SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્ય, બૌદ્ધ અને જેનેની મોક્ષની માન્યતાઓ અને તેમનું ખંડન વિજ્ય, ઈન્દ્રિય, સનિષ આદિ સામગ્રીને અભાવ હોવાથી કેવલ્યાવસ્થામાં આત્મામાં દ્રવને અસંભવ હોય છે અને દર્શન રહિત આત્માના ચૈતન્યને અમે નિરાશ કરી દીધો છે. [સાંખ્યયોગ અનુસાર ચિત્ત અને આત્મા બે જુદી વસ્તુ છે. ચિત્તને ધમ જ્ઞાન છે અને આત્માને ધર્મ દર્શન છે. નૌયાયિક ચિત્તને સ્વીકારતા જ નથી પરંતુ ચિત્તમ જ્ઞાનને સ્વીકારી તેને આત્માને વિશેષ ગુણ માને છે. સાંખ્ય-યોગમાં ચિત્તના જ્ઞાનને વિષય ઘટ, પટ વગેરે બાથ પદાર્થો છે. ચિત્ત ઘટ, પટ, વગેરેના આકારે પરિણમે છે. આ ચિત્તપરિણામને ચિત્તવૃત્તિ કહે છે. પુરુષના દર્શનને વિષય ઘટ પટ વગેરે બાહ્ય પદાર્થો નથી પરંતુ ચિત્તવૃત્તિ છે. કેવલ્યમાં, ચિત્તને પ્રકૃતિમાં લય થઈ ગયું હોય છે, એટલે પુરુષના દર્શનના વિષયભૂત ચિત્તવૃત્તિને પણ અભાવ હોય છે પરંતુ પુરુષ દ્રષ્ટા મટી નથી જ. તેનામાં દર્શનની યોગ્યતા તે છે, પણ વિષયના અભાવમાં તે કોનું દર્શન કરે ? જેમ સાંખ્ય-ગ મતે કેવલ્યમાં આત્મામાં દર્શન નથી પણ દર્શન યોગ્યતા છે તેમ યાયિક મતે મેક્ષમાં આત્મામાં જ્ઞાન નથી પણ જ્ઞાનને ઉત્પન્ન કરવાની યોગ્યતા છે.] 23. નિર્વાણદ્વિપાથેયમ, તુ સૌમાતા: | सन्तत्युच्छेदमिच्छन्ति स्वच्छां वा ज्ञानसन्ततिम् ॥ मतद्वितयमप्येतत् प्रत्युक्तं पूर्वमेव यत् । ध्वस्तश्च ज्ञानसन्तानः नित्यश्वात्मा समर्थितः ।। सन्तत्युच्छेदपक्षस्तु नैयायिकमतादपि । शोच्यो यत्राश्मकल्पोऽपि न कश्चिदवशिष्यते ॥ 23. બૌદ્ધો અપવગને નિર્વાણ વગેરે પદેથી જણાવે છે. તેઓ જ્ઞાનસત્તતિના ઉચ્છેદને કે નિર્મળ જ્ઞાનસતતિને અપવગર માને છે. આ બન્ને મતને આ અગાઉ અમે પ્રતિષેધ કર્યો છે. અમે તૈયાયિક જ્ઞાનસત્તતિનો નાશ માનીએ છીએ અને નિત્ય આત્માનું સમર્થન કરીએ છીએ. જ્ઞાનસત્તતિના ઉછેદનો બૌદ્ધ પક્ષ તે તૈયાયિક મત કરતાં પણ વધુ શોચનીય છે કે જ્યાં પથ્થર જેવો પણ કોઈ બાકી રહેતા નથી. 24. ગëવક્ષેડપિ વામન્યસાપેક્ષમામન: . न केवलस्य तद्रपमित्यस्मन्मततुल्यता ॥ विकारित्वं तु जीवानामत्यन्तमसमञ्जसम् । शब्दपुद्गलवच्चैतत् प्रत्याख्येयमसम्भवात् ॥ 24. જેનમતમાં પણ આત્માનું જે રૂ૫ અન્ય સાપેક્ષ છે તે રૂપ કેવલ આત્માનું નથી. આ મત અમારા નયયિકના મત સાથે તુલ્ય છે. જીવોનું વિકારીપણું અત્યંત અસમંજસ છે, કારણ કે જેમ શબ્દનું પૌગલિકત્વ અસંભવ હેઈ પ્રતિષેધ્ય છે તેમ જીવોનું વિકારીપણું અસંભવ હેઈ પ્રતિષેધ્ય છે. [જૈન મતે આત્મા શરીર પરિમાણ છે, સંકોચ-વિકાસશીલ છે, પરિણામ છે, કર્મના સંબંધને લીધે મિયાદશન આદિ વિકારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy