SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ અવિલ સામગ્રીનું જ કાર્યોપત્તિમાં અવિકલ સામર્થ इति । अविकलं तु सामग्रया एव सामर्थ्य यदनन्तरं कार्यनिष्पत्तिरिति कार्यनिष्पत्तिदर्शनादेवावगम्यते । 104 આમ નિત્ય પદાર્થોમાં જ અર્થ ક્રિયાકારિતા ઘટતી હોઇ, સમવાયિકારણ, અસમવાયિકારણ અને નિમિત્તકારણ એ ત્રણ પ્રકારનાં કારણોથી બનેલી ત્રિવિધ કારણોની સામગ્રી પરસ્પરના સંસર્ગમાં આવીને સન્નિધાન પ્રમાણે કાર્યને ઉત્પન્ન કરે છે. એટલે તમારા કમ અને યૌગપદ્યના વિકલ્પોથી સયું. જ્યારે સામગ્રી અવિકલ હોય છે ત્યારે જ કાર્ય ઉત્પન્ન થાય છે. અને એટલે જ કાર્યોની યુગપદ્ ઉત્પત્તિ થતી નથી, તેમ જ કારણ નિત્ય નથી કારણ કે સામગ્રી સર્વદા હેતી નથી. પ્રાણીએ કરેલાં કર્મોને વિપાક પણ અમે માનેલી સામગ્રીની અન્તર્ગત છે, કારણકે બધાંના સુખ, દુઃખ, વગેરેના હેતુ તરીકે પ્રાણીકમવિપાકને ઘટાડવામાં આવે છે. સામગ્રી તેના સભ્યોથી ભિન્ન છે કે અભિન્ન એ વિકલ્પ અમારા પક્ષમાં સામગ્રીને બાધક નથી કારણકે સામગ્રી પિતે સામગ્રીઅંતર્ગત સભ્યને ધર્મ છે. સભ્યની અપેક્ષાએ સામગ્રી જ “તમબ” પ્રત્યયને અર્થ – અતિશય – ધરાવતી હોઈ તે કરણ છે એ અમે “પ્રમાણસામાન્ય લક્ષણ” નામના પ્રકરણમાં નિશ્ચિત કર્યું છે. સમર્થ છે કે અસમર્થ એ વિકલ્પ પણ ગ્ય નથી, કારણકે સામગ્રીમાં જ સામર્થ્ય છે, કારણકે સામગ્રીમાંથી થતું કાર્ય દેખાય છે. ગાડાના અંગેની જેમ સામગ્રીમાં રહેલા સભ્ય કારકેનું જેટલું સામર્થ્ય હોય છે તેટલું તે અમે સ્વીકાર્યું જ છે, કારણકે તેની અપેક્ષાએ તે સામગ્રીનું સાધકતમપણું નિર્વાહ પામે છે; કૃષ્ણની અપેક્ષાએ કોઈ શુકલતર બનતો નથી. અવિકલ સામર્થ્ય તે સામગ્રીનું જ છે કે જેની પછી તરત જ કાર્યની ઉત્પત્તિ થાય છે, એટલે કાર્યની ઉત્પત્તિના દર્શનથી જ સામગ્રીનું અવિકલ સામર્થ્ય જ્ઞાત થાય છે.' - 105. ય િgવક્ષારથાયરલં સ્થાટિયુઘવતં , તા , | कार्यनिष्पत्तिपर्यन्तत्वादवस्थानस्य, एकेन च क्षणेन कार्यनिष्पत्तेरघटमानत्वात् । कार्यनिष्पत्तेरूज़ तु सामग्री विप्लवते, न समग्राणि, तेषामेकैकशः क्वचित् क्वचिदुपलम्भात् चक्रसूत्रदण्डादीनाम् । इत्थं स्थिराणामेव पदार्थानाम् अर्थक्रिया-1 सामर्थ्य समर्थितमिति न ततः क्षणभङ्गसिद्धिः । 105. કારક એક ક્ષણ સુધી સ્થાયી છે એવું બૌદ્ધોએ જે જાહેર કર્યું તે પણ ખોટું છે, કારણ કે કારકનું અવસ્થાના કાર્યોપત્તિ સુધી હોય છે અને એક ક્ષણમાં કાર્યની ઉત્પત્તિ ઘટતી નથી. કાર્યની ઉત્પત્તિ પછી સામગ્રી નાશ પામે છે, સભ્યો નાશ પામતા નથી, કારણ કે તે દંડ, ચક્ર, સૂત્ર, આદિ સભ્યોમાંથી એક એક કયારેક ક્યારેક ઉપલબ્ધ થાય છે. આમાં સ્થિર પદાર્થો જ અર્થક્રિયાસમર્થ છે એ સમર્થિત થયું. તેથી પદાર્થો ક્ષણિક છે એ સિદ્ધ થતું નથી. - 106. gવં ચ સર્વાનિયાવયો: વિરોધાતુ સરવાતી વૈa gવદ્રવુદ્ધિવI तदितरनिराकरणमित्यादि यत् प्रलपितं तत् प्रतिक्षिप्तं भवति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy