SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ન્યાયમતે બુદ્ધિસ્વરૂપ उक्तः, स सर्वोपि बुद्धावपि योजनीयः । अत एव न बुद्धीनामेकप्रमातृवृत्तीनां योगपद्यं विद्यते वर्णानामिवैकवक्तृप्रयुक्तानाम् । विनश्यदविनश्यद्दशयोस्तु बुद्धयोराशुविनाशित्वेऽपि यौगपद्यमनुभवादुपेयत इत्यलमतिविस्तरेण । बुद्धरनित्यतायां च प्रायेण सर्ववादिनामविवादः । तथा चाह जैमिनिः 'सत्सम्प्रयोगे पुरुषस्येन्द्रियाणां बुद्धिजन्म तत्प्रत्यक्षम्' इति । [मी०सू० १.१.४] । 19. Rયાયિક – ના, બુદ્ધિ અનિત્ય છે, કારણ કે શબ્દની જેમ તે આશુવિનાશી છે. જેમ નિત્ય આકાશને ગુણ હોવા છતાં શબ્દ બીજા શબ્દને ઉત્પન્ન કરી નાશ પામે છે તેમ [ નિત્ય આત્માને ગુણ હોવા છતાં બુદ્ધિ બીજી બુદ્ધિને ઉત્પન્ન કરીને નાશ પામે છે એમ, તેવું દેખાતું હોઈ, કલ્પવામાં આવ્યું છે. શબ્દની અનિત્યતા પુરવાર કરવા માટે વિનાશનું દર્શન, ભેદની ઉપલબ્ધિ વગેરે જે કઈ તક કહ્યો છે તે બધે બુદ્ધિની અનિત્યતા પુરવાર કરવા માટે પણ જવો જોઈએ. તેથી જ એક પ્રમાતામાં રહેતી અનેક બુદ્ધિઓ યુગપત હોતી નથી – જેમ એક વકતાએ પ્રયોજેલા વર્ષે યુગપત હોતા નથી તેમ બુદ્ધિ આશુવિનાશી હેવા છતાં વિનશ્યહૂદશાવાળી બુદ્ધિ અને અવિનદશાવાળી બુદ્ધિનું યોગપદ્ય, અનુભવાતું હેઇ, અમે સ્વીકારીએ છીએ [ બુદ્ધિ બીજી બુદ્ધિને ઉપન કરીને નાશ પામે છે – આ વિધ ન દર્શાવે છે કે એક ક્ષણ એવી છે જ્યારે બે બુદ્ધિઓ સાથે રહે છે આ ક્ષણે નાશ પામતી બુદ્ધિ પણ છે અને તાજી જ ઉત્પન થયેલી બુદ્ધિ પણ છે પહેલીને વિનશ્યદશાવાળી કહી છે અને બીજીને અવિનયદશાવાળી કહી છે. પહેલીને માટે વિનશ્યદશાના ક્ષણ પછી વિનષ્ટદશાની ક્ષણ આવે છે.] આને વધુ વિસ્તાર રહેવા દઈએ. બુદ્ધિની અનિયતાની બાબતમાં પ્રાયઃ સર્વ વાદીઓને કોઈ વિવાદ નથી અને જેમિનિએ કહ્યું છે કે “ઈન્દ્રિયને અર્થ સાથે સંગ થતાં પુરુષમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જ્ઞાન પ્રત્યક્ષ છે.” [જેમિનિસૂત્ર ૧.૧.૪] 120. વિરચિવ તસ્માન્ પુષ્ક્રિનિંસવિનશ્વરી भवति जनकः स्वात्मा तस्याः स एव तदाश्रयः । भवमरुभवस्तापैः या जातमेव युनक्ति सा व्यसनजननीमेनामस्मात् त्यजेत् परमार्थवित् ॥ 120. નિષ્કર્ષ એ કે અનિત્ય રુચિની જેમ બુદ્ધિ સ્વભાવથી વિનવર છે. પિતાને આત્મા જ બુદ્ધિને જનક છે અને તે જ બુદ્ધિને આશ્રય છે. તેને (= આત્માને) જ, જન્મતાં જ, બુદ્ધિ સ સારરૂપ રણમાં ઉદ્ભવતા સંતાપે સાથે જોડે છે. તેથી પરમાર્થના જાણકારે દુઃખાની આ જનનીને (= બુદ્ધિને ત્યજવી જોઈએ. [. મનufક્ષા] 12. ગુરૂપ જ્ઞાનાનુત્પત્તિર્મનો સ્ટિકમ્ ન્યાયમૂત્ર ૨.૨.૨ ] | મનો यदेव सत्त्वे प्रमाणं तद् गम्यतामेवास्य लक्षणं, समानेतरजातीयव्यवच्छेदकारित्वात् । [ ૫. મન પરીક્ષા ] 121. નૈવાયિક – “જ્ઞાનેની યુગપત અનુત્પત્તિ મનને અસ્તિત્વને પુરવાર કરતે હેતુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy