SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ... 5. છે કે શરીર વગેરેના મૂળકારણ પરમાણુઓની સિદ્ધિ ૩૧૧ 151. શંકાકાર – ઉપન્ન થતાં જે દેહ, ઈન્દ્રિય આદિ સાથે આત્માને સંબંધ થાય છે તેમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ? નૈયાયિક – ન્યાયસૂત્રકાર ગૌતમે કહ્યું છે કે “વ્યક્તમાંથી વ્યક્તિની ઉત્પત્તિ થાય છે, કારણ કે તેમાં પ્રત્યક્ષ પ્રમાણ છે.” [ન્યાયસૂત્ર ૪ ૧ ૧૧]. “વ્યક્તમાંથી' એમ કહીને તેમણે કપિલે સ્વીકારેલ ત્રિગુણાત્મક અવ્યક્તરૂપ કારણના નિષેધપૂર્વક શરીર વગેરે કાર્યોને કારણ તરીકે પરમાણુઓને જણાવ્યા છે, તે આ રીતે – પાર્થિવ, જલીય, તેજસ અને વાયવોય એ ચાર પ્રકારનું કાર્ય પિતપતાના અવયવોમાં આશ્રિત જણાય છે, ત્યાં જેમ સાવયવ ઘટ કપાલમાં આશ્રિત છે તેમ કપાલે પણ સાવયવ હેવાથી તેમના અવયવમાં આશ્રિત છે, તે અવયવો પણ પિતાના અવયવોમાં આશ્રિત છે, એમ કરતાં કરતાં છેવટે નિરવયવ પરમાણુઓ પ્રાપ્ત થાય છે. જ્યાં જેટલાં કાર્યો પ્રત્યક્ષ વડે પિતાપિતાના અવયવોમાં આશ્રિત રહેલાં ગ્રહીત થાય ત્યાં તે જ પ્રમાણ છે. તેનાથી આગળ અનુમાન પ્રમાણ છે – [તે આ પ્રમાણે, તે કાય પણ પોતાના અવયવોમાં આશ્રિત છે, કારણ કે તે સાવયવ છે, પ્રત્યક્ષ દેખાતા કાર્યની જેમ, નિરવયવ હેય તો તે પરમાણુ જ હોય. પરમાણુઓમાં સાવયવ હેવાથી હેતુ અસિદ્ધ હોઈ, બીજા અવયની કલ્પના કરવામાં નથી આવી. તે સાવયવ હતાં તેમના અવયવો પરમાણુઓ બને. જેમ ઉત્પત્તિક્રમથી પરમાણુઓનું અનુમાન થાય છે તેમ વિનાશક્રમથી પણ પરમાણુઓનું અનુમાન થાય છે. માટીના ઢેફાનું વિભાજન થતાં તેના ભાગે થાય છે. તે ભાગોનું વિભાજન થતાં બીજા ભાગો થાય છે. આ પ્રમાણે કરતાં કરતાં છેવટે આગળ વિભાજન ન થઈ શકે અને દર્શનને વિષય તે ન બને એવું થાય. તેથી જેમનાથી આગળ અવયવવિભાજન સંભવતું નથી, તેમને પરમાણુઓ કહેવામાં આવે છે જે તેમનું પણ વિભાજન થતું હોય તે તેમના અવયવો પરમાણુઓ બને. તેથી આમ ઉત્પત્તિક્રમની જેમ વિનાશક્રમમાં આવું દેખાતું હેઈ, પરમાણુઓ છે. 158. બત્ર હૈિ ત્રથી ગતિરસ્ય ઘટા વાસ્થ – નિરવ વત્વમેવ વા, અવયवानन्त्यं वा, परमाण्वन्तता वा । तत्र निरवयवत्वमनुपपन्नम् , अवयवानां पटे तन्तुनां घटे च कपालानां प्रत्यक्षमुपलम्भात् । अनन्तावयवयोगित्वमपि न युक्तं, मेरुसर्षपयोरनन्तावयवयोगित्वाविशेषेण तुल्यपरिमाणत्वप्रसङ्गात् । तस्मात् परमाण्वन्ततैव યુમિતી | 158. અહીં ત્રણ ગતિ છે – આ ઘટ વગેરે કાર્યો કાં તે નિરવયવ હોય, કાં તે તેના અવયવોને(=અવયવોના વિભાજનને) ક્યાંય અન્ત ન હોય, કાં તે તેના અવયવોને (અવયવોના વિભાજનને) અત પરમાણુઓએ આવતે હેય. તેમાં કાર્યનું નિરવયવ હેવું ઘટતું નથી, કારણ કે પટમાં તખ્તરૂપ અવયનું અને ઘટમાં કપાલરૂપ અવયનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy