SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ મને તું ૨૩ વ્યાપક આત્માનું કતૃત્વ કેવી રીતે ઘટે ? व्यापिस्वेदरोमाञ्चादिदर्शनं विरुध्यते । न च द्वयोरण्वोरात्ममनसोः कर्तृकरणव्यवस्थाऽपि निर्वहतीति । तस्मान्नाणुरात्मा न च शरीरपरिमाण इति व्यापक एवावशिष्यते । तदेवं वाराणस्यामप्ययमात्मा विद्यत एवेति तत्र तत्कार्यदर्शनमवकल्पते, नान्येन गमनादिप्रकारेणेति । 153. મનની જેમ શરીરના એક દેશમાં આત્મા રહેતા હોઈ આશુ સંચરણથી તે આખા શરીરને અધિષ્ઠાતા ઘટે છે એમ જે આત્માની બાબતમાં ક૯પવામાં આવે તે પણ જેને પ્રિયતમ લાંબા સમયથી પરદેશ ગયેલે છે એવી સ્ત્રી તેને આવેલે જઈને એકદમ આખા શરીરે સ્વેદ અને રોમાંચ અનુભવતી દેખાય છે એ ઘટનાની સાથે વિરેધ આવશે. વળી, આત્મા અને મન બને અણુપરિમાણુ હોય તે તેમની વચ્ચે જે કર્તા-કરણ વ્યવસ્થા છે તે પણ ઘટશે નહિ. તેથી આમા અણુપરિમાણ પણ નથી કે શરીરમાત્રપરિમાણ પણ નથી, એટલે તે વ્યાપક જ છે એ વિકલ્પ બાકી રહે છે. તેથી આમ બનારસમાં પણ આ આત્મા છે જ, એટલે તેનાં કાર્યોનું દર્શન ત્યાં થવું ઘટે છે, બીજી રીતે આત્માનું ગમન આદિ માનીને તે ઘટતું નથી. ___154. ननु सर्वत्र सुखदु:खज्ञानादिकार्यदर्शनात् सर्वप्राणिनामेक एवात्मा भवेत् । न, सुखदुःखव्यवस्थादर्शनाद् बन्धमुक्तव्यवस्थोपपत्तेश्चात्मभेदस्य दर्शयिष्यमाणत्वात् । व्यापिनः कथं कर्तृत्वमिति चेत् , ज्ञानचिकीर्षाप्रयत्नसमवाय एवास्य कर्तृत्वं, न व्यापारयोग इति नितिमेतत् । - 154. કોઈ કહેશે કે સર્વત્ર સુખ, દુઃખ, જ્ઞાન આદિ કાર્યો દેખાતાં હેઈ બધા પ્રાણીઓને એક જ આત્મા હેય. આને ઉત્તરમાં અમે કહીએ છીએ કે ના, સુખ-દુઃખ વ્યવસ્થા દેખાતી હે ઈ બધા પ્રાણીઓને એક અત્મા નથી, બદ્ધમુક્તની વ્યવસ્થાને ઘટાડવા માટે પણ આત્મબહુ જરૂરી છે એ અમે દેખાડવાના છીએ. - જે વ્યાપક હોય તેનામાં કતૃત્વ કેવી રીતે હોય ?' એમ જો તમે પૂછો તે અમારે ઉત્તર છે કે જ્ઞાન-ચિકીર્ધા–પ્રયત્નને સમવાય જ એની બાબતમાં કવ છે, વ્યાપારને યોગ એ કર્તુત્વ નથી, એ નિર્ણત થયેલું છે. 155. ननु व्यापिन्यात्मनि कथं शरीराद् बहिरण्वपि कार्य न दृश्यते ? कर्माक्षिप्तशरीरेन्द्रियादिसहकारिसन्निधाननिबन्धनो हि तत्कार्योत्पादः । स कथं ततो बहिर्भवेद् રૂતિ | तस्मादनन्तरोक्तेन प्रकारेणोपपादितम् । नित्यत्वाद् व्यापकत्वाच्च परलोकित्वमात्मनः ।। _155. બૌદ્ધ– જે આત્મા વ્યાપક છે તો પછી શરીરની બહાર તેનું અણુમાત્ર કાર્ય પણ કેમ દેખાતું નથી ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy