SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ Y૦૨ નીલકર્મકારક જ નીલજ્ઞાનને ઉત્પન્ન કરે છે એ ન્યાયમત 170. વળી, તમે બૌદ્ધોએ જે કહ્યું કે બાહ્ય અર્થ સ્વીકારીને પ્રતિકર્મવ્યવસ્થા ઘટાવવા માટે જ્ઞાનને આકારનો યોગ માનવે પડે છે – તે યોગને પ્રતિષેધ અશક્ય છે, તે પણ યોગ્ય નથી, કારણ કે પ્રતિર્મવ્યવસ્થા બીજી રીતે પણ ઘટી શકે છે જે કે અનેક પદાર્થોનું સન્નિધાન હોવા છતાં નીલનું જ્ઞાન ઉત્પન્ન થાય છે અને જે કે જ્ઞાનની બોધરૂપતા બધાં પ્રતિ સભાનપણે હેવા છતાં તે જ્ઞાન નીલનિષ્ઠ જ રહે છે, કારણ કે તે જ્ઞાન નીલ જ કર્મરૂપ કારકથી ઉત્પન્ન થયું છે. તમે બૌદ્ધો જે કહે કે તે જ્ઞાન તો ચહ્ન વગેરેથી પણ ઉત્પન્ન થાય છે, તે પછી તે જ્ઞાન ચક્ષુ આદિ નિષ્ણ પણ કેમ નહિ ?], તે અમે નૈયાયિકે કહીએ છીએ કે ચક્ષુ આદિથી તે જ્ઞાન ઉત્પન્ન થાય છે એ ખરું પણ કર્મભૂત ચક્ષુ આદિથી તે ઉત્પન્ન થતું નથી. પરંતુ નીલ જે કર્મભૂત છે તેનાથી તે જ્ઞાન ઉત્પન થાય છે એટલે તે જ એક વિષયને તે ગ્રહણ કરે છે. આવો નિયમ કેમ છે એમ જે તમે બૌદ્ધો પૂછશે તે અમે ઉત્તર આપીશું કે આ તો સ્વભાવથી જ છે, વળી આકાર પક્ષમાં પણ આ જ પ્રશ્ન પૂછી શકાય છે. ___171. यदुच्यते किमिति नीलमेव कर्मकारकं, किमिति वा कर्मविषयमेव ज्ञानमिति, तत्र वस्तुस्वभावैरुत्तरं वाच्यम् । आकारमपि च ज्ञानमुपाददानं कर्मकारकस्यैव कथमुपाददीत, न कारकान्तरस्येत्यत्रापि वस्तुस्वभाव एव शरणमिति । 171, તમે બૌદ્ધો જે પૂછો છો કે નીલ જ કર્મકારક કેમ અને કર્મકારકને જ વિષય કરનારું જ્ઞાન કેમ ? તે અમારે તૈયાવિકે એ કહેવું જોઈએ કે આને ઉત્તર વસ્તુસ્વભાવ વડે જ આપવો જોઈએ. વળી, આકારને ગ્રહણ કરતું જ્ઞાન કમ કારકને જ આકાર કેમ ગ્રહણ કરે, બીજા કારકને કેમ નહિ એવો પ્રશ્ન અમે મૈયાયિક તમને બૌદ્ધોને પૂછીએ તે તમારે પણ વસ્તુસ્વભાવનું જ શરણ લેવું પડે છે. 172. અર્થય જ્ઞાનનનાદવમવયતિરેયાખ્યામવાસ્થતે | यदा हि देवदत्तार्थी कश्चिद् व्रजति तद्गृहम् । तत्रासन्निहितं चैनं गत्वाऽपि न स पश्यति ।। क्षणान्तरे स आयान्तं देवदत्तं निरीक्षते । तत्र तत्सदसत्त्वेन तथात्वं वेत्ति तद्धियः ।। अनागते देवदत्ते न देवदत्तज्ञानमुदपादि, तस्मिन्नागते तदुत्पन्नमिति तद्भावभावित्वात् तज्जन्यं तदवसीयते । इत्थं च तज्जन्यत्वेनैव तत्र नियमसिद्धेरलमाकारकल्पनया । एतेन पुरुषप्रवृत्तिरपि नियतविषया व्याख्याता । साधकतमत्वं तु सामग्रयाः प्रमाणसामान्यलक्षणे निर्णीतमेव । 172 અર્થ જ્ઞાનનો જનક છે એ અન્વય-વ્યતિરેક દ્વારા જણાય છે. દેવદત્તને મળવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy