યમાન રહેતું બધાં જન્મો અને ગતિનું કારણ છે. તેની નિત્યતા પ્રવાહનિયતા છે. તેમાંથી ક્ષણિક પ્રવૃત્તિ વિજ્ઞાને જન્મે છે અને નાશ પામે છે. આલયવિજ્ઞાન સાગર જેવું છે અને પ્રવૃતિવિજ્ઞાને તેમાં ઊઠતાં મોજાં જેવાં છે. જેમ સાગર અને તેનાં મેજા વચ્ચે ભેદ નથી તેમ આલયવિજ્ઞાન અને પ્રવૃત્તિ વિજ્ઞાને વચ્ચે ભેદ નથી. પ્રવૃત્તિવિજ્ઞાને સાત છે—પાંચ ઈન્દ્રિયજ્ઞાને, વિષયજ્ઞાનાત્મક મનોવિજ્ઞાન અને અહંકારાત્મક મન પહેલાં પાંચ વિજ્ઞાને જેને પ્રત્યક્ષ અને કહેવામાં આવે છે તે છે મને વિજ્ઞાન મન દ્વારા થતું પ્રત્યક્ષજ્ઞાન છે. મને વિજ્ઞાનનું ખાસ કામ પાંચ પ્રત્યક્ષજ્ઞાનેને સમન્વય કરવાનું છે. મન અહંકાર અને મમકાર ઉપસ્થિત કરે છે. આલ વિજ્ઞાનમાં આ બધાં જ્ઞાને બીજરૂપે અન્તહિત હોય છે અને જ્યારે તેઓ પ્રગટ થાય છે ત્યારે તેઓ પ્રવૃત્તિવિજ્ઞાન બને છે. આમ આલયવિજ્ઞાન અને બીજેને– વાસનાઓને કે ઠાર છે. એટલે તેને વાસનાશય પણ કહી શકાય. જેમ નદીને ઘસમસતા પ્રવાહ તૃણ, કાષ્ઠ, ગોમય આદિ અનેક પદાર્થોને ખેંચતો સદા આગળ વધે છે તેમ આ આલયવિજ્ઞાન પણ પ્રવૃત્તિવિજ્ઞાનોની બીજભૂત વાસનાઓને ખેંચતું જન્મજન્માક્તરમાં આગળ ને આગળ વધતું રહે છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી તે અટકતું નથી આ આલયવિજ્ઞાનની વિશુદ્ધિ વાસનાને નાશ થતાં થાય છે. તેની આ વિશુદ્ધિ જ પરમાર્થ છે. આલયવિજ્ઞાન વાસનારહિત થતાં પ્રવૃત્તિ વિજ્ઞાનેને નિરોધ થાય છે. હવે આલયવિજ્ઞાન આલયવિજ્ઞાન રહેતું નથી, તે સર્વપ્રવૃત્તિ વિજ્ઞાનના નિરાધવાળુ, વાસનારહિત, શુદ્ધ અયરૂપ વિજ્ઞાન જ રહે છે. આવું વિજ્ઞાન જ નિર્વાણ છે. તે જ પરમ તત્ત્વ છે. વિરોધીઓ આક્ષેપ કરે છે કે “આલયવિજ્ઞાન'ના નામથી આ વિજ્ઞાનવાદીઓએ આત્માને જ સ્વીકાર કર્યો છે. પરંતુ તે બરાબર નથી કારણ કે આત્મા અને આલયવિજ્ઞાનમાં સ્પષ્ટ અન્તર છે આમાં અપરિવર્તનશીલ છે જ્યારે આલય વિજ્ઞાન ક્ષણિક છે. આલયવિજ્ઞાનમાં પ્રવાહનિત્યતા છે. અલયવિજ્ઞાનને ગદર્શનના ચિત્ત સાથે પ્રવૃત્તિવિજ્ઞાનેને ચિત્તવૃત્તિઓ સાથે અને પ્રવૃત્તિવિજ્ઞાનનિરોધને વૃત્તિનિરોધ સાથે સરખાવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy