SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ આત્મા વિશે ચાર્વાક મત છે જે પોતે કરેલાં સુકૃતનાં ફળ ભોગવવા વગેરેમાં નિપુણ છે. આત્મા નથી, કિર્મ કર્યા વિના જ] ફળને કેવળ ભાગ છે એમ બૌદ્ધો કહે છે અને સ્વગતે માટે ચૈત્યનું પૂજન કરે છે. સંસ્કારે ક્ષણિક છે એમ કહે છે અને યુગો સુધી સ્થિતિ કરનારા આ વિહારે તેઓએ બાંધ્યા છે. આ બધું શૂન્ય છે એમ કહે છે અને અદેશ આપે છે કે ગુરુને ધન આપે. બૌદ્ધોનું આવું ચરિત બીજું તે શું પણ દંભની એટલી તો ઉતકૃષ્ટ ભૂમિ છે (કે ન પૂછો વાત) ! 146. अत्र सशिक्षिताश्चार्वाका आहः यावच्छरीरमवस्थितमेकं प्रमातृतत्त्वमनुसन्धानादिव्यवहारसमर्थमस्तु नाम कस्तत्र कलहायते ? शरीराद् ऊर्ध्वं तु तदस्तीति किमत्र प्रमाणम् ? न च पूर्वशरीरमपहाय शरीरान्तरं संक्रामति प्रमाता । यदि ह्यवं भवेत् , तदिह शरीरे शैशवदशानुभूतपदार्थस्मरणवदतीतजन्मानुभूतपदार्थस्मरणमपि तस्य भवेत् । न हि तस्य नित्यत्वाविशेषे च शरीरभेदाविशेषे च स्मरणविशेषे कारणविशेषमुत्पश्यामो यदिह जन्मन्येवानुभूतं स्मरति नान्यजन्मानुभूतमिति । तस्मादूर्ध्व देहान्नास्त्येव प्रमातेति नित्यात्मवादमूलपरलोककथाकोरुकुचीमपास्य यथासुखमास्यताम् । यथाऽऽह यावज्जीवं सुखं जीवेन्नास्ति मृत्योरगोचरः । भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ॥ इति 146. અહીં સુશિક્ષિત ચાર્વાક કહે છે-જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી ટાના, અનુસંધાન આદિ વ્યવહારને માટે સમર્થ એવું એક પ્રમાતા નામનું તત્વ ભલે હો, કેણિ તેમાં વિવાદ કરે છે? (કેઈ નહિ.) પરંતુ શરીર પડયા પછી તે પ્રમાતૃત સ્વ અસ્તિત્વ ધરાવે છે એમાં શું પ્રમાણ છે? પૂર્વશરીરને ત્યજી અન્ય શરીશ્માં તે પ્રમાતા સંક્રમણ કરતા નથી. જે પૂર્વશરીરને ત્યજી અન્ય શરીરમાં સંક્રમણ કરતે હેત તો અહીં આ શરીરમાં બાળપણમાં અનુભવેલા પદાર્થનું જેમ તેને સ્મરણ થાય છે તે અતીત જન્મમાં અનુભવેલા પદાર્થનું તેને સ્મરણ થાય. પ્રમાતા બને સ્થાને સમાનપણે નિત્ય હાય, શરીરે પણ બને સ્થાને સમાનપણે ભિન્ન હોય છતાં અહીં આ જન્મમાં પૂર્વાનુભૂતનું સ્મરણ થતું હોય અને નૂતન જન્મમાં અન્ય શરીરમાં રહેલા પ્રમાતાને પૂર્વ જન્મમાં પૂર્વ શરીરમાં અનુભૂતનું સ્મરણ ન થતું હોય તે તેને માટેનું કોઈ વિશેષ કારણ હોવું ઘટે, પણ એવું કઈ કારણ તે આપણને દેખાતું નથી કે જેથી અહીં આ જન્મમાં અનુભવેલું પ્રમાતા સ્મરે પરંતુ અન્ય જન્મમાં અનુભ વેલાને તે ન સ્મરે. તેથી શરીર નાશ પામ્યા પછી પ્રમાતાનું અસ્તિત્વ છે જ નહિ. એટલે નિત્ય આત્મા છે એ વાદ જેના મૂળમાં છે એવી પરલેકની વાત કરવાનો દંભ છોડી યથાસુખ રહે અને કહેવામાં પણ આવ્યું છે કે જ્યાં સુધી છે ત્યાં સુધી સુખે છે, કારણ કે જેને નાશ થતું ન હોય એવી કોઈ વસ્તુ (આત્મા) નથી, અને બળીને ભસ્મ થઈ ગયેલા દેહનું તે પુનઃ સંસારમાં આગમન ક્યાંથી હોય? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy