SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ક્ષણભંગવાદમાં પરલે ક આદિ ઘટતાં નથી જ્યારે સન્તાનાન્તરની બુદ્ધિઓમાં ઉપાદાનોપાદેયભાવ નથી એમ તમે જે વિશેષ દર્શાવ્યો તેને પણ અમે પહેલાં નિરાસ કર્યો છે. કપાસની રક્તતાની સંક્રાન્તિનું દષ્ટાન તમે જે વર્ણવ્યું તે પણ સ્વરૂપથી અયુક્ત છે કારણકે તે રક્તતાનું જ દર્શન થાય છે જે રક્તતા કપાસબીજમાં બરાબર કરવામાં આવી છે તે જ પુષમાં દેખાય છે, તેનાથી અન્ય ફળ થતું નથી. એ રીતે કમની અનુવૃત્તિ થાય પણ ફળભાગ તે દુર્ઘટ છે. કમની આ અનુવૃત્તિ પણ કેઈ એકની બાબતમાં થતી નથી કારણ કે કપાસબીજ-કસમની જેમ કાર્યકારણને ભેદ છે. કમ અન્યત્ર થાય છે અને ફળ અન્યત્ર થાય છે અને સંતાનના ભોગ માટે કર્મનું અનુષ્ઠાન કોઈ કરતું નથી. આ કર્મમાંથી થતું ફળ મને જ થાય એમ સમજીને જ બધાં કર્મમાં પ્રવૃત્તિ કરે છે. બૌદ્ધ ભિક્ષુઓના મતમાં પરલેક સર્વથા અસિદ્ધ છે. પરલોકને સિદ્ધ કરવામાં તેમને કોઇ તક નથી. ગર્ભ વગેરેમાં જે પ્રથમ જ્ઞાન થાય છે તે વિજ્ઞાનાન્તરપૂર્વક છે, કારણ કે તે જ્ઞાન છે. આ હેતુને અમે અપ્રોજક ગણાવે છે. વળી, આ હેતુ મૂછ આદિ પછી ઉદ્ભવતા જ્ઞાને વડે વ્યભિચાર પામે છે, [ અર્થાત મૂછ આદિ પછી થતાં વિજ્ઞાનાન્તરપૂર્વક નથી, કારણ કે મૂછમાં વિજ્ઞાન હેતું નથી. ] મૂર્શિતને પણ જ્ઞાન હોય છે એમ કોઈ કહે છે. પણ તે તે જાણું છે, કારણ કે અર્થાવગતિથી અન્ય એવું કોઈ સ્વરૂપ જ્ઞાનનું નથી. મૂઈ વગેરેમાં કે કલિલ વગેરેમાં જ્ઞાનનું સ્વરૂપ અથવગતિ ક્યાંથી હોય ? ન જ હેય. જે કલલા આદિ અવસ્થાઓમાં જ્ઞાન ઈચ્છવામાં આવે તે માતામાં રહેલ શોણિત અને પિતામાં રહેલા શુકમાં પણ જ્ઞાન ઇચ્છવું પડે, તેથી એકત્ર (બાળકમાં) બે ચેતન માનવાની આપત્તિ આવે અથવા તો અનેક પુત્રો ધરાવતા દંપતીમાં ચેતનાનું બહુત માનવાની આપત્તિ આવે. ઉપરાંત, લેકમાં એવો નિયમ નથી કે સદશમાંથી જ સદશની ઉત્પત્તિ થાય કારણ કે છાણમાંથી પણ વીંછી આદિની ઉત્પત્તિ થતી દેખાય છે. વળી, મુમખું શરીરમાંથી ગર્ભશરીરમાં જવાની શક્તિ જ્ઞાનમાં કેવી રીતે હેય ? કારણ કે જ્ઞાન જ્વાલાની જેમ ન તે મૂર્તિ છે કે આત્માની જેમ તે વ્યાપક છે. આતિવાહિકદેહ (= અન્તરાભવશરીર) જ્ઞાનને ભવાન્તરમાં (=મુમવું શરીરમાંથી ગર્ભશરીરમાં) લઈ જાય છે એમ જે તમે કહેતા હે તે અમે પૂછીએ છીએ કે મુમૂ શરીરમાંથી આતિવાહિક દેહમાં જ્ઞાનનું જવું કેવી રીતે સંભવે ? અથવા આ પ્રશ્નને રહેવા દો. તમારા મતમાં, રસ્તે જનારાઓના જીવતા દેહમાં જ્ઞાન ને પ્રદેશાન્તરસંચાર કેવી રીતે થાય ? કારણ કે તેમનામાં (જ્ઞાનમાં ભૂતધર્મો તે છે નહિ, વળી તેમનામાં રવતઃ ગતિ કરવાની શક્તિ પણ નથી, ઉપરાંત જાતિ વગેરેની જેમ તેઓ આશ્રયમાં રહેતાં નથી, તેમ જ ન તો તેઓ આત્માની જેમ વ્યાપક છે. આમ જેવા તમે વિહારમાંથી કે ગુફામાંથી બહાર નીકળો તે જ તમારો દેહ લાકડા જેવો જડ બની જાય, કારણ કે જ્ઞાનસંક્રાન્તિને સંભવ નથી. ટૂંકમાં વાત આટલી જ છે– કાં તે દંશ દૂર કરી ચકની જેમ તમારે પરલેક ન સ્વીકાર જોઈએ કાં તે નિત્ય આત્મા સ્વીકારવો જોઈએ. આત્મા ચર્મ એવો છે કે આકાશ જે ? એવા વિ૫ કરીને આત્માનું વિનાશીપણું અથવા કર્મનું વૈફલ્ય તમે કહ્યું છે, તે બરાબર નથી જ, કારણ કે સુખ–દુઃખરૂપ અવસ્થાના ઉપભોગનો આભાને સંબંધ હોવા છતાં આ આત્મા નાશ પામતું નથી. સુખદુઃખના જન્મથી આત્માની થતી વિકૃતિ એવી નથી હેતી કે જેનાથી આત્માને નાશ થાય, સહકારિકારણવશાત તે વિકૃતિ જન્મે છે. તેથી આત્મા અવશ્ય તે વિકૃતિનું ભોકતૃત્વ પામે છે. અથવા, ઉત્પાદ-વ્યવ વિભાવવાળી પિતાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy