SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરને પ્રતિક્ષણ ભેદ અને પાકપ્રક્રિયા ' 45. જયંત – તે વાત બરાબર નથી, સ્તંભ વગેરેમાં [પ્રતિક્ષણ] નાનાત્વના કારણનું અગ્રહણ છે, જ્યારે અહીં રૂપ, પરિમાણુ, સન્નિવેશ આદિનું અન્યત્વ દેખાતું હોઈ સાદશ્યને કારણે જન્મતી બ્રાતિ જ આ પ્રત્યભિજ્ઞા છે. શિશુશરીરમાં, તરુણ શરીરમાં અને વૃદ્ધશરીરમાં એકસરખાં જ પરિમાણ આદિ ઉપલબ્ધ થતાં નથી. પાકજોત્પત્તિન્યાયે આહારના પરિણામ (change) ઉપરથી દેહભેદનું જ્ઞાન થાય છે. તેમ ન માને તે અર્થાત શરીરભેદ ન માને તે આહારની પરિણતિ ન થાય, દૂધ-દહીં વગેરે ખાવા છતાં પુષ્ટિ ન થાય. પ્રાતન શરીરને વિનાશ ન માને તે, અપચય અસંભવ બને, પરિણામે આહાર ન લેવાથી શરીરમાં ઉત્પન્ન થતી રિક્તતા પણ ન થાય. કેટલાક અવયવો ક્ષીણ થતા હેઇ અને કેટલાક અભિનવ અવયે ઉત્પન્ન થતા હોઈ અભિન્ન જ અવયવી (તેને તે જ અવયવી) હેવો કેવી રીતે ઘટે? અને વળી આ જ રીતે કેટલાકે ( વૈશેષિકોએ) પ્રાગવસ્થાથી વિસદશ રૂપ આદિ ધરાવનાર પ્રશ્યમાન ઘટ વગેરેના નાશ અને ઉત્પાદ પાકના કારણભૂત વેગવાળા અગ્નિદ્રવ્યના સંયોગની પર્યાલચના દ્વારા કલપ્યા છે. જો કે ભઠ્ઠીમાં પકવવા મૂકેલા, તૃણ, પણું, વગેરેથી ઢંકાયેલા ધટ વગેરે ભઠ્ઠીના છિદ્ર વાટે પ્રસરેલા નયનના કિરણે વડે વિનષ્ટ દેખાતા નથી, જો કે કાચા ઘટ આદિની સંખ્યા, તેમનું પરિમાણ, તેમને સન્નિવેશ અને તેમને દેશ પાકા ઘટ આદિમાં પણ દેખાય છે, જો કે ઘટ વગેરે પર મૂકેલા તૃણ વગેરે પડી જતા દેખાતા નથી, અને જે કે ઘટોત્પત્તિનાં કારણે કુંભાર વગેરે અહીં સંભવતા ન હોઈ પુનઃ ઘટની ઉત્પત્તિ જાણે કે થતી દેખાતી નથી, તેમ છતાં તે ઘટ વગેરેને અનુમાનથી નાશ કલ્પવામાં આવ્યું છે. ઘટના સર્વ અવયવોમાં અંદર અને બહાર પાકના લીધે પૂર્વ રૂપ આદિ ગુણોથી વિલક્ષણ ગુણે દેખાતા હોવાથી અગ્નિના અન્ત:પ્રવેશનું અનુમાન થાય છે, તે વેગવાળા અગ્નિદ્રવ્ય દ્વારા નેદનથી કે અભિઘાતથી ઘટના આરંભક અવયવોમાં ક્રિયા જન્મે છે, ક્રિયાથી વિભાગ થાય છે, વિભાગથી ઘટદ્રવ્યના આરંભક સંયોગને નાશ થાય છે, તેના નાશથી ઘટદ્રવ્યને નાશ થાય છે. ઘટના સૂક્ષ્મ છિદ્રોની કલ્પના કરી તે બ્દિો દ્વારા તેજસ પરમાણુઓ અવિનષ્ટ ઘટના છેક અંદરના ભાગમાં પ્રવેશ કરે છે એવું જ્યાં માનવામાં આવ્યું છે તે તૈયાયિકના પિઠરપકવાદમાં પણ અવશ્યપણે અવયવસંયોગનું વિઘટન અર્થાત ઘટનાશ છે જ. વળી, પાક પછી ભઠ્ઠીમાંથી બહાર કઢાતા ઘટ વગેરેમાંથી કેટલાક ફૂટી ગયેલા, કેટલાક વાંકા થઈ ગયેલા, કેટલાક અન્ય સન્નિવેશને પામેલા દેખાય છે. તે ઉપરથી પણ આપણે જોઈએ છીએ કે ઘર આદિ નાશ પામે છે. તેની તે જ સંખ્યા વગેરે જે યાયિકે કહ્યું છે તે અનૌકાતિક છે કારણ કે સાયની અણીથી વીંધાયેલા કંઠ, કાણું ધરાવતા ઘટ વગેરેની સંખ્યા વગેરે તેના તે જ હોવા છતાં તે ઘટ વગેરે તેના તે જ નથી એમ નીયાયિકાએ સ્વીકારેલ છે. તેથી પૂર્વોક્ત રીતે નષ્ટ ઘટાદિ કાયંદ્રામાં પરમાણુઓ જ પાકે છે. પાકેલા પરમાણુઓ શ્યામ આદિ ગુણે છોડી બીજા રક્ત આદિ ગુણને વેગ પામે છે. અને પ્રાણીગત સુખ-દુ:ખના ઉપભોગના સાધનભૂત અદષ્ટથી પ્રેરાયેલા તે પરમાણુઓ પરસ્પર સંગ પામી દયણુકાદિ કમે તેવા જ ઘટ આદિ કાર્યને ઉત્પન્ન કરે છે. તેમાં અમુક ક્ષણે અમુક કાર્ય ઉત્પન્ન થાય છે અને અમુક કાર્યોને નાશ થાય છે એમ પ્રક્રિયા લખતા નથી, કારણ કે તેમ કરતાં ગ્રંથને વિસ્તાર વધી જવાને ભય છે અને વળી તેમ કરવાનું પ્રજન પણ નથી. સૂર્યના તાપથી પાકતા આમ વગેરે ફળામાં આ જ ન્યાય છે. શરીરમાં પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy