SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્પત્તિવશે શબ્દ અર્થપ્રત્યાયક બનતે નથી પણ ઘટતું નથી, કારણ કે તેમ માનતાં જ્ઞાનના યૌગપદ્યની આપત્તિ આવે. અન્ય વર્ણના જ્ઞાન પછી તરત જ પૂર્વ વર્ણના સ્મરણની જેમ સમયનું સ્મરણ પણ તે વખતે જ આવી પડે છે અને તેને પરિણામે જ્ઞાનયૌગપઘ આવી પડે છે, અને તેમની કલ્પત્તિનું કંઈ કારણ અમે દેખતા નથી. તેમ છતાં તે કમથી તેઓ ઉત્પન્ન થાય તે પણ તે વખતે અન્ય વર્ણનું જ્ઞાન નાશ પામી ગયું હોવાથી પૂર્વ વર્ણની સ્મૃતિ કોને સહાય કરશે ? અનેક પૂર્વ વર્ણવિષયક એક સ્મૃતિ સ્વીકારીને આ કહ્યું છે, પરંતુ ખરેખર અનેક પૂર્વવર્ણવિષયક એક સ્મૃતિ નથી. કેમ? જુદા જુદા અનુભવથી જન્મેલા જુદા જુદા સંસ્કારોથી ઉત્પન્ન થયેલી સ્મૃતિઓ જુદી જુદી થાય, પરંતુ એક સ્મૃતિ અનેકવિષયક ન હોય. વિદ્યમાન અને અવિદ્યમાન ( =નટ) વર્ણોને વિષય કરનારું એક સંકલનાજ્ઞાન બનશે (અર્થાત ક્રમગૃહીત વર્ણો અનન્સર એકકાલભાવી એક જ્ઞાનમાં સકલિત થઈ પ્રતિભાસિત થશે) અને તે જ્ઞાનમાં આવેલા વર્ષો અર્થના પ્રત્યાયક બનશે એમ જે તમે કહેશે તે તે દુરાશામાત્ર છે, કારણ કે તેવા ( =સંકલનાત્મક) જ્ઞાનની ઉત્પત્તિના કારણને અભાવ છે. ન તો ઇન્દ્રિય અતીત વણેને ગ્રહણ કરવા સમર્થ છે, ન તે સંસ્કાર વર્તમાન વર્ણને ગ્રહણ કરે છે અને ન તે ઇન્દ્રિય અને સંસ્કાર યુગપત આ સંકલનાજ્ઞાનને ઉત્પન્ન કરે છે. સહચરદશન વગેરેને કારણે સંસ્કાર જાગેલા હોવા છતાં તે સંસ્કાર ઈન્દ્રિયની સાથે વ્યાપાર કરતા નથી કારણ કે તે સંસ્કારનું સામર્થ કેવળ સ્મરણને ઉજન કરવામાં જ છે એ આપણે જાણેલું છે. તેથી વણી વાચક નથી. 11 अतश्चैवं-यदि ते वाचका भवेयुः, विपरीतक्रमप्रयुक्ता अप्यर्थ गमयेयुः । क्रमश्चेदपेक्ष्यते स व्यतिरिक्ताव्यतिरिक्ततया चिन्तनीयः । अव्यतिरेके ते एव ते वर्णा इति कथं न बोधका: ? व्यतिरेके तु किमप्यधिकं वाचकमभ्युपगतं . भवतीति मत्पक्षमाजिगमिषति भवान् । 11. જે વર્ષો વાચક હોય તો વિપરીત ક્રમે ઉચ્ચારવામાં આવે તો પણ અર્થનું તાન કરાવે. [નિયત ] કમની જે વણેને અપેક્ષા હોય તે તે કમ વર્ષોથી ભિન્ન છે કે બભિન્ન એ વિચારવું જોઈએ. જે ક્રમ વર્ષોથી અભિન્ન હેય તે [ વિપરીત કામમાં પણ ] તેના તે જ વર્ણો છે પછી તેઓ તે અર્થનું જ્ઞાન કેમ ન કરાવે ? જો ક્રમ વર્ષોથી ભન્ન હોય તે તમે [વર્ણોથી] કંઈક અધિક વાચક તરીકે સ્વીકાર્યું કહેવાય, એટલે તમે પરા પક્ષમાં આવી જશે. 12. ननु व्युत्पत्तिवशेन शब्दोऽर्थप्रत्यायकतामुपयाति । व्युत्पत्तौ च पावन्तो यत्क्रमका वर्णा यमर्थमभिवदन्तो दृष्टास्ते तावन्तस्तत्क्रमकास्तमर्थमभिवदिष्यन्तीति किं विकल्पमालया ? तदुक्तम् यावन्तो यादृशा ये च यदर्थप्रतिपादने । वर्णाः प्रज्ञातसामर्थ्यास्ते तस्यैवावबोधका ॥ इति [श्लो० वा० स्फोट ६९] 12. શંકાકાર–વ્યુત્પત્તિને લીધે શબ્દ અર્થને પ્રત્યાયક (=વાચક) બને છે અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy