SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ એક કારણમાંથી એક કાર્ય, બહુકારણમાંથી એક કાર્ય વગેરે વિકલ્પની વિચારણા प्रसङ्गात् । न युगपत् , अदृष्टत्वात् । एकस्य चानेककार्यकरणशक्तियोगे तद्भेदान्नानात्वप्रसङ्गः । विरुद्धधर्मयोगेऽपि यदि चैकत्वमिष्यते । अनेकक्षणयोगेऽपि भाव एकोऽभ्युपेयताम् ।। अथ बहुभ्य एकोत्पादनमिति पक्ष आश्रीयते तद्वक्तव्यं किमेतदेकं कार्य कैर्वा बहभिरुत्पाद्यते इति । न ह्यस्माकमिव भवतामनेकावयवनिवहनिर्मितमवयविस्वरूप कार्यमस्ति, संचितैः संचिता एव जन्यन्त इत्यभ्युपगमात् । यदि चानेककारणकार्यमेकमुच्यते तदस्य कारणभेदोपनतस्वभावनानात्वयोगादेकत्वमेव तावद्विरुध्यते, अन्यथा वे हि न कारणाधीनं भावानां रूपमित्याकस्मिकत्वप्रसङ्गः । कारणभेदापादितनानात्वस्यापि यदि वैकत्वं तदस्य नानाकालयोगिनोऽप्येकत्वं स्यात् , असत्त्वं वा भिन्नस्वभावस्य वस्तुन इति पूर्ववद् वक्तव्यम् । 93 વળી, ક્ષણિકત્વપક્ષમાં એક કારણમાંથી એક કાર્ય ઉત્પન્ન થાય છે કે બહુ કારણમાંથી એક કાર્ય ઉત્પન્ન થાય છે કે એક કારમાંથી બહુ કાર્યો ઉત્પન્ન થાય છે કે બહુ કારણમાંથી બહુ કાર્યો ઉતપન્ન થાય છે ?–એની પરીક્ષા કરવી જોઈએ. એક કારણમાંથી એક કાર્યની ઉત્પત્તિ થતી નથી, કારણ કે તે અલૌકિક છે અર્થાત લોકમાં તેમ થતું નથી, લેકમાં તો એક અગ્નિમાંથી ભસ્મ, ધૂમ, ઈક્વનવિકાર આદિ અનેક પ્રકારનાં કાર્યોની ઉત્પત્તિ થતી દેખાય છે; વળી કાર્યની ઉત્પત્તિને માટે સર્વત્ર સહકારીઓને મુખ્ય કારણની નજીક લાવવાના પ્રયત્ન થતા દેખાય છે; ઉપરાંત, “કેઇ એક કારણ જનક નથી' એવા ગ્રંથવચન સાથે આ પ્રથમ પક્ષ સ્વીકારતાં વિરોધ આવે છે. આનાથી જ “એક કારણમાંથી અનેક કાર્યોની ઉત્પત્તિને ત્રીજો પક્ષ પણ નિરસ્ત થઈ જાય છે. વળી, એક કારણ અનેક કાર્યોને ઉત્પન્ન કરતું હોય તે પ્રશ્ન ઊઠે છે કે તે અનેક કાર્યોને કમથી ઉત્પન્ન કરે છે કે યુગપત ઉત્પન્ન કરે છે ? તે કારણે કમથી ઉત્પન્ન ન કરી શકે કારણ કે એમ માનતાં કારણની સ્થિરતા માનવાની આપત્તિ આવે. તે કારણે યુગપત ઉત્પન્ન ન કરે, કારણ કે તે કાર્યોને યુગપત ઉત્પન્ન કરતું દેખાતું નથી. એક કારણમાં અનેક કાર્યો કરવાની શક્તિ છે એમ માનતાં એક કારણમાં સ્વરૂપભેદ માનવ પડે, પરિણામે એક કારણ એક ન રહેતાં અનેક બની જવાની આપત્તિ આવે. વિરુદ્ધ અનેક સ્વભાવને યોગ હોવા છતાં પણ જે તેનું એકત્વ તમે ઈચ્છતા હે તે અનેક ક્ષણેને યોગ હોવા છતાં પણ વસ્તુ એક જ રહે છે એમ તમે સ્વીકારો, “અનેક કારણોમાંથી એક કાર્યની ઉત્પત્તિ થાય છે એ પાને તમે સ્વીકારતા છે તે તમારે જણાવવું જોઈએ કે તે એક કાર્ય શું છે ? અને ક્યા બહુ કારણથી તે ઉત્પન્ન થાય છે ?, કારણ કે અમારી જેમ તમે અનેક અવયના સમૂહથી જન્ય અવયવી સ્વરૂપ ધરાવતું એક કાર્ય તમે સ્વીકારતા નથી; વળી તમે તે સંચિતથી સંચિત જ ઉત્પન્ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy